SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આચારપ્રદીપ છે. તેથી હિતાર્થીએ તે લોભનો જરા પણ વિશ્વાસ ન કરવો. લોભરૂપી લૂંટારાએ ગુરુના ઉપદેશનું સર્વસ્વ લૂંટી લીધે છતે પણ ભાગ્યયોગથી બળવાન એવું આ ભાથું બચી ગયું. જેમ કે આ સાધુઓ સારા છે, માનનીય છે, એ પ્રમાણે વિચારતો એવો આ વૈદ્ય નિર્દય હોવા છતાં પણ ઔષધ વગેરેથી તે સાધુઓને ઠગતો નથી. અન્યત્ર=સાધુ સિવાયના સર્વત્ર=સર્વ સ્થળે ઠગવામાં રત અને ધનનો અર્થી છે. તેથી આર્તધ્યાનથી તે મર્યો. તેને શુભ ધ્યાન ક્યાંથી હોય? અર્થથી અને કાર્યથી પણ મહાકાલ નામના મહાવનમાં અતિ દુર્ધર એવો વાનર થયો. ત્યાં પણ સ્વચ્છંદી અને મહાબુધિપતિ એવો તે રાજાની જેમ સુખને માને છે. ખરેખર ! જીવોની આવી સ્થિતિ છે કે, જે જીવ જ્યાં ઉત્પન્ન થાય તે જીવ ત્યાં રતિ કરે છે. વિષ્ઠાનો કીડો વિઝામાં દુઃખ પામતો હોવા છતાં પણ વિઝાને છોડતો નથી. કોઈ વખત દુ:ખે કરી પાર કરી શકાય એવા તે મહાવનમાં પરિભ્રષ્ટ થયેલા ગજેન્દ્રના સમૂહની જેમ સમેતશિખર તીર્થ યાત્રાર્થી સંઘના સાર્થમાંથી પરિભ્રષ્ટ થયેલો અર્થાત્ ભૂલો પડેલો, છૂટો પડેલો એક મુનીન્દ્રનો સમૂહ પ્રવેશ્યો. તેથી અનર્થના ભવન મહાગહન તે વનમાં વિચરતા એક સાધુના પગતલમાં અણધાર્યો જાણે લોઢાનો કાંટો ના હોય એવો તીક્ષ્ણ અને કઠણ કાંટો ભાંગ્યો. તેથી કાંટો લાગવાથી ઉત્પન્ન થયેલી ઘણી વેદનાથી આક્રાંત થયેલા, એક પગલું પણ ચાલવા માટે અસમર્થ થયેલા, બંને રીતે પણ સમયને જાણનારા અર્થાત્ સમય એટલે અવસરને જાણનારા અને સમય એટલે શાસ્ત્રને જાણનારા મહાસાહસિક તે સાધુ અન્ય સાધુઓને આ પ્રમાણે કહેવા લાગ્યા. ભો ! ભો! તપોધનો ! કાંટાની પીડાથી હું અત્યંત પીડા પામેલો છું. એક ડગલું પણ ચાલવા માટે સમર્થ નથી. તેથી તમે જલદી જ સંઘસાર્થની સાથે જાઓ. મારા નિમિત્તે અહીં રહેલા તમારું કંઈ પણ અધિક અહિત ન થાઓ. આથી તમે વિલંબ ન કરો. અને અહીં રહેલો હું શક્તિ પ્રમાણે શાસ્ત્રની યુક્તિથી આરાધના કરીશ. ઈત્યાદિ યુક્તિઓથી સંપન્ન તેણે તે મુનિઓને સમજાવ્યા. જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી એ પ્રમાણે નિશ્ચય કરીને તે મુનિસિંહને ખમાવીને દુઃખી હૃદયવાળા તેઓએ જેમ તેમ કરીને અર્થાત્ મન ન હોવા છતાં જે દિશામાં સંઘસાથે ગયો હતો તે દિશા તરફ વિહાર કર્યો. અને તે મુનિ એક અતિ મોટી નિર્દોષ શિલાતલ ઉપર જાણે ઉપાશ્રયમાં રહેતા ન હોય તેમ સ્થિતિ કરતા, અતિનિબિડ એવી પણ પોતાના પગની પીડાને નહીં ગણકારતા, મહાસત્ત્વશાળી, અતુલ્યસમતારસમાં આસક્ત થયેલા નિરંતર સંયમ યોગની આરાધના કરે છે. બીજા દિવસે તે વાનરાધિપતિનું જૂથ જાણે દુષ્ટહૃદયવાળો મહાભિલ્લનો સમૂહ ન હોય એમ ભમતું ભમતું ત્યાં આવ્યું. પૂર્વે નહીં જોએલા એવા તે સાધુને જોઈને મોટા
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy