SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ परिभूआणं ताणं, नरिंदमाईहिं बंदिअकयाणं । मोआवणं कुणति अ, धन्ना जीविअधणेणावि ॥ ७ ॥ सीदंताणं च सुवित्तिजुंजणं चोअणं पमाईणं । साहम्मिआण धन्ना, कुणंति वच्छल्लबुद्धीए ॥ ८ ॥ सुहिसयणमाइ आणं, उवयरणं भवपबंधवुड्डिकरं । जिणधम्मपवन्नाणं, तं चिअ भवभंगमुवणेइ ॥ ९॥ आसंसाविरहाओ, संसारिअभावविगमओ चेव । वच्छल्लममुल्लं कित्तयंति साहम्मिअजणंमि ॥ १० ॥ આચારપ્રદીપ સંઘયણ, કાલ, બલ, વીર્યના પ્રકર્ષના અભાવથી સત્યોગી એવા પણ સુગીતાર્થોનો સંયમમાં ઉદ્યમ તરત જ નાશ પામે છે. (૧) તો પછી તત્કાલ જેણે દીક્ષાનો સ્વીકાર કર્યો છે એવા બાલયોગી સાધુઓની તો શું વાત કરવી ? નવા નવા ધર્મ પામેલા શ્રાવક અને શ્રાવિકાઓનો કદાચ ધર્મમાં ઉદ્યમ ન હોય. (૨) તો પણ તેઓનું પાન-ભોજન-ઔષધવસ્ત્ર વગેરે આપવા દ્વારા વાત્સલ્ય કરવું જોઇએ. અને વિશેષ કરીને વિકૃષ્ટ તપ (અક્રમ અને તેથી ઉપરનો તપ) કરનારાઓનું, બાલ આદિનું વાત્સલ્ય કરવું જોઇએ. (૩) ધર્મમાં અસ્થિર હોય તો વાત્સલ્યના કારણે જ ધર્મમાં સ્થિર થાય છે અને જેઓ ધર્મમાં પૂર્વે સ્થિર છે તેઓ ધર્મમાં અત્યંત સ્થિર થયેલા ધર્મમાં દૃઢ ઉદ્યમ કરે છે..(૪) વાત્સલ્ય કરવાથી વિભિન્ન દેશ અને વિભિન્ન જાતિવાળા હોવા છતાં પણ જિનશાસનને પામેલા જાણે એક કુટુંબમાં ઉત્પન્ન થયા ન હોય તેમ રહે છે એમ લોકમાં પણ સાધુવાદ (પ્રશંસા) થાય છે. (૫) તેઓને (શ્રાવક-શ્રાવિકાઓને) ઉત્સવ આદિમાં યાદ કરવા, ક્યાંય જોવાયા હોય તો તેઓ બોલાવે તે પહેલાં જ તેઓને બોલાવવા જોઇએ. તથા તેઓનો સર્વશક્તિથી વસ્ત્ર-પાન-ભોજન આદિથી સત્કાર કરવો જોઇએ. (૬) રાજા વગેરેથી બંદી કરાયેલા અને એથી પરાભવ પામેલા તેઓને ધન્ય પુરુષો પોતાના જીવિતરૂપ ધનથી પણ છોડાવવાનું કરે છે. અર્થાત્ પોતાના પ્રાણ આપીને પણ તેઓને છોડાવે છે. (૭) ધન્ય પુરુષો વાત્સલ્યની બુદ્ધિથી સીદાતા સાધર્મિકોને સારી આજીવિકામાં જોડી આપે છે અને પ્રમાદ કરતા સાધર્મિકોને પ્રેરણા કરે છે. (૮) સુખી અને સ્વજનની દેખભાળ કરવી તે સંસારના પ્રબંધને વધારનારું છે. જ્યારે જિનધર્મને પામેલાઓની દેખભાળ કરવી તે સંસારનો નાશ કરે છે. (૯) આસંશાથી રહિત અને સાંસારિક ભાવનાથી રહિત કરાયેલું સાધર્મિક જનનું વાત્સલ્ય અમૂલ્ય છે એમ પ્રશંસા કરાયેલું છે. (૧૦) અહીં સાધુના સાધર્મિકવાત્સલ્યમાં ભયંકર દુકાળના કારણે (લોકોની અવરજવર
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy