________________
આચારપ્રદીપ
આપવા યોગ્ય છે. કારણ કે દેવોનું દર્શન નિષ્ફળ ન જાય તેવું હોય છે. યક્ષના તે વચનને અત્યંત દૃઢ કરીને રાજા કહે છે કે— જો આ પ્રમાણે છે તો હું જ્યારે તને યાદ કરું ત્યારે તું મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરજે. યક્ષે પણ તેના તે વચનને સ્વીકાર્યું. જેનું પુણ્ય પ્રતિપૂર્ણ હોય છે તેને આના કરતા પણ અધિક મનોવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે. (૮૦) તેથી આનંદિત થયેલો રાજા વિચારે છે કે, હું અહીં પણ અધિક સુખી થયો. છતાં પણ પરીક્ષા માટે હું પરદેશગમન આદિ કરીશ. પછી રાજા યક્ષને કહે છે કે તું હમણા મને જલદીથી પરદેશ લઈ જા. ત્યાર પછી તે રાજા ત્યાંથી પવનની જેમ દેવતાઈ શક્તિથી પરદેશ પહોંચ્યો. કુસસ્થલ નામના નગરમાં હૃદયને હરનારા ઉદ્યાનમાં અત્યંત ખરાબ કોઢિયાનું રૂપ કરીને રાજા ત્યાં રહે છે. તે નગરમાં ચંદ્રની જેમ લોકોને આનંદિત કરનારો ચંદ્ર નામનો રાજા છે. પણ આશ્ચર્ય તો એ છે કે પરાક્રમી એવા શત્રુના પણ તેજનો નાશ કરે છે. તેને પ્રિયવચનવાળી અને ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવદના નામની પહેલી પ્રિયા હતી અને ગુણોથી અધિક એવી ચંદ્રવદના નામની બીજી પ્રિયા હતી. પુત્ર વિનાની તેણીઓને પરમ પ્રેમપાત્ર બે પુત્રીઓ હતી. તેમાં પહેલી ગુણથી અને નામથી પણ સુલોચના હતી. જ્યારે બીજી ગુણથી અને નામથી પણ સુવદના હતી. સરખી વયવાળી, સરખા સુરૂપવાળી, શ્રેષ્ઠગુણોવાળી જાણે દેવલોકમાંથી દેવકુમારીકાઓ પૃથ્વીતલ ઉપર ઉતરેલી ન હોય તેવી હતી. જેઓએ કલાઓને ગ્રહણ કરી છે અને જેઓ યૌવનને પામી છે એવી તે બંનેને વિશેષથી આભૂષણોથી શણગારીને તેમની માતાઓએ રાજા પાસે મોકલી. રાજસભામાં બેઠેલા રાજાએ બંનેને પણ પ્રેમપૂર્વક કમળમાં કમલિનીઓની જેમ પોતાના ખોળામાં બેસાડી. પ્રશ્નોત્તર આદિ ઘણા પ્રકારની પૃચ્છાઓથી પૂછાયેલી તે બંને જાણે પ્રત્યક્ષ સરસ્વતી ન હોય તેવી રીતે તરત જ પ્રશ્નના ઉત્તરો આપે છે. તે આ પ્રમાણે— રાજાના આદેશથી પોતાને હોંશિયાર માનતા એક પુરુષે પહેલી કન્યાને પ્રશ્ન કર્યો—
૧૨
ज्ञानवती चैतन्यं, विना विना राज्यमातपत्राढ्या । विद्यां विना द्विरूपा क्षणाददृश्या च दृश्या च ॥ ९२ ॥
निम्नाप्यनिम्नसुषमा, भीरुरपि त्रिजगतीजनाधारः । अन्तर्मलिना मलिना - सक्तिरपि ख्यातनैर्मल्या ॥ ९२ ॥
कन्याङ्कितपुरुषवती, क्षणे क्षणे रोषतोषदोषवती । अतिचपलाऽपि सती या तां वद विदुरेऽचिरेणापि ॥ ९३ ॥
ચૈતન્ય વિના પણ જ્ઞાનવાળી છે, રાજ્ય વિના પણ છત્રવાળી છે, વિદ્યા વિના પણ બે રૂપવાળી છે. અર્થાત્ વિઘાવાળી હોય તો પોતાના અલગ-અલગ રૂપો બનાવી શકે પણ આ તો વિદ્યા વિના પણ બે રૂપવાળી છે. ક્ષણવારમાં અદૃશ્ય થઈ જાય છે અને ક્ષણવારમાં દેખાય