________________
ત્રી પ્રકાશ-ચારિત્રાચાર
૧૮૩
હિંડોળા ઉપર બેઠેલી, નવયૌવન ઉપર આરૂઢ થયેલી તે કુમારીએ મારું મનરૂપી ધન હરી લીધું. ચોરટીની જેમ તે જ ક્ષણે નાશી ગયેલી તે કુમારીની હજી સુધી પણ ક્યાંય પણ પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ નથી. ઇત્યાદિ કુમાર જેટલામાં ચિંતાતુર થયો, તેટલામાં સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને તેને કહ્યું કે, ભો! મહાભાગ! અપૂર્વ સુંદર કાવ્યની યુક્તિવાળી ભક્તિથી હું અતિશય સંતુષ્ટ થઈ છું. તેથી અનેક પ્રકારની ઋદ્ધિથી સંપન્ન, વિદ્વાન જનપદની વધતી ઋદ્ધિથી ગર્વિત થયેલા, વૈતાઢય પર્વતની પૃથ્વી રૂપ રમણીનું જાણે મણિનું નેપુર ન હોય એવા રથનેપુર નામના મહાનગરના અધિપતિ વજવંગ વિદ્યાધર રાજાની વિશ્વમાં ચડિયાતા રૂપ વગેરે ગુણો રૂપ સંપત્તિવાળી શાંતિમતિ નામની કે જે ભમરા વડે ખીલેલી પુષ્પની માળા જોવાય તે રીતે ત્યારે અભિલાષપૂર્વક તારા વડે જોવાઈ હતી તે કન્યા મારા વડે તને અપાઈ. સરસ્વતીની અમૃતની વૃષ્ટિ સમાન આ વાણીથી તે કુમાર ખુશ થયો. તે કન્યા હમણાં ક્યાં છે? ત્યારે તે ત્યાં કેમ આવી હતી? સરસ્વતી વડે અપાયેલી હોવા છતાં પણ કલ્પવેલડીની જેમ દુર્લભ દર્શનવાળી તેણીને મારે કેવી રીતે મેળવવી? ઇત્યાદિ ચિંતામાં જેટલામાં પ્રવેશ્યો તેટલામાં સોનાની સુંદર છડી હાથમાં ઝાલી છે એવી સાહસિક દાસીથી યુક્ત, દિવ્ય વિમાનમાં આરૂઢ થયેલી જાણે કુમારના પૂર્વના સંપૂર્ણ પુણ્યનો મૂર્તિમાન તેજ ન હોય તેમ શાંતિમતી કન્યા ત્યાં આવી. અહીં શ્લોક છે–
अहो ! पुण्णस्स संजोगो, कोऽवि कप्पदुमोवमो ।
जाओ अतक्कणिज्जोऽवि, तीसे जोगो इमस्स जं ॥१॥ અહો ! પુણ્યનો કોઇ પણ સંયોગ કલ્પવૃક્ષ જેવો છે. કારણ કે કુમારને જેની કલ્પના પણ ન કરી હોય એવો પણ તે કન્યાનો સંયોગ થયો.
जं जहा चिंति कज्जं, तं तहा जस्स सिज्झइ ।
कयउन्नो इमो नूणं, अन्नो अकयपुन्नओ ॥१॥ જે કાર્ય જે પ્રમાણે વિચારેલું હોય તે કાર્ય તેને તે પ્રમાણે સિદ્ધ થાય તો તે કૃતપુણ્ય છે અને તે કાર્ય જેને તે પ્રમાણે સિદ્ધ ન થાય તે અમૃતપુણ્ય છે.
ત્યાર પછી વાદળા વિનાની વૃષ્ટિની જેમ તેણીના દર્શનથી વિસ્મિત અને હર્ષિત હૃદયવાળો, રાજપુત્ર આ કન્યા અહીં શા માટે આવી છે? અહીં શું કરે છે? મને જરાય યાદ કરે છે કે નહીં? એ પ્રમાણે જોવા માટે નજીકમાં રહેલા વિદ્યાધરની વિદ્યાશક્તિથી તે બંનેની (વિદ્યાધર અને તેની પત્નીની) સાથે તે કુમાર દેવની જેમ ઝટપટ અદશ્ય થઈ ગયો. અને આ બાજુ પૂજાના બહાનાથી જિનમંદિરમાં વિધિપૂર્વક પ્રવેશેલી જિનપૂજામાં