SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ આચારપ્રદીપ तस्यामेव हि जातौ, नरमुपहन्याद्विषं हुताशो वा । આસેવિતઃ પ્રમાણે, દયાન્તન્માન્તરશતાનિ ॥ ॥ વિષ અથવા તો અગ્નિ મનુષ્યને તે જન્મમાં જ મારે છે. જ્યારે સેવન કરાયેલો પ્રમાદ તો સેંકડો જન્માન્તરોમાં પણ મારે છે. તેથી અપ્રમત્તચિત્તથી નિરંતર વિસ્મરણ ન થાય તે રીતે જે રીતે સ્વીકાર્યો હોય તે રીતે જ પોતાના વ્રતધર્મને સારી રીતે આરાધવો જોઇએ. અને અતિ અલ્પ પણ અતિચારરૂપ મેલથી તે ધર્મને ક્યારે પણ બાધા ન પહોંચાડવી જોઇએ. આ પ્રમાણે ગૃહસ્થ એવા તારે પણ સુખપૂર્વક મોક્ષમાર્ગની સાધના કરવી જોઇએ. ઇત્યાદિ ગુરુએ આપેલી હિતશિક્ષા રૂપ અમૃતની વૃષ્ટિથી સંતુષ્ટ હૃદયવાળા રાજાએ પોતાના રાજમહેલમાં આવીને પરસ્પર વિરોધ ન આવે તે રીતે સર્વ પ્રકારે પરમ મિત્ર એવા કોકાશની સાથે ધર્મ-અર્થકામ એ ત્રણે પણ પુરુષાર્થને કૃતાર્થ કર્યા. આ પ્રમાણે માત્ર એક સુખમય અતિ ઘણો પુણ્યમય સમય પસાર થયે છતે એક દિવસ કોકાશ સહિત યશોદેવી નામની પટ્ટરાણીની સાથે ગરુડ ઉપર આરૂઢ થઇને કૌતુક જોવા આદિ માટે કોઇક દિશામાં પ્રસ્થાન કરવાની ઇચ્છાવાળા રાજાને મનમાં કરીને પૂર્વે પણ શોક્યનું બહુમાન જોવાથી અતિવૃદ્ધિ પામેલા ઇર્ષ્યાના ઉત્કર્ષવાળી, સ્ફૂરાયમાન થતા ક્રોધવાળી, કૃત્યા રાક્ષસી જેવી વિજયા નામની રાજાની બીજી પત્નીએ વિચાર્યું કે, જાણે વશ કરાયેલો ન હોય તેમ આ રાજા મહેશ્વર જેમ પાર્વતીને જ બોલાવે તેમ તે પોતાની સાથે યશોદેવીને જ બોલાવે છે. પરંતુ જાણે હું અનિષ્ટ ન હોઉં તેમ મને ક્યારે પણ બોલાવતો નથી. તેથી આજે તેવું કંઇક કરું કે જેથી રાજા પણ કરેલી મારી અવજ્ઞાના ફળને જાણે. આ પ્રમાણે સ્ત્રીસ્વભાવમાં સુલભ અકાર્ય કરવામાં પણ પોતાને કાર્યકારી માનતી એવી તુચ્છ ચિત્તવાળી તેણીએ છૂપી રીતે બીજા એક રથકારને બોલાવીને પાછા ફરવાની ચાવીના સ્થાને તેના જેવી જ બીજી ખોટી ચાવી કરાવી. અને જે ચાવીના પ્રયોગથી પાછા ફરીને પાછું અવાય તે ચાવીને ક્યાંય પણ સારી રીતે છૂપાવીને તેના સ્થાને ખોટી ચાવી કોઇ પણ જાતના વિઘ્ન વિના સ્થાપન કરી. કારણ કે, उन्मत्तप्रेमसंरम्भा-दारभन्ते यदङ्गनाः । તંત્ર પ્રભૂત્તમાયાતું, બ્રહ્માપિ જીતુ તિઃ ॥ ↑ II[ TÇશત-૭ ] સ્ત્રીઓ ઉન્મત્તથી, પ્રેમથી અને ક્રોધથી જે આરંભ કરે છે, તે કાર્યમાં વિઘ્ન કરવા માટે બ્રહ્મા પણ ખરેખર ! કાતર છે=બાયલો છે. અર્થાત્ બ્રહ્મા પણ તે કાર્યમાં વિઘ્ન કરી શકતો નથી.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy