SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ અહીં શ્રી નેમિજિનના નિવાર્ણ પછી આઠ હજાર વર્ષ પસાર થયે છતે શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થની યાત્રા માટે અભિગ્રહપૂર્વક પ્રયાણ કર્યું છે એવો અને રસ્તામાં દેવવડે કરાયેલા વિવિધ ઉપસર્ગોથી ક્ષોભ નહીં પામેલો, શ્રી ગિરનાર તીર્થમાં પૂર્વે બનાવેલું લેપ્યમય જિનબિંબ સ્નાત્રજલથી ગળી જતાં ખેદ પામેલો, સાઇઠ ઉપવાસ કરી આરાધેલી અંબા દેવીના આદેશથી પ્રાપ્ત થયેલી શ્રી બ્રહ્મેન્દ્ર દેવ વડે કરાયેલી વજ્રમય શ્રી નેમિજિનેશ્વરની પ્રતિમાને સ્થાપન કરનાર શ્રી રત્નશ્રાવક, છત્રીસ હજાર નવા શ્રી જિનમંદિર, નવાણું હજાર શ્રી જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર, સવા ક્રોડ શ્રી જિનબિંબને કરાવનાર શ્રી સંપ્રતિ રાજા, અઢાર દેશમાં અમારિ પ્રવર્તાવનાર, ચૌદસો નવા જિનમંદિર બનાવનાર, સોળ હજા૨ જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરાવનાર, સીત્તેર લાખ દ્રવ્ય સાધર્મિકોનો ક૨ મૂકનાર શ્રી કુમારપાલ રાજા, તેરસોચાર (૧૩૦૪) નવા જિન મંદિરો બનાવનાર, ત્રેવીસસો (૨૩૦૦) જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરાવનાર, સાતસો (૭૦૦) સત્રાગાર (=દાનશાળાઓ) પ્રવર્તાવના૨ ઇત્યાદિ અગણિત પુણ્યકીર્તન કરનાર શ્રી વસ્તુપાલ-તેજપાલ, શ્રી શત્રુંજય તીર્થમાં (ગિરનાર તીર્થમાં) છપ્પન ધડી સુવર્ણથી ઇન્દ્રમાલા પરિધાન કરનાર, બહોતેર હજાર ટંક દ્રવ્યનો ખર્ચ કરી શ્રી ધર્મઘોષ સૂરિનો પ્રવેશ ઉત્સવ કરનાર સજ્જન પેથડ. એક સો બાર (૧૧૨) દાનશાળા પ્રવર્તાવનાર સજ્જન જગડુ. ઇર્ત્યાદિ શ્રાવકોના દૃષ્ટાંતો સ્પષ્ટ રીતે જાણવા. આ પ્રમાણે પ્રભાવના નામનો દર્શનાચારનો આઠમો ભેદ કહ્યો. ૧૬૪ આ પ્રમાણે તપાગચ્છીય પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય પૂ.આ.શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિ વિરચિત આચારપ્રદીપમાં દર્શનાચાર નામનો બીજો પ્રકાશ પૂર્ણ થયો.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy