SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ આચાપ્રદીપ દૂરથી જ આવતા એવા તેની આશંકા કરીને ચતુર એવી કન્યા દેવતાની જેમ અદશ્ય થઈને તત્કાલ જ ભાગીને અહીં આવી. અતુલ બળના સારવાળા કુમારે પણ અનેક પ્રકારની વિદ્યાથી ઉન્મત્ત થયેલા એવા પણ વિદ્યોન્મત્ત વિદ્યાધરને લીલાથી જ જીતી લીધો. ઇત્યાદિ પ્રજ્ઞપ્તિ વિદ્યાના અધિષ્ઠાયક દેવતા વડે કહેવાયેલા સકલ વ્યતિકરથી હું વગેરે સર્વજન પણ ચમત્કાર પામ્યા અને આનંદિત થયા. તેથી અમે ત્યાં આવીએ ત્યાં સુધી અનુગ્રહ કરીને ત્યાં જ તારે પ્રતીક્ષા કરવા યોગ્ય છે. જેથી વિલંબ વિના જ તૈયાર થઈને ત્યાં આવીને પણ ચિંતિત મનોરથને સફળ કરીએ. હે આર્ય ! આ વિષયને મનથી દઢ રીતે અવધારણ કરવું... તિ મદ્રમાં આ પ્રમાણે લેખમાં લખેલું વાંચીને પરમપ્રીતિથી પુલકિત સર્વ અંગવાળો અરુણદેવ “એક અવસર ઉપર બીજો અવસર આવી પડ્યો' એ પ્રમાણે માનતો જેવી રીતેં મોરલો. નવા મેઘના આગમન માર્ગને જોતો રહે તે રીતે તે વિદ્યાધરશેખરના આવવાના માર્ગને જોતો ત્યાં જ રહે છે. અને પોતાના આડંબરને પ્રગટ કરવા માટે પાસે રહેલા ખેચર પાસે અતિશ્રેષ્ઠ, સાત માળવાળું, મણિમય ધવલ મંદિર અને વિવાહ મહોત્સવ માટે સમગ્ર સામગ્રીથી યુક્ત મોટું શ્રેષ્ઠ મણિમંડપ કરાવે છે. બીજા દિવસે સૂર્યોદય સમયે વજવેગ વિદ્યાધર રાજા જાણે પ્રત્યક્ષ ઇન્દ્ર ન હોય તેમ અનેક વિમાન આદિ વિભૂતિઓથી વિભૂષિત થયેલો હજારો વિદ્યાધર અને વિદ્યાધરીઓથી પરિવરેલો કન્યાને લઈને આવ્યો. અને અતિશય હર્ષથી પૂર્ણ તે વિદ્યાધર રાજાએ નવા પ્રેમરસથી પૂર્ણ એવા વધૂવરનો મોટો વિવાહ મહોત્સવ કર્યો. અને કરમોચનના અવસરે કુમારને સર્વપ્રકારની સારભૂત સમૃદ્ધિથી યુક્ત એવું પોતાનું રાજ્ય આપ્યું. ત્યાર પછી શ્રેષ્ઠ વિભૂતિથી તે કુમારને રથનેપુર નગરમાં પ્રવેશ કરાવ્યો. અને સઘળાય વિદ્યાધરોએ કુમારનો વર્યાપનક વગેરે અતિઅપૂર્વ મહોત્સવ કર્યો. ત્યાર પછી ઉતાર્યો છે રાજયની ચિંતાનો ભાર જેણે એવો અને ગ્રહણ કરેલું છે નિરવઘચારિત્ર જેણે એવો વજવંગ વિદ્યાધર રાજા ક્રમે કરીને મુક્તિને પામ્યો. આ બાજુ કુમારે રોહિણી પ્રજ્ઞમિ વગેરે સર્વ પણ વિદ્યાઓ સાધી. અને જાણે પૂર્વે આરાધન કરાયેલી ન હોય તેમ અપૂર્વ પુણ્યના સંયોગથી જલદીથી જ તે વિદ્યાઓ સિદ્ધ થઈ. ત્યાર પછી સિદ્ધ થયેલી હજાર વિદ્યાના બળથી બળવાન થયેલો અપ્રતિકતપ્રસરવાળા ચક્રવર્તીના ચક્રની જેમ પોતાના ચતુરંગ સૈન્યના સમૂહને લઈને તે કુમાર પૂર્વે પોતાને કૂવામાં નાખવું વગેરે અનર્થને કરનારા નાટ્યોન્મત્ત વિદ્યાધર તરફ ચાલ્યો. કારણ કે, उपकारोऽपकारश्च, यस्य व्रजति विस्मृतिम् । पाषाणसुहृदस्तस्य, जीवतीत्यभिधा मुधा ॥१॥
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy