________________
આચારપ્રદીપ
હોય તે જ બહાર આવે છે. તેઓએ કહ્યું કે જો આ રાજા હમણા મરી જાય તો આપણે બંને પુત્ર વિનાના આ રાજાના સમગ્ર સામ્રાજ્યનો પરિભોગ સુખેથી આનંદપૂર્વક કરીએ. રાજ્યમાં આપણને કોણ નહીં માને ? અર્થાત્ સર્વે પણ માનશે જ. જે નહીં માને તેને જલદીથી મારી નાખીને આપણે રાજ્ય કરશું. કારણ કે નવા રાજાની આ જ રીતિ છે. (૩૦) કદાચ રાજ્ય લેવા માટે આપણે સમર્થ ન થઈએ તો સર્વધન લૂંટશું અને રાજાની રાણીઓનો તથા નગરની સારી સારી સ્ત્રીઓનો પરિભોગ સ્વેચ્છાએ કરશું. તેથી રાજા જો તરત સ્વયં જ મરતો હોય તો સારું જ છે અને નહીં મરે તો આપણે મારી નાખશું. કારણ કે અત્યંતર વિહારીને (= રાજમંદિરની અંદર પણ રોક ટોક વિના જનારને) શું દુઃસાધ્ય છે ? અર્થાત્ કંઈ દુઃસાધ્ય નથી. કુબુદ્ધિવાળા પાપી એવા તે બંનેનો આવા પ્રકારનો પાપને વધારનારો આલાપ સાંભળીને અતિ દુઃખે કરી સાંભળી શકાય એવો પણ તે ગુપ્ત આલાપ ગુપ્તચર પુરુષોએ રાજાને સંભળાવ્યો. પ્રકોપથી ધમધમાયમાન થતાં સંપૂર્ણ નીતિવાળા તે રાજાએ તરત જ તે બેનો નિગ્રહ કર્યો. કારણ કે— દુર્જનોનું તર્જન કરવું અને સજ્જનોનું પૂજન કરવું એ રાજાઓને ઉચિત છે.
તે
८
જેણે પરીક્ષાને પ્રાપ્ત કરી છે અર્થાત્ જેણે પરીક્ષા કરી છે એવા રાજાએ સર્વત્ર મહિનાં દુઃહમ્ એ ત્રીજા પાદની પરીક્ષા કરવા માટે જન્મથી જ દારિદ્રથી બળેલા એવા એક વરાકડા દ્રમકને (= ભિખારીને) બોલાવ્યો. વળી તે ભિખારી કેવો હતો તે બતાવે છે- ભિક્ષાર્ને ગ્રહણ કરવા યોગ્ય એક ભાંગેલા-તૂટેલા ઠીકરાને હાથમાં ધારણ કરેલું હતું. ગોદડી જેવા વસ્ત્રના ટુકડાને શરીર પર ધારણ કરેલું હતું. લાકડીના ટેકાનો જેણે આધાર લીધો હતો. ચાલતા જેની ગતિ સ્ખલના પામતી હતી, શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું. આવા ભિખારીને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે— મનોવાંછિત શરીરઅવ્યંજન', મર્દન, ઉર્તન, વસ્ત્ર, ભોજન, આચ્છાદન, શય્યા, આસન આદિથી હું તને સુખી કરીશ. તું મારી પાસે સુખેથી રહે અને મનુષ્યસંબંધી સંપૂર્ણસુખને ભોગવ. ભિખારીના વેષને છોડી.દે અને સારી રીતે શ્રેષ્ઠીના વેશને ધારણ કર. ભાગ્યને પણ વિધુરિતવૃત્તિવાળો કરીને અર્થાત્ ભાગ્યને પણ બાયલો કરીને હું તને પૃથ્વીનો રાજા બનાવીશ અથવા તો કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયે છતે શું દુષ્પ્રાપ્ય છે, અર્થાત્ કઈં પણ દુષ્પ્રાપ્ય નથી. આ રીતે સારી રીતે કહેવાયેલો હોવા છતાં પણ અને સદા માટે મુક્ત કરેલો હોવા છતાં પણ તે ભિખારી જરા પણ વિશ્વાસ કરતો નથી.
મિથ્યાત્વી જેવી રીતે મિથ્યાત્વને ન છોડે તેવી રીતે તે પોતાના ભિખારીના વેષને છોડતો નથી. જ્યારે બળાત્કારે તે વેષ છોડાવવામાં આવ્યો ત્યારે કુટ્ટાયેલાની જેમ જોરજોરથી રડવા
૧. અવ્યંજન— ચંદન-તેલ આદિથી શરીરનું વિલેપન કરવું.
૨. મર્દન– શરીરને દબાવવું.
૩. ઉર્તન– શરીરને ચોળવું.