SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રકાશ - ચારિત્રાચાર હવે પ્રસ્તાવથી આવેલા ચારિત્રાચારનું વિવરણ કરાય છે. સાધુને સર્વવિરતિરૂપ ચારિત્ર જાણવું. શ્રાવકને દેશવિરતિ રૂપ ચારિત્ર જાણવું. જેથી કહ્યું છે કે, सर्वात्मना यतीन्द्राणा - मेतच्चारित्रमीरितम् । વૃત્તિધમાંનુાનાં, વેશતઃ ચારિામ્ ॥ ↑ "[યોગશા૦ પ્ર-? શ્નો-૪૬ ] આ‘ચારિત્ર સાધુઓને સર્વથી કહ્યું છે અને સાધુધર્મમાં રત એવા શ્રાવકોને આ ચારિત્ર દેશથી કહ્યું છે. ચારિત્ર આ લોક અને પરલોક એમ ઉભય લોકમાં સર્વથી ઉત્કૃષ્ટ ફળવાળું છે. કારણ કે, नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं, ★राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानाप्तिर्लोकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १ ॥ ચારિત્રમાં દુષ્કર્મનો પ્રયાસ કરવાનો નથી, કુયુવતિ, કુપુત્ર, કુસ્વામીના દુર્વાક્યોનું દુઃખ નથી, રાજા વગેરેને પ્રણામ કરવાનું નથી અને આહાર, વસ્ત્ર, ધન, સ્થાનની ચિંતા નથી જ. વળી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લોકમાં પૂજા થાય છે, પ્રશમ સુખમાં પ્રીતિ થાય છે અને પરલોકમાં મોક્ષ આદિની પ્રાપ્તિ થાય છે. આ બધા ગુણો સાધુપણામાં છે. તેથી હે સુમતિમાન પુરુષો ! તમે અહીં ચારિત્રમાં પ્રયત્ન કરો. કારણ કે ચારિત્ર નિવાર્ણનું અસાધારણ અને નિષ્ફળ ન જાય એવું બીજ છે. જેથી આગમમાં કહ્યું છે કે, जम्हा दंसणनाणा संपुन्नफलं न दिति पत्तेअं । चारित्तजुआ दिति उ, विसिस्सए तेण चारितं ॥ १ ॥ [ आवश्यक निर्युक्ति - ११८१] કારણ કે પ્રત્યેક એટલે કે જુદા જુદા દર્શન અને જ્ઞાન સંપૂર્ણ ફળને=મોક્ષને આપતા નથી. પરંતુ ચારિત્રથી યુક્ત એવા દર્શન-જ્ઞાન મોક્ષરૂપી ફળ આપે છે તેથી દર્શન-જ્ઞાનથી ચારિત્ર વિશેષ છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy