________________
ત્રીજો પ્રકાશ-ચારિત્રાચાર
बलवानप्यशक्तोऽसौ, धनवानपि निर्धनः । श्रुतवानपि मूर्खश्च, यो धर्म्मविमुखों नरः ॥ १॥
૧૬૯
જે નર ધર્મથી વિમુખ છે તે બળવાન હોય તો પણ અશક્ત છે. ધનવાન હોય તો પણ નિર્ધન છે, શ્રુતવાન હોય તો પણ મૂર્ખ છે.
સઘળાય વૈદ્યો એકાંતે ખરાબ છે એવું નથી. કારણ કે જે વૈદ્યો નિત્ય પણ સદ્ધર્મ કાર્યમાં નિરત છે, ક્રૂડ, કપટ, આદિ કુકર્મોથી અટકેલા છે, અલ્પ લોભાદિ દોષવાળા છે, ઘણા સંતોષને ગ્રહણ કરનારા છે, સર્વત્ર પરોપકાર માટે પ્રવૃત્તિ કરનારા છે, સમ્યક્ત્વાદિ સુશ્રાવકના ગુણવાળા છે. તેવા કેટલાક કેટલાક વૈદ્યો પૂજ્યોને પણ પૂજ્ય છે. ખરેખર તેઓ પ્રથમ તીર્થંકરનો જીવ જીવાનંદ વૈદ્યની જેમ મહાસામર્થ્યવાળા નિરવધ=નિર્દોષ વૈદ્યકર્મથી પણ સમગ્ર સુખ (=મોક્ષસુખ)ના ભાગી થાય છે. તેથી હે મહાનુભાગ ! તું પણ સારી રીતે ધર્મમાં રતિ કર. બીજાને ઠગવા આદિમાં જે પ્રીતિ છે તેનો ત્યાગ કર. હૃદયમાં સંતોષને ધારણ ક૨. અન્યાયથી અર્જિત કરેલા દોષમાં પોતાની લક્ષ્મીનું આરોપણ
ન કર.
ધાર્મિક જન ઉ૫૨ બહુમાન લાવ=ધારણ કર. વૈદ્યપણાના અભિમાનનો ત્યાગ કર. વીતરાગ દેવની આરાધના કર, શુભગુરુની સેવા કર. દીન આદિ લોકો વિષે અનુકંપા ક૨, જેથી સંસારના દુ:ખોથી ક્યારે પણ ધ્રુજારી ન પામે. બધી જગ્યાએ પરોપકારની બુદ્ધિને ધારણ કર. જેથી જલદીથી કર્મવિશુદ્ધિને પામીશ. શક્તિ મુજબ સમ્યક્ત્વ મૂળ શ્રાવક ધર્મ રૂપ કલ્પવૃક્ષનું પાલન કર. જેથી શાશ્વત સુખ સ્વરૂપ મોક્ષને મેળવીશ. ઇત્યાદિ વિવિધ ઉક્તિ અને યુક્તિથી વિશેષ એવો સુગુરુનો ઉપદેશ સાંભળીને નિપુણ હોવાના કારણે ધર્મ જ તત્ત્વ છે એ પ્રમાણે ચિત્તમાં જાણીને હું શક્તિ પ્રમાણે ધર્મનું આચરણ કરીશ એ પ્રમાણે બોલતો, ઘણા પ્રકારના ઠગવા આદિ પોતાના દુષ્ચરિત્રથી સંભાવના કરાતા દુર્ગતિના દુઃખોથી કંપતો, સાધુઓની સાધુતાની શ્રદ્ધા કરતો, વિશેષથી ઉપદેશ આપનારા તે સાધુ ઉપર બહુમાનને ધારણ કરતો, તે વૈદ્ય પોતાના ભવનમાં આવ્યો. અને તે જ ક્ષણે લોભના મહારસથી અને પૂર્વના અભ્યાસના વશથી પૂર્વની રીતે જ વ્યવહાર કરવા લાગ્યો અને ચારે બાજુથી ફૂટ કપટ આદિથી પરધનને હરણ કરવા લાગ્યો.
અહીં શ્લોકો અહો ! લોભનો એવો કોઇ પણ મહાન મહિમા છે કે જેથી તે તે જ ક્ષણે તેવા પ્રકારનો થઇ ગયો. અથવા તો આમાં શું આશ્ચર્ય છે ? મનની અંદર પ્રાપ્ત થયેલો લોભ અગ્નિની જેમ સાધુના પણ સર્વસ્વને બાળી નાખે છે. કારણ કે લોભ સર્વવિનાશ કરનારો છે. તીક્ષ્ણ એવા બાહ્યલોભથી પણ તત્ક્ષણે જીવનું જીવિત નાશ પામે