SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૪૯ આનંદ પામે છે અને પોતાના ઈષ્ટ કાર્યને કરે છે. આ પ્રમાણે લોકોત્તર શાસનમાં પણ દેવ, ગુરુ, શિષ્ય, સાધર્મિક વગેરે વિષે વિચારવું. આથી તપ, સ્વાધ્યાય, વિનય, વેયાવચ્ચ, ગુરુએ આદેશ કરેલું દુષ્કરકાર્ય, વિહાર, વાદીનો જય વગેરે ધર્મકાર્યોમાં ઉદ્યમવાળાઓની ધર્મભાવના વૃદ્ધિ પામે એટલા માટે ગુરુ વગેરેએ યથાયોગ્ય પ્રશંસા કરવી જોઈએ. જેથી કહ્યું છે કે, उववूहणमुववूहा पसंसणा सा गुणाण ते अ इमे । नाणाई नायव्वा निव्वाणपसाहगा परमा ॥१॥ ઉપબુહણા કે ઉપબૃહા કરવી તે પ્રશંસા છે. અર્થાતુ ઉપબૃહણા અને ઉપભ્રંહા પ્રશંસાના પર્યાયવાચી શબ્દો છે. તે પ્રશંસા ગુણોની કરવાની છે. અને તે ગુણો નિર્વાણ=મોક્ષને સાધનારા શ્રેષ્ઠ જ્ઞાનાદિ જાણવા. लहुअरगुणोऽवि सुगुणज्जणुज्जुओ जायए पसंसाए । भीरु वि होइ सूरो सुसामिसम्माणिओ समरे ॥ २ ॥ પ્રશંસાથી અલ્પ ગુણવાળો પુરુષ પણ સારા ગુણને ઉપાર્જન કરવામાં ઉદ્યમવાળો થાય છે. ડરપોક પણ સારા સ્વામીથી સન્માન કરાયેલો સંગ્રામમાં શૂરવીર થાય છે. संतावि जया न गुणा सलाहणं पाउणंति उचिअं पि । दुक्खज्जणेण हि तया करिज्ज को आयरं ताणं ? ॥ ३ ॥ વિદ્યમાન એવા પણ ગુણો જ્યારે ઉચિત પ્રશંસાને પામતા નથી ત્યારે દુઃખે કરી મેળવી શકાય તેવા ગુણોમાં કોણ આદર કરે ? • ता नाणाईविसए गुणलेसं जत्थ जित्तिअं पासे । उववूहिज्जा तत्थ उ तयंति सम्मंगमवगम्मं ॥ ४ ॥ તેથી જ્ઞાન આદિ સંબંધી અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી જ્યાં જેટલો ગુણનો લેસ જુએ. ત્યાં સમ્યકત્વનું અંગ છે એમ જાણીને તેની પણ ઉપબૃહણા કરે. जो पुण पमायओ दप्पओ अ उववूहणे न वट्टिज्जा । नासिज्ज अप्पणं मुणिजणं च सो रुद्दसूरिव्व ॥ ५ ॥ પ્રમાદથી અને દર્પથી જે ઉપબૃહણામાં વર્તતો નથી, અર્થાતુ ઉપબૃહણા કરતો નથી તે રુદ્રાચાર્યની જેમ પોતાનો અને મુનિજનનો નાશ કરે છે. રુદ્રાચાર્યનો વૃત્તાંત આ પ્રમાણે છે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy