SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર લાગ્યો. તેથી રાજાએ કહ્યું કે– પોતાના ભિખારીના વેષમાં જ તું ભોજન આદિ ભોજ્ય વસ્તુથી સુખને ભોગવ. તેથી અતિખુશ થયેલા તેણે પ્રેતની જેમ સારા સારા ભોજનો ખાધા અને અનંતાનુબંધી કષાયના ઉદયવાળો જીવ જેવી રીતે સમ્યક્ત્વને વમી નાખે તેવી રીતે તેણે પણ બધું ખાધેલું તરત વમી નાખ્યું (૪૨) કારણ કે— दैवमुल्लङ्घ्य यत्कार्यं, क्रियते फलवन्न तत् । सरोऽम्भश्चातकेनात्तं, गलरन्ध्रेण गच्छति ॥ ४३ ॥ ૯ ભાગ્યને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે તે ફળવાળું થતું નથી. ચાતકપક્ષી મુખથી સરોવરના પાણીને ગ્રહણ કરે છે પણ ગળામાં રહેલા છીદ્રથી તે પાણી બહાર નીકળી જાય છે. રાજાએ ફરી પણ તે ભિખારીને તાંબૂલ આદિ ઉપચાર કરવાપૂર્વક ભોજન કરાવ્યું. તો નારકની જેમ જઠરમાં પીડા થવી વગેરે સ્પષ્ટ દુઃખને તેણે સહન કર્યું. જઠરની પીડા આદિનો ઉપચાર કર્યો ત્યાં તો તરત મહાઅતિસારથી અત્યંત પીડાવા લાગ્યો. મહાઅતિસારનો ઉપચાર કર્યો ત્યાં તો તરત મરણને સૂચવનારી વિસૂચિકાથી પીડાવા લાગ્યો. આ પ્રમાણે લોહીના ઝાડા, તીવ્રજ્વર, પિત્ત, કફ઼, વાત આદિથી પણ પીડાયો. રાજાએ તેનો પણ ઉપચાર કરવામાં પ્રયત્ન કર્યો છતાં પણ ભાગ્યથી હણાયેલો એવો તે સુખી ન જ થયો. છતાં પણ જેવી રીતે જડબુદ્ધિવાળો સદ્ગુરુથી સારો કરાય એવી રીતે રાજાએ પણ તે ભિખારીને વિવિધ પ્રકારના દુષ્કર ઉપાયોથી કોઈ પણ રીતે સારો કર્યો. અથવા પ્રયત્નથી શું નથી થતું ? અર્થાત્ બધું જ થાય છે. પોતે કરેલા કાર્ય ઉપર રાજા ખુશ થયે છતે અહંકારથી જેણે હુંકાર કર્યો છે એવો તે દ્રમક જાણે દુર્ભાગ્યથી પ્રેરણા કરાયેલો ન હોય એમ વિષવૈદ્યના ઘરે ગયો. અને ત્યાં અનેક પ્રકારના વિષના સંયોગથી બનાવેલું એક વિષમ પ્રકારનું વિષ તેના જોવામાં આવ્યું. અને બુદ્ધિ વગરના તેણે તરત તે વિષને સુંધ્યું. અહો ! ઘ્રાણેન્દ્રિયની પણ પરવશતા ! સુંઘતા એવા તેને વૈધે રોક્યો અને કહ્યુંઃ હાય ! હાય ! તેં આ શું કર્યું ? કારણ કે— વિચાર્યા વિના જે કાર્ય કરવામાં આવે છે તે મરણ સુધીના દુઃખોનું કારણ બને છે. (૫૦) હૃદયમાં ધ્રાસકો પડવાથી ભિખારીએ પણ કહ્યું કે— અત્યંત સુગંધી વસ્તુ મેં સુંધી છે. તો પછી અનર્થ થતું હોય અને નિવારણ કરવામાં આવે તે રીતે મને શા માટે નિવારણ કરવામાં આવે છે ? વૈદ્યે પણ કહ્યું કે, તીવ્ર વિપાકના ગૌરવવાળા વિષથી એટલે કે અતિભારી વિપાકવાળા આ વિષથી આ જન્મમાં તો તારા સુખનો સન્યાસ થયો. અર્થાત્ આ ભવમાં તને સુખની પ્રાપ્તિ નહીં થાય. પાંચે ઈન્દ્રિયના વિષયોમાંથી એક પણ વિષય હવે તારે સુખ માટે સેવવા યોગ્ય નથી. જો તું તે વિષયને સેવીશ તો તરત તારું મૃત્યુ થશે. તેથી ૧. વિસૂચિકા—– અજીર્ણનો એક પ્રકાર છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy