SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર પરીક્ષા કરવા માટે હું કોઈપણ રીતે જલદીથી દૂર દેશાંતરમાં જઈશ. આ પ્રમાણેની ચિંતાથી ઉદ્વિગ્ન થયેલો તે રાજા વડલાના ઝાડ નીચે બેઠો. આ બાજુ વડલાના તે ઝાડ ઉપર નિવાસ કરતા યક્ષને તેની પ્રિયા યક્ષિણીએ કહ્યું કે, આ કોઈપણ મહાન અતિથિ છે તેની તમારે પૂજા કરવા યોગ્ય છે. કારણ કે— गेहागयाणमुचिअं, वसणावडिआण तह समुद्धरणं । दुआिण दया एसो, सव्वेसिं सम्मओ धम्मो ॥ ६७ ॥ ૧૧ ઘરે આવેલાઓનું ઉચિત કરવું, દુઃખમાં પડેલાઓનો ઉદ્ધાર કરવો, દુઃખી જીવો ઉપર દયા કરવી આ સર્વને સંમત ધર્મ છે. અર્થાત્ સર્વ દર્શનકારો આને ધર્મ કહે છે. . તેથી યક્ષ પ્રત્યક્ષ થઈને કહે છે કે, હે સુજન ! તું કહે– તને શું ઈષ્ટ છે ? જેથી કલ્પવૃક્ષની જેમ હું તને તે બધુંય આપું. હવે વિસ્મય પામેલો તે શ્રેષ્ઠ રાજા કહે છે કે તું કોણ છે ? અને ઈષ્ટ વસ્તુને તું કેવી રીતે આપીશ ? કારણ કે મનુષ્યોને મનોવાંછિત અનંત વસ્તુ હોય છે. યક્ષે કહ્યું : હું શ્રેષ્ઠ દેવ છું અને મનોવાંછિત કાર્યને સાધવા સમર્થ છું. કારણ કે અમને મનથી જ સર્વકાર્યની સિદ્ધિ થાય છે અને મનથી જ સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭૦) રાજા કહે છે– અરે ! તું ખોટું કેમ બોલે છે ? કારણ કે દેવોને પણ મનોવાંછિતની સિદ્ધિ થતી નથી. દેવો પણ બહુ દુઃખી હોય છે. જેથી ઋષિઓનું આ વચન છે કે— ईसाविसायमयको हमायलोभेहिं एवमाहिं । देवावि समभिभूआ तेसिं कत्तो सुहं नाम ? ॥ ७२ ॥ [ उपदेशमाला - २८७] ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, માયા, લોભ ઈત્યાદિથી દેવો પણ પરાભવ કરાયેલા છે, તો પછી તેઓને સુખ ક્યાંથી હોય ? તેથી જો તું પોતાના મનોવાંછિતને પણ સિદ્ધ કરી શકતો નથી તો પછી બીજાના ઘણા મનોવાંછિતને ક્યાંથી સિદ્ધ કરીશ ? કારણ કે, રંક માણસ બીજાને રાજ્ય આપી શકતો નથી, તેથી ગર્વથી ગાંડો થયેલો તું ઠગાયો હોવા છતાં પણ આમ કેમ બોલે છે ? સત્યવાદી માણસો પણ હોંશિયાર હોય છે તો પછી દેવોની તો શી વાત કરવી ? આ પ્રમાણે તત્ત્વ અને યુક્તિથી યુક્ત રાજાના વચનને સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલો તે યક્ષ કહે છે કે, તેં જે કહ્યું તે સઘળુંય સાચું છે. બીજને અનુસારે ફળની સિદ્ધિ થાય તેમ દેવોને પણ પૂર્વે ઉપાર્જન કરેલા પોતપોતાના પુણ્ય અનુસારે જ ઋદ્ધિ અને મનોવાંછિતની સિદ્ધિ થાય છે. છતાં પણ દેવોની શક્તિ અચિંત્ય હોય છે. મનુષ્યોને દુષ્ટાધ્ય મનોવાંછિત કાર્ય દેવો જલદીથી સાધે છે અને કંઈક કંઈક સુખને પણ પામે છે. તેથી તું કંઈ પણ માગ જે મને અવશ્ય સિદ્ધ થશે. અને તે બધુંય તને
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy