________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૫૩
બંધ થતા) માર્ગો નાશ પામે છતે પટવિદ્યાથી ઉત્તરાપથમાંથી સુકાળના કારણે સારા ઐશ્વર્યવાળી પુરી નામની નગરીમાં સંઘને પહોંચાડનારા શ્રી વજસ્વામીનું દષ્ટાંત છે. શ્રાવકના સાધર્મિક વાત્સલ્યમાં તો સંબંધ આ પ્રમાણે છે
વજકર્ણરાજાનું દૃષ્ટાંત ': દેવ, ગુરુ અને સાધર્મિકોને છોડીને બીજાને નમન નહીં કરું એ પ્રમાણે જેણે નિયમ કર્યો છે એવા દશપુર નગરના અધિપતિ વજકર્ણ રાજા મુદ્રિકામાં મૂકેલી અરિહંત પરમાત્માની મૂર્તિને પ્રણામ કરવાના બહાનાથી પોતાના સ્વામી માલવદેશના અધીશ્વર સિહોદર રાજાને સેવા કરવાના સમયે નમન કરે છે. ચાડીયાના કહેવાથી તે જાણીને તેનો નિગ્રહ કરવાની ઇચ્છાવાળા (રાજાને) ગણિકાની પ્રેરણાથી રાણીના મણિથી બનાવેલા કુંડલને ચોરવાં માટે પ્રવેશેલા શ્રાવકપુત્રે તે પ્રમાણે બોલતા ગુસ્સે થયેલા સિહોદર રાજાને જાણ્યો. ચોરી કરવાનું છોડીને સાધર્મિક ભક્તિથી દોડેલા તેણે તે હકીકત વજકર્ણ રાજાને જણાવી. વજકર્ણ રાજા પણ અવંતીનગરીમાંથી નાશીને પોતાના નગરમાં કિલ્લાની અંદર પ્રવેશ્યો. સિહોદર રાજાએ તેના નગરને ઘેરી લીધું. તે જાણીને સાધર્મિકવાત્સલ્યવાળા, વનવાસ માટે આવેલા શ્રીરામ વડે આદેશ કરાયેલા લક્ષ્મણે સિહોદર રાજાને જીતીને વજકર્ણ રાજાને અર્થે રાજય અપાવ્યું અને ચોરને મણિકુંડલ અપાવ્યું. આ પ્રમાણે સાધર્મિકવાત્સલ્ય નામનો દર્શનાચારનો સાતમો ભેદ કહ્યો.
પ્રભાવના દર્શાનાચાર શ્રી જિનશાસનને અત્યંત દેદીપ્યમાન કરવું તે પ્રભાવના. શ્રી જિનશાસનની પ્રભાવના કરનારા પ્રાવચનિક વગેરે આઠ છે. જેથી કહ્યું છે કે,
पावयणी १ धम्मकही २ वाई ३ नेमित्तिओ ४ तवस्सी अ५ । विज्जा ६ सिद्धो अ ७ कवी ८ अटेव पभावगा भणिआ ॥१॥
[સખ્યત્વે સંતતિ-રૂ૨] પ્રવચનિક, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રભાવકો કહ્યા છે.
- તેમાં શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્માસ્વામી વગેરે ખાવચનિકો છે. ગણિકાના ઘરે રહેલો, બાર વર્ષ સુધી દરરોજ દશ દશને પ્રતિબોધ કરનાર શ્રી નંદિષેણ, શ્રીમાન આમ રાજાને પ્રતિબોધ કરનારા શ્રી બપ્પભટ્ટ સૂરિ વગેરે ધર્મકથી છે. વૃદ્ધવાદી, મલ્લવાદી, ' વાદિવેતાલ શ્રી શાંતસૂરિ, વાદી દેવસૂરિ વાદીઓ છે.