________________
આચારપ્રદીપ
હવે તું લુખા, નિરસ, અલ્પ ભોજન-પાણી દ્વારા અને જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરવા દ્વારા ભોગનો ત્યાગ કરવા દ્વારા, પરીષહને સહન કરવા દ્વારા, ફક્ત અનિયતવાસ દ્વારા, અર્થાત્ ગ્રામાનુગ્રામ વિચરવા દ્વારા મુનિચર્યાથી વિચરીશ તો જ જીવીશ. અન્યથા તારા જીવનનો ભરોસો નથી. જેવી રીતે જીવોના પરિણામો વિચિત્ર હોય છે તેવી રીતે ઔષધિઓના પરિણામો પણ અતિવિચિત્ર હોય છે.
૧૦
આ પ્રમાણે વિષવૈદ્યના વચનને સાંભળીને દીનમનવાળા તે ભિખારીએ રોગીની જેમ તે વિષવૈદ્યના સર્વ પણ વચનને સ્વીકાર્યું. અથવા મનુષ્ય મૃત્યુના ભયથી દુષ્કર એવું પણ કયું કાર્ય નથી કરતો ? અર્થાત્ દુષ્કરમાં પણ દુષ્કર કાર્ય કરે છે. સાધુની જેમ રહેતો હોવા છતાં પણ અને રાજા વગેરે વડે પ્રેરણા કરાયેલો હોવા છતાં પણ તુચ્છમનવાળો તે ભિખારી સાધુપણાને સ્વીકારતો નથી. કારણ કે, સાધુતા મહાસત્ત્વશાળી પુરુષોથી જ સાધ્ય છે. પૂર્વે કહેલા સુભાષિતના ત્રીજા પદના અર્થને જાણે સમર્થન કરવા માટે ન હોય તેમ તેણે દીક્ષા ન જ લીધી. કારણ કે, પ્રવ્રજ્યામાં સુખ છે અને સર્વત્ર દુ:વિનાં દુઃશ્વમ્ દુઃખીઓને સર્વત્ર દુઃખ જ હોય છે. કારણ કે—
तणसंथारनिविट्ठो, मुणिपवरो भट्टरागमयमोहो ।
ખં પાવરૂ મુત્તિમુદું, તે વત્તો ચાવટ્ટી વિ ? ।। ૧૨ ।[સન્મતિ-પ્ર૦ ૪૮ ] ઘાસના સંથારા ઉપર બેઠેલા અને રાગ-મદ-મોહ જેનો ચાલ્યો ગયો છે એવા શ્રેષ્ઠ મુનિ જે મુક્તિસુખને પામે છે તે સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય ? અર્થાત્ તેવું સુખ ચક્રવર્તીને પણ ન હોય.
(ભિખારી સાધુપણા જેવું જે આચરણ કરી રહ્યો છે તે) જો ધર્મબુદ્ધિથી કરે તો કોણ જાણે કેટલું બધું ફળ મેળવે ? અર્થાત્ ઘણું જ સુખ મેળવે. અહો ! આ આશ્ચર્ય છે કે, આ જીવલોક આવા પ્રકારના પશુ જેવા કષ્ટમાં પડેલો છે, અર્થાત્ પશુની જેમ કષ્ટને સહન કરે છે છતાં પણ પ્રવ્રજ્યાને સ્વીકારતા નથી. (૬૦)
સુભાષિતના ત્રીજા પાદની પરીક્ષા કરી છે એવા દેદીપ્યમાન બુદ્ધિવાળા રાજાએ ચોથા ચરણ (= પાદ)ની પરીક્ષા કરવા માટે ઉપાયને વિચારતા આ પ્રમાણે વિચાર્યુંઃ સુખી એવા બીજા માણસને પરીક્ષા કરવા માટે ફોગટ શા માટે દુઃખ દેવું ? તેથી હું પોતે જ પરદેશ જઈને પરીક્ષા કરીશ. આ પ્રમાણે વિચારણા કરીને કોઈક દિવસે શ્રેષ્ઠમંત્રી ઉપર રાજ્યનો કારોભાર નાખીને એકલો રાજા રાત્રીના સમયે નગરમાંથી બહાર નીકળ્યો. સ્વદેશમાં તો બધા પણ લોકો મને ઓળખીને સ્વજનની જેમ મારી વિશેષથી વિવિધ પ્રકારની ભક્તિ કરશે. તેથી