SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૩ ત્યાર પછી ઉત્સુક વૃત્તિથી અર્થાત્ જવાની ઉત્સુકતા હોવાના કારણે ચાવી બદલાઈ ગઈ છે એવું જેણે નથી જાણ્યું એવા કોકાશની સાથે પૂર્વની જેમ જ પટ્ટરાણી સહિત ગરુડ ઉપર આરૂઢ થયેલો રાજા આકાશ માર્ગે કોઇક દિશા તરફ ચાલ્યો. નવા નવા કૌતુકો જોવા, નવા નવા સાચા, ખોટા લોક અપવાદને સાંભળવા, કુતૂહલ કરવા આદિમાં આક્ષિત મનવાળો રાજા જેટલામાં થોડા જ કાળમાં ઘણો માર્ગ ઓળંગ્યો તેટલામાં દિગ્વિરતિવ્રતનો નિયમ જેને સ્મૃતિપથમાં આવ્યો છે એવા તે રાજાએ સંભ્રમપૂર્વક કોકાશને પૂછ્યું, હે પ્રિય મિત્ર! આટલા સમયમાં આપણે કેટલું આવ્યા? અનેક ચિહ્નોને જાણવામાં નિષ્ણાત તે તે ચિહ્નો જોવા વગેરેથી નિર્ણય કરીને તેણે પણ રાજાને જવાબ આપ્યો કે, હે સ્વામિનું ! આટલા સમયમાં આપે બસો યોજન પસાર કર્યા. કરવત જેવા તે વચનથી પીડા પામેલી ચિત્તવૃત્તિવાળા રાજાએ કહ્યું, હે હે ! આ ગરુડને વિલંબ વિના પાછો વાળ, પાછો વાળ. અને શોક કરવા લાગ્યો કે, હા ! હા ! મહાન આકુળતાની પ્રેરણાથી વિલંબ વિના મહાપાપનો સંગ્રહ કરેલા મનવાળા એવા મારા નિયમનો કામકુંભની જેમ ફોગટ જ ભંગ થયો. જીવની ઉપયોગ વિનાના વ્યાપારવાળી મહા અનર્થની પ્રવૃત્તિને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. ઓ હો ! હો ! પ્રકૃત્તિથી મૂઢ એવી જીવની મૂઢતા તો જુઓ ! અધધ ! કુતૂહલના આકર્ષણથી થયેલા પ્રમાદથી કુતૂહલ પ્રિય એવા જીવના પોતાના હિતકારી કાર્યનો પણ ફોગટ જ નાશ થાય છે. જાણે કે સર્વસ્વ ચાલ્યું ગયું ન હોય તેની જેમ રાજા હા ! હા! અતિ મોટા એવા પણ સંસારમાં ક્યારે પણ પ્રાપ્ત નહિ કરેલા, વર્તમાન કાળે અસાધારણ તથા ભવ્યત્વના પરિપાકના પ્રકર્ષથી પ્રાપ્ત થયેલા અતિશય નિર્મળ એવા પણ ધર્મરૂપી રત્નને મલિન કરવું ઈત્યાદિ ઘણો શોક કરે છતે અતિ વેગવાળા મહાન વહાણની જેમ અતિ વેગવાળા ગરુડની ગતિના વેગને ઉદ્વેગપૂર્વક કોઈ પણ રીતે રોકીને પાછો વાળવા માટે કેટલામાં ચાવીને હાથમાં ગ્રહણ કરે છે, તેટલામાં આ બીજી ચાવી છે એવો નિશ્ચય કરીને ચિંતાયુક્ત મનવાળા કોકાશે રાજાને કહ્યું કે, હે દેવ ! દુર્ભાગ્યવશથી દુષ્ટ એવા કોઈએ પણ ચાવીનું પરાવર્તન કર્યું છે. અર્થાતુ ચાવી બદલી નાખી છે. નક્કી આ ચાવી મારી બનાવેલી નથી અને આકાશગમનશક્તિ વિના આકાશમાં જઈ ન શકાય તેમ મારી બનાવેલી ચાવી વિના આ ગરુડ પાછો જવા માટે સમર્થ નથી. હે રાજનું ! હવે એક જ ઉપાય છે કે જો આગળ જ નજીકમાં દેખાતા નગરમાં જઈએ અને ત્યાં કોઈક રથકારના ઘરે હું નવી ચાવી બનાવું અને તે ચાવીના પ્રયોગથી વિઘ્ન વિના ફરી પાછુ ગમન થાય. જો એ પ્રમાણે ન કરીએ તો નક્કી જ જીવિતનો પણ સંશય કરનારો ભૂપતન આદિ અનર્થ થશે. કુવૈદ્ય કહેલા મુખે મીઠા અને પરિણામે દુષ્ટ એવા ઔષધની જેમ કોકાશ આ
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy