SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર आज्ञाभङ्गो नरेन्द्राणां, महतां मानखण्डना । वृत्तिच्छेदो द्विजातीना-मशस्त्रो वध उच्चते ॥ १६ ॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, મોટા માણસોના માનનું ખંડન કરવું, બ્રાહ્મણોની આજીવિકાનો છેદ કરવો. આ શસ્ત્ર વિનાનો વધ કહેવાય છે. આ પ્રમાણે હોતે છતે પણ અર્થાત આપણો વધ થાય તો થવા દો પણ જગતને જીવાડનાર આ રાજા લાંબા કાળ સુધી જીવો. અન્ય સામાન્ય માણસનું પણ ખરાબ ઈચ્છવા યોગ્ય નથી તો પછી રાજાની તો શું વાત કરવી? આપણી આ પરિસ્થિતિ આપણા પોતાના દુષ્કર્મથી જ થયેલી છે, આમાં આ રાજાનો કોઈ પણ દોષ નથી. જો આપણા દુષ્કર્મનો દોષ ન હોય તો દક્ષ એવો પણ આ રાજા પરીક્ષા કર્યા વિના જ આવું કેમ કરે ? તેથી કહ્યું છે કે सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥ १९ ॥ સર્વ જીવ પૂર્વે કરેલા કર્મોના ફળને પામે છે. અપરાધમાં કે ગુણમાં બીજો તો માત્ર નિમિત્ત બને છે. • જ્યારે કર્મ બલવાન હોય છે ત્યારે મર્મ સ્થાનમાં ક્યાંયથી પણ અણચિંતવ્યો ઘા લાગે છે. આ સ્થળે પ્રાણનું રક્ષણ કરનાર કોઈ હોતું નથી, કોઈ આધાર પણ હોતું નથી અને કોઈ વિચાર પણ આવતો નથી. તેથી આપણા બંનેનું આપણા પોતાના કર્મના વશથી જે થવાનું હોય તે થાઓ. પરંતુ આ રાજા સાજ-નરવો થાવ એટલે બધું જ થયું. આ પ્રમાણેનો તે પિતાપુત્રનો વાર્તાલાપ ગુપ્તચર પુરુષોએ રાજાને નમસ્કાર કરીને જે પ્રમાણે થયો હતો તે પ્રમાણે સ્પષ્ટવાણીથી જણાવ્યો અને રાજા આ સાંભળી આનંદ પામ્યો. પુષ્ટપ્રતિભાવાળો, ખૂશ થયેલો, ક્ષણવારમાં પોતાના શરીરનું નિરોગીપણું પ્રગટ કરતો રાજા ઘણા બહુમાનને પ્રગટ કરવાપૂર્વક પિતા-પુત્રને પોતાની પાસે બોલાવીને મેં પરીક્ષા કરવા માટે આવું કર્યું હતું એમ કાર્યની પરંપરાને જણાવીને સારી બુદ્ધિવાળા તેણે પિતા-પુત્રને સત્કાર કરીને રજા આપી. પિતા-પુત્ર ખુશ થયા. આ બધું સત્યકૃતિનું ફળ છે. સુભાષિત શ્લોકના પહેલા સર્વત્ર જુધિયઃ સન્તઃ એ પદના અર્થની રાજાએ આ પ્રમાણે પરીક્ષા કરી. તરત બીજા સર્વત્ર વાલિય: મધમાટ એ પદની પરીક્ષા કરવા માટે રાજાએ તૈયારી કરી. પછી નીચપ્રકૃતિવાળા કોઈક પિતા-પુત્રને ખોટા બહુમાનથી મંત્રી વગેરેને પણ માન્ય અને સન્માન કરવા યોગ્ય બનાવ્યા અને પૂર્વની જેમ જ રાજાએ ખોટા તીવ્રરોગને પ્રકાશિત કરીને કદાચ પોતાની અંતિમ સ્થિતિ છે એવું પોતાના ગુપ્તચરો દ્વારા તે પિતા-પુત્રને સંભળાવ્યું. ગુપ્તચર પુરુષો એકાંતમાં આ પ્રમાણે સંભળાવે છે ત્યારે નીચ પ્રકૃતિવાળા તે બંનેએ પોતાની પ્રકૃતિને ઉચિત પરસ્પર આ પ્રમાણે કહ્યું કારણ કે- જે અંદર
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy