SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૬૩ (૧) અતિશેષિતર્દિ– બીજાઓ કરતા પરમ ઉત્કર્ષને પમાડેલી છે જંઘાચારણ, વિદ્યાચારણ, આશીવિષ, જલૌષધિ, અવધિ, મન:પર્યાય આદિ લબ્ધિરૂપ ઋદ્ધિઓ જેણે તે અતિશેષિતદ્ધિ. (૨) ધર્મકથી- વ્યાખ્યાન લબ્ધિવાળો. (૩) વાદી- પરવાદીને જીતનારો. (૪) આચાર્ય- (છત્રીસ છત્રીશી) બારસો છનું ગુણથી અલંકૃત. (૫) ક્ષપકવિકૃષ્ટ (=અઠ્ઠમ કે તેથી અધિક તપ કરનાર) તપસ્વી. (૬) નૈમિત્તિક– ત્રિકાળ જ્ઞાનને જાણનારો. (૭) વિદ્યાવાન– સિદ્ધ વિદ્યા-મંત્રવાળો. (૮) રાજગણસંમત– રાજા વગેરે લોકને વહાલો. આ બધા જિનશાસનની પ્રભાવના કરે છે. કાલ વગેરે વિષમ હોવાના કારણે પૂર્વે કહેલી સિદ્ધિઓનો અભાવ હોય તો પણ જિનશાસનને અતિશાયી કરનારું સર્વ પણ અનુષ્ઠાન પ્રભાવના રૂપે જાણવું. જેથી કહ્યું છે કે— इअ संपत्तिअभावे, जत्तापुआइ जणमणोरमणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ॥१॥[सम्यक्त्व सप्तति-३९) આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે– ના પૂર્વ કહેલી લબ્ધિઓના અભાવમાં, કારણ કે સર્વત્ર આ લબ્ધિઓનો સંભવ હોતો નથી. અને વિશેષ કરીને અતિશય વગરના આ કાળમાં શું કરવા યોગ્ય છે? તે કહે છે. યાત્રા– તીર્થોમાં ઉત્સવપૂર્વક સંઘની સાથે જવું, અથવા તો યુગપ્રધાન આદિને વંદન કરવા માટે મોટી ઋદ્ધિપૂર્વક સામે જવું. પૂજા– પુષ્પ વગેરેથી દેવની પૂજા કરવી અથવા ગુરુને વંદન વગેરે આપવું. આદિ શબ્દથી અભયદાન, સદાવ્રત દાનશાળા, અમારિપડહ વગડાવવો આદિ જાણવું. આવા પ્રકારનું દેવ, ગુરુ સંબંધી જનના મનને પ્રીતિ ઉત્પન્ન કરનારું ત્રિકરણ શુદ્ધિથી કરાયેલું સર્વ પણ અનુષ્ઠાન પ્રભાવના થાય છે, એ પ્રમાણે દર્શનસપ્તતિકા ગ્રંથની વૃત્તિમાં કહેલું છે. શ્રાવકો કેવી રીતે શાસન પ્રભાવક છે તે જણાવે છે– શ્રાવકો શ્રી તીર્થની યાત્રા કરે, જિનમંદિરનું નિર્માણ કરે, જિનની પ્રતિમા ઘડાવે, જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે, સદાવ્રતો=દાનશાળાઓ કરાવે, અમારિપડહની ઉદ્દઘોષણા કરાવે, શ્રી ગુરુ ભગવંતનો પ્રવેશ ઉત્સવ કરાવે, ઉત્સવપૂર્વક શ્રી બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરે, ઉત્સવપૂર્વક સમ્યક્ત્વ વગેરેનો સ્વીકાર કરે, સાધર્મિકવાત્સલ્ય કરે વગેરે વિવિધ પુણ્ય પ્રકારોથી શ્રી જિનશાસનની ઉન્નતિ કરનારા શ્રાવકો પ્રભાવક તરીકે જાણવા.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy