SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર ૧૨૧ અને તે ધર્મ સાધુધર્મ અને શ્રાવકધર્મના ભેદથી બે પ્રકારનો છે. ઇત્યાદિ વિસ્તારપૂર્વક ધર્મદેશનાથી પ્રતિબોધ પામેલા મનવાળા રાજાએ પોતાની શ્રદ્ધાથી સમ્યકત્વમૂળ શ્રાવકના બાર વ્રતોનો શક્તિ પ્રમાણે સ્વીકાર કર્યો અને કોકાશે કરેલા સાન્નિધ્યથી એક દિવસમાં પણ ઘણા સેંકડો યોજન જવા માટે સમર્થ હોવા છતાં પણ વિવેકી એવા તેણે તે વ્રતોમાં દિગ્વિરતિ વ્રતમાં પ્રત્યેક દિવસે સો યોજનથી આગળ જવાનો નિયમ કર્યો, અર્થાત્ સો યોજનથી આગળ ન જવું એ પ્રમાણે નિયમ કર્યો અને સુશ્રાવકધર્મ સમ્યક્ વાસનાપૂર્વક સ્વીકારવા માત્રથી જ તેણે માત્રાતીત પુરાણી પણ દુષ્કર્મ રૂ૫ રજને સમાવી અને સ્વભાવથી પણ મોટા એવા ગુરુએ તેવા પ્રકારના ધર્મને સ્વીકાર કરનારા રાજાની શિવના માથે દીપતી મોટી ગંગા નદીના પાણીના પૂરનું અનુસરણ કરતી વાણીના વિસ્તારથી ઉપબૃહણા=પ્રશંસા કરી. કારણ કે ઉપબૃહણા ધર્મરૂપી લક્ષ્મીને સ્થિર કરવામાં મૂળ વિનાનો મંત્ર છે, દોરડા વિનાની સાંકળ છે અને પ્રબળ નિયંત્રણ છે. આથી જ આ ઉપબૃહણા દર્શનાચારનું અંગ છે એમ તત્ત્વના જાણનારા પુરુષો કહે છે. કહ્યું છે કે निस्संकिअ १ निक्कंखिअ २ निव्वितिगिच्छा ३ अमूढदिट्ठी अ ४ । ૩વવૂદ fથરીવરાજે ૬ વચ્છ ૭ પમાવો ૮ અ I ? [માણ-૬૪] - નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિતિગિચ્છ, અમૂઢદષ્ટિ, ઉપવૃંહણ, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ પ્રકારનો દર્શનાચાર છે. અર્થાત્ આ આઠ દર્શનાચારના અંગો છે. ( નિઃશંકિત ઈત્યાદિ ગાથાથી આઠ પ્રકારનો દર્શનાચાર બતાવ્યો છે અને તેમાં ઉપબૃહણા પણ બતાવી છે. આ પ્રમાણે રાજાની ઉપબૃહણા કરીને અત્યંત ધર્મરંગને ધારણ કરનારા રાજાને જગત ઉપર એકમાત્ર વાત્સલ્યવાળા શ્રી ઉત્તમગુરુએ કહ્યું કે, હે ! મહાભાગ્યશાળી ! ચિંતિત અને આપનારા એવા પણ ચિંતામણિ રત્નને ગ્રહણ કરવા માત્રથી જ સફળતા નથી પરંતુ વિધિપૂર્વક આરાધવાથી જ સફળતા છે. એવી રીતે ધર્મને પણ ગ્રહણ કરવા માત્રથી જ સફળતા નથી પણ વિધિપૂર્વક આરાધવાથી જ સફળતા છે અને જીવ પ્રાયઃ ઘણો પ્રમાદવાળો હોય છે. તેમાં પણ મહારાજય આદિ ઘણી વ્યાકૂળતાનો સંગ હોય ત્યારે વિશેષ કરીને પ્રમાદવાળો હોય છે અને ઘણા પ્રયત્નથી સંગ્રહ કરેલા, ધન આદિ દ્રવ્યરૂપ અને ધર્મ આદિ ભાવરૂપ એમ બંને પ્રકારના સારભૂત દ્રવ્યનો લીલા માત્રમાં જ સંહાર કરનારો હોવાના કારણે પ્રમાદ આ લોકમાં અને પરલોકમાં પણ અત્યંત અનર્થને આપનારો છે. જેથી કહ્યું છે કે
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy