SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ પણ ત્યાં ક્યાંય પણ તે કુમારને નહીં જોતી વિયોગને પામેલી ચક્રવાકીની જેમ દુઃખાતુર થયેલી તે કુમારીએ કહ્યું કે, હા ! વિશ્વના સારરૂપ તે કુમાર અહીં કેમ દેખાતો નથી ? શું પ્રજ્ઞપ્તિ વિદ્યાએ પણ કહેલું ખોટું થશે ? અથવા તો અપુણ્યવાળી=પાપી એવી મારા તેવા પ્રકારના પુણ્યો ક્યાંથી હોય ? કે જે પુણ્યોથી જેવી રીતે ભમરી કલ્પવૃક્ષની શ્રેષ્ઠ માળાને પ્રાપ્ત કરે તેવી રીતે હું તે વરને કોઇ પણ રીતે પ્રાપ્ત કરું ? કારેલાના વેલાને કલ્પવૃક્ષનો સંગમ સંભવતો નથી. નિસાસા નાંખતી જાણે મૂર્છા પામી ન હોય તેમ તે કન્યા ભૂમિ ઉપર ઢળી પડી. ૧૮૪ ત્યાર પછી કરી છે પરીક્ષા જેણે એવો ચતુર તે કુમાર ‘અહાહા ! મારા નિમિત્તે આ આવા પ્રકારની અવસ્થાવાળી થઇ' એ પ્રમાણે જાણીને તરત પ્રત્યક્ષ કલ્પવૃક્ષની જેમ પ્રત્યક્ષ થયો. ત્યાર પછી મૂર્તિમાન પોતાના પુણ્યની જેમ તેને જોઇને વિસ્મય અને હર્ષથી પ્રતિપૂર્ણ થયેલી, લજ્જા અને વિભ્રમ વગેરે વિવિધ હજારો વિકારોથી વ્યાપ્ત થયેલી વિદ્યાધરેન્દ્રની કન્યા વડે દૃષ્ટિના વિભ્રમથી સંકેત કરાયેલી દાસીએ નજીકમાં આવીને રાજપુત્રને આ પ્રમાણે વિનંતી કરી કે, હે કુમાર ! ત્રણ- ભુવનજન આધાર ! જ્યાં સુધી રથનેપુરનગરમાંથી વજ્રવેગ વિદ્યાધર રાજા આવે ત્યાં સુધી કૃપા કરીને અહીં જ રહેવું. આ પ્રમાણે કહીને જાણે પ્રત્યક્ષ દેહવાળો અતિ સ્નેહ ન હોય એમ એક લેખ અર્પણ કરીને અને કુમારીએ આપેલી વરમાળાને કુમારના કંઠમાં સ્થાપન કરીને કુમારી સહિત તે દાસી પોતાના નગરમાં ગઇ. ત્યાર પછી વિસ્મય અને આનંદથી પૂર્ણ એવા કુમારે પ્રશસ્ત પુસ્તકની જેમ તરત જ ઉઘાડીને વિદ્યાધર રાજાનો તે લેખ વાચ્યો. તે આ પ્રમાણે– સ્વસ્તિ... પ્રશસ્ત સમસ્ત વસ્તુના વિસ્તારથી સાગર સમાન રથનેપુર નગરથી પોતાની વિશાળ સામ્રાજ્યની સમૃદ્ધિના ઉત્કર્ષથી ઇર્ષ્યાનું સ્થાન કરાયો છે ઇન્દ્ર જેના વડે એવો શ્રી વજ્રવેગ વિદ્યાધર રાજા... ત્રણ જગતમાં ચડિયાતાં પ્રસિદ્ધ રૂપ, પરાક્રમ આદિ સમસ્ત ગુણ રૂપ અતુલ ફળ માટે કલ્પવૃક્ષ સમાન, મણિમંદિર નગરના અધીશ્વર શ્રી મણિશેખર નામના રાજાના શ્રેષ્ઠ પુત્રને સ્નેહપૂર્વક આલિંગન કરીને બહુમાનપૂર્વક આમંત્રણ આપે છે. જેમ કે શ્રી દેવ-ગુરુ-ગોત્રના પવિત્ર મંત્રના સ્મરણથી વશ કરાયેલી અતુલ સામગ્રી કલ્યાણરૂપી સ્ત્રીનું આલિંગન કરવા વડે સકલ પરિવારથી સહિત મને કૃતાર્થ કરે છે. સઘળીય જગ્યાએ દીપતા, શુભ ભાવવાળા તમારે પણ પોતાના સ્થિતિ, સ્થાન આદિને કહેનારી, પ્રાતઃ સમયની પ્રભાની જેમ સ્વામીના ઉદયને કહેનારી, સર્વ લોકોના આનંદના અતિશયને પ્રકાશિત કરનારી કુશળ વાર્તા વિસ્તાર કરવા યોગ્ય છે. અર્થાત્ તમારે પણ ખબરઅંતર જણાવવા યોગ્ય છે. ાર્યં શ્વ— વિશેષ જણાવવાનું કે, સર્વ રીતે અભ્યુદયવાળા હોવા છતાં પણ નિત્ય
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy