SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર સંતતિ વિનાના માનતા, ધ્રુજારીપૂર્ણ હૃદયવાળા અમને અદ્ભૂત શુભ ભાગ્યના યોગથી “જગતજનને આનંદ ક૨ના૨ી, સુંદર સર્વ અંગોનો સંગ કરનારા સદ્લક્ષણરૂપી કલ્પવૃક્ષ માટે નંદનવન સમાન, ત્રણેય જગતની સ્ત્રીઓને સ્પૃહા કરવા યોગ્ય, અસાધારણ રૂપ, શોભા, સૌભાગ્ય આદિ સમસ્ત પ્રકૃષ્ટ ગુણગણરૂપી મણિને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ખાણ સમાન, જાણે સાક્ષાત્ લક્ષ્મી ન હોય એવી શાંતિમતિ નામની પુત્રી ઉત્પન્ન થઇ. ત્રણે લોકમાં ચડિયાતા સુંદ૨ નિર્મલ પાણીથી ઉલ્લાસિત થતી ગંગા નદીની જેમ ક્રમે કરી વૃદ્ધિ પામતી, લીલાથી પણ જાણ્યો છે સકલ કલાના સમૂહને જેણીએ, સ્વભાવથી પણ વસંત સમયમાં ખીલેલા રસાલ આમ્રવૃક્ષની મંજરીના રસાસ્વાદથી ઉન્મત્ત થયેલી બાલ કોયલની જેમ અતિમધુર આલાપવાળી એવી તે કન્યા અતિ ઉન્માદિત કરેલા છે ત્રણ ભુવનના જનને જેણે એવા નવા યૌવનને પામી. તેણીના અનુરૂપ વરની ચિંતાયુક્ત મનવાળા મારા વડે આરાધાયેલી પ્રજ્ઞપ્તિ વિદ્યાની અધિષ્ઠાયકા દેવી પૂછાઇ કે, હે સ્વામિનિ ! અનુરૂપ રૂપ, લાવણ્ય આદિ શ્રેષ્ઠ ગુણોથી ગૌરવ કરવામાં તત્પર એવો કોણ આ કન્યાનો વર થશે ? અને નિપુત્ર (=પુત્ર વિનાના) મારી આ સામ્રાજ્યરૂપી સંપત્તિને સારી રીતે આપવાપણાનો કોણ સ્વીકાર કરશે ? અર્થાત્ મારી આ સામ્રાજ્ય સંપત્તિને કોણ સ્વીકારશે ? તે દેવીએ પણ સ્પષ્ટ નિર્ણય કરીને કહ્યુંઃ જેમ કે હમણાં અહીં જેવી રીતે તેજનું ઉત્પત્તિ સ્થાન સૂર્ય છે અને જલનું ઉત્પત્તિ સ્થાન સમુદ્ર છે તેવી રીતે શ્રી મણિમંદિરનગરના અધિપતિ મણિશેખર રાજાનો પુત્ર સર્વથી ચડિયાતી સર્વગુણ સંપત્તિનું ઉત્પત્તિ સ્થાન છે. અને ત્રણ ભુવનના અદ્ભૂત ભાગ્યનું ધામ એવો અરુણદેવ નામનો તે જ રાજપુત્ર સમગ્ર ગુણોથી અસાધારણ એવી તારી કન્યાને અને રાજયલક્ષ્મીને અનુરૂપ વ૨૫ણે=સ્વામી પણે ઉચિત છે. બંને રીતે પણ કુવલયને ઉલ્લાસિત કરવામાં નિષ્ણાત અર્થાત્ કુવલય એટલે રાત્રિ વિકાસી કમળને ઉલ્લાસિત ક૨વામાં નિષ્ણાત એવી ચાંદનીનો પતિ થવા માટે અને કુવલય એટલે પૃથ્વીવલયને ઉલ્લાસિત કરવામાં નિષ્ણાત એવી અજવાળી રાત્રીનો પતિ થવા માટે પૂનમની રાત્રીના (સાર્વભૌમ્ય=) ચંદ્રને છોડીની બીજો કોણ યોગ્ય છે ? અર્થાત્ બીજો કોઇ યોગ્ય નથી. ૧૮૫ તે કુમાર સ્વચ્છંદતાથી વિચરતો લક્ષ્મીદેવીએ બનાવેલા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં આવેલો છે. અને તે કુમારે સુસ્થાનના લોભથી ક્યાંય પણ જતી મણિમંદિરનગરના ઉદ્યાનમાં હિંડોળા ઉપર હિંચકા ખાતી કન્યા જોઇ. અને કન્યાએ પણ નવા ઉત્પન્ન થયેલા અનુરાગથી ઉલ્લસિત થતા રોમાંચવાળા કુમારને જોયો. અને ત્યારે જ જેની કલ્પના પણ કરી ન હતી એવો, યમરાજ જેવો પૂર્વે પણ આ કન્યાનો અભિલાષી, નાટ્યોન્મત્ત વિદ્યાધરનો ભાઇ વિઘોન્મત્ત નામનો વિદ્યાધર ક્યાંયથી પણ ત્યાં આવ્યો. અને માત્સર્ય અને કપટવૃત્તિથી અરુણદેવ કુમારનું હરણ કરવાની ઇચ્છાવાળું તેનું મન છે એ પ્રમાણે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy