SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ કે અન્યભવમાં પણ ફળ પ્રાપ્ત ન કર્યું. મહાન કાયક્લેશ થયો અને ભોજનનો અંતરાય થયો. અને આ પ્રમાણે દુર્ધ્યાનથી લાંબા કાળ સુધી સંસારમાં ભમ્યો. જ્યારે ગુરુના ઉપદેશમાં જ રત, દૃઢ આસ્થાવાળા દરરોજ જિનપૂજામાં રત એવા નજીકમાં રહેલા ગોવાળીયાએ છ મહિનામાં આ લોકમાં રાજ્યને પ્રાપ્ત કર્યું. અને પરલોકમાં સ્વર્ગ આદિ પ્રાપ્ત કર્યું. આથી નિર્વિચિકિત્સા કરવી જોઇએ. નિત્સંગિ...' ઇત્યાદિ ગાથા વગેરેમાં નિર્વિજુગુપ્સા એમ પાઠાંતર કહેલો હોવાથી નિર્વિચિકિત્સાના સ્થાને નિર્વિજુગુપ્સા પણ દર્શનાચારનો ત્રીજો ભેદ છે એમ કહે છે. ૧૪૮ તથા વિઃ એટલે સાધુઓ. મલથી મલિન થયેલા અંગવાળા અને મલથી મલિન થયેલા વસ્રવાળા સાધુઓની જુગુપ્સા કરવી તે વિજુગુપ્સ. વિજુગુપ્સથી રહિતપણું તે નિર્વિજુગુપ્સા. તેમાં પૂર્વભવમાં કાયોત્સર્ગમાં રહેલા મુનિની આંખમાંથી કાંટો દૂર કરવામાં ‘આ મલથી મલિન થયેલ છે' એમ અંગનો સંકોચ કરવાથી સંકુચિત કરેલો છે ઘણા પુણ્યનો સમૂહ જેણે એવો રાજા દૃષ્ટાંત છે. શંકા, કાંક્ષા અને વિચિકિત્સાની વિશેષ વ્યાંખ્યા વગેરે તો અમારી કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની ટીકામાંથી જાણવી. આ પ્રમાણે નિર્વિચિકિત્સા નામનો દર્શનાચારનો ત્રીજો ભેદ કહ્યો. અમૂઢદૃષ્ટિ દર્શનાચાર તથા દેવ, ગુરુ, ધર્મ વિષે અમૂઢદૃષ્ટિપણું કરવું જોઇએ. તેમાં મિથ્યાર્દષ્ટિઓના વિદ્યા, મંત્ર, તપ, પૂજા, પ્રભાવના આદિ જોવા છતાં પણ જેની દૃષ્ટિ મોહ પામતી નથી તે અમૂઢદૃષ્ટિ. અંબડ પરિવ્રાજક વડે પરીક્ષા કરાયેલી સુલસા વગેરેની જેમ અમૂઢદૃષ્ટિ કરવી જોઇએ. આ પ્રમાણે અમૂઢદૃષ્ટિ નામનો દર્શનાચારનો ચોથો ભેદ કહ્યો. ઉપબૃહણા દર્શનાચાર ઉપબૃહણા એટલે પ્રશંસા. પ્રાયઃ પ્રશંસાથી સર્વેનો સર્વકાળમાં નિર્વાહ થતો હોવાથી પ્રશંસા લોકમાં પણ અત્યંત ઘણાં ગુણવાળી છે. તે આ પ્રમાણે– પિતા, કાકા, ભાઇ, ભત્રીજો, પુત્ર, પૌત્ર, માતા, પુત્રી, બહેન, પત્ની, પુત્રવધૂ, મિત્ર, સ્વજન, પરિજન વગેરે તથા શ્રેષ્ઠી, વણિકપુત્ર, રાજપુરુષ, મોટી ઋદ્ધિવાળો વગેરે પણ પ્રશંસા કરાયેલા જ પ્રાયઃ વધતા ઉત્સાહવાળા પોતપોતાની સાધ્ય વિધિમાં સારી રીતે પ્રયત્ન કરે છે. રાજા વગેરે પણ ગીત, કવિતા વગેરેથી આનંદિત કરાયેલા જ કર્ણ, ભોજરાજા, વિક્રમાદિત્ય વગેરેની જેમ હજા૨, લાખ વગેરે આપે છે. દેવો પણ સ્તુતિ વગેરેથી પ્રશંસા કરાયેલા જ
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy