SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આચારપ્રદીપ આ ચૌદેય રત્નો દરેક એક એક હજાર યક્ષોથી અધિષ્ઠિત છે, આ ચૌદ રત્નોમાંથી સેનાપતિ વગેરે સાત રત્નો પંચેન્દ્રિય છે અને ચક્ર વગેરે સાત રત્નો પૃથ્વીના પરિણામરૂપ એકેન્દ્રિય છે. આ પ્રમાણે ચૌદ રત્નોનું સ્વરૂપ જણાવ્યું. સોળ હજાર યક્ષો ચક્રીની સેવા કરનારા છે, તેમાં ચૌદેય રત્નોના દરેકના એક એક હજાર અને ચક્રીના બંને ખભા ઉપર એક એક હજાર એમ સોળ હજાર યક્ષો સેવા કરનારા છે, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ ચક્રીના સેવકો છે, ચોસઠ હજાર રાણીઓ છે, એક લાખ અઠાવીસ હજાર વારાંગનાઓ છે, બત્રીસ હજાર દેશો છે, બહુતેર હજાર મહાનગરો છે, અડતાલી હજાર પત્તનો છે, નવાણું હજાર દ્રોણમુખો છે, છત્રીસ હજાર વેલાકૂલો છે, ચૌદ હજાર જલમાર્ગો છે, એકવીસ હજાર સન્નિવેશો છે, બત્રીસ હજાર મહાનગરીઓ છે, સોળ હજાર રાજધાનીઓ છે, સોળ હજાર ખેટો છે, ચોવીસ હજાર મડંબો છે, સોળ હજાર કર્મટો છે, ચૌદ હજાર સંબોધનો છે, સોળ હજાર રત્નોની ખાણો છે, નવાણું હજાર સુવર્ણ વગેરેની ખાણો છે, વીસ હજાર સામાન્ય ખાણો છે, સોળ હજાર દ્વીપો છે, છપ્પન અંતરદ્વીપો છે, છનું ક્રોડ ગામો છે, ઓગણપચાસ હજાર ઉદ્યાનો છે, ઓગણપચાસ કરાયો છે, સોળ હજાર મ્લેચ્છ. રાજયો છે, ચોર્યાસી લાખ હાથીઓ છે, ચોર્યાસી લાખ ઘોડાઓ છે, ચોર્યાસી લાખ રથો છે, છસ્ ક્રોડપાગીઓ છે, સર્વ સૈન્યમાં અઢાર ક્રોડ ઘોડાઓ, ચૌદ હજાર મંત્રીઓ, એંસી હજાર પંડિતો, ચોરાસી હજાર કોટવાળો, ચોરાસી હજાર સુથારો, ત્રણ ક્રોડ અધિકારીઓ, સાત ક્રોડ કૌટુંબિકો છે. ચક્રવર્તીના ભોજન માટે જ ત્રણસોને સાઈઠ રસોઇયા છે. તે સિવાયના તો. છત્રીસ ક્રોડ રસોઇયા છે. છત્રીસ ક્રોડ આભરણોને ધારણ કરનારા, ચોસઠ હજાર કલ્યાણ અને મહાકલ્યાણને કરનારા, છત્રીસ ક્રોડ અંગમર્દકો, ત્રણ લાખ શસ્ત્રધારકો, પાંચ લાખ દીપિકા (મશાલ) ધારકો, ત્રણ ક્રોડ (વીણા વગેરે) વાજીંત્રો (વગાડનારા), ચોરાસી લાખ (ભેરી વગેરે) નિઃસ્વાનો (વગાડનારા), દશ ક્રોડપતાકાઓ (ધારણ કરનાર), બત્રીસ હજાર બત્રીસપાત્રબદ્ધ નાટકો, ત્રણ લાખ ભોજનશાળાઓ, બત્રીસ ક્રોડકુલો, એક કરોડ ગોકુળો, ત્રણ ક્રોડ હળો, અઢાર શ્રેણિઓ, અઢાર પ્રશ્રેણિઓ, શ્રેષ્ઠી, સાર્થવાહ, કૌટુંબિક, મહત્તર, અંગરક્ષક, સ્થગિધર=તાંબૂલપાત્ર ધારણ કરનાર, કાવિત્ત, અંતઃપુરનું રક્ષણ કરનાર, મલ્લ, મહામલ્લ, પ્રતીહાર ( દ્વારપાળ), મહાવત, ઘોડેશ્વાર, સારથી, કથા કરનાર, નૃત્ય કરનાર, દૂત વગેરે અનેક ક્રોડ હોય છે. ગંગા અને સિંધુ બે દેવીઓ, ખંડપ્રપાત અને તમિસ્રા નામની ગુફાની બે દેવીઓ, માગધ, વરદામ, પ્રભાસ એ ત્રણ તીર્થના દેવો, હિમવગિરિ, ઋષભકૂટના અધિષ્ઠાયક દેવો આ બધી ચક્રવર્તીની ઋદ્ધિ છે. આ પ્રમાણે ચક્રવર્તીની ઋદ્ધિનું સ્વરૂપ પૂર્ણ થયું.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy