SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આચારપ્રદીપ વાદી–તેમાં વૃદ્ધવાદી સૂરિનું સ્વરૂપ સિદ્ધસેન સૂરિના પ્રબંધમાં પૂર્વે કહેલું છે. અને મલવાદી સૂરિનો પ્રબંધ આ પ્રમાણે છે શ્રીમલ્સવાદી સૂરિનો પ્રબંધ ભરુચમાં વિતંડાવાદથી બૌદ્ધ વૃદ્ધાનંદ વડે જિતાએલા જિનાનંદ સૂરિ લજજાથી વલ્લભીપુરમાં ગયા. પોતાની બહેન દુર્લભદેવીને અજીતયશ, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત દીક્ષા અપાવી. ત્રણે પણ વિદ્વાન થયા. અને મલ્લ વિશેષ કરીને વિદ્વાન થયો. ત્યાર પછી પાંચમાં પૂર્વમાંથી ઉદ્ભત કરેલું અને અધિષ્ઠાયક દેવ સહિત એવું દ્વાદશાનિયચક્ર ગ્રંથ નામનું પુસ્તક કે જેના પ્રત્યેક આરા શરૂઆતમાં અને અંતમાં ચૈત્યપૂજા, ગુરુપૂજા અને સંઘપૂજા આદિ મહોત્સવપૂર્વક ભણવા યોગ્ય છે. ભંડારમાં રહેલું તે પુસ્તક કોઈને પણ બતાવવું નહીં એ પ્રમાણે દુર્લભ દેવી સાધ્વીને સારી રીતે ભળાવીને જિનાનંદ' , સૂરિ ગુરુએ બીજી જગ્યાએ વિહાર કર્યો. મલ્લ મુનિએ કૌતુકથી છૂપી રીતે તે પુસ્તકને કાઢીને જેટલામાં.. विधिनियमभवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥१॥ વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્ય શાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે તેથી વૈધર્મ છે અર્થાત્ અધર્મ જ છે. આ પ્રમાણેની પ્રથમ આર્યા વાંચી તેટલામાં તો શ્રુતદેવીએ તે પુસ્તક છીનવી લીધું. આથી મલ્લ મુનિ અત્યંત ખેદ પામ્યા. માતાએ અને સંઘે તેમને ઠપકો આપ્યો. હવે તે પુસ્તક પાછું મેળવવા માટે કેવલ વાલથી પારણું કરતા તે મલ્લ મુનિએ પર્વત ઉપર તપ કર્યો. ચાર મહિનાના પારણામાં સંઘે અતિ આગ્રહ કરીને તેમને વિગઈ ગ્રહણ કરાવી. ત્યારપછી સંઘ વડે આરાધન કરાયેલી શ્રુતદેવીએ મલ્લ મુનિની પરીક્ષા કરવા માટે રાત્રીએ, મિષ્ટ શું છે? એમ પૂછ્યું એટલે મલ્લ મુનિએ કહ્યું કે, વાલ મિષ્ટ છે. છ મહિનાને અંતે દેવીએ ફરી પૂછ્યું કે, કોની સાથે ? ગોળ અને ઘીની સાથે, અર્થાત્ ગોળ અને ઘીની સાથે વાલ મિષ્ટ છે, આ પ્રમાણે મલ્લ મુનિએ ઉત્તર આપ્યો એટલે તેની ધારણા શક્તિથી ખુશ થયેલી શ્રુતદેવીએ કહ્યું કે વર માગ. ત્યારે મલ્લ મુનિએ કહ્યું કે, મને નયચક્ર પુસ્તક આપ. ત્યારે દેવીએ કહ્યું કે, આ ગ્રંથમાં અર્થાત્ આ ગ્રંથ પ્રગટ કરવામાં સ્પષ્ટ રીતે શુદ્રદેવના ઉપદ્રવની શંકા છે. તેથી પહેલી આર્યાથી નવા નયચક્ર . ગ્રંથની રચના કર. તેથી તેણે દશ હજાર શ્લોક પ્રમાણ નવા નયચક્ર ગ્રંથની રચના કરી. પૂર્વે રચેલા ગ્રંથના અર્થની ઉક્તિથી સર્વને ઉપાદેય એવા તે નયચકવિવરણ ગ્રંથને શ્રી
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy