________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
દરરોજ આ પ્રમાણે અપૂર્વ, અપૂર્વતર સરસ રસમાં તર, અતિ અદ્ભૂત હજારો ઐતિહાસિક પ્રબંધો સાંભળવાથી અદ્વૈત આનંદ અને વિસ્મયથી પુરાયેલા હૃદયના અંતરાલવાળા રાજાએ ચતુર એવા કોકાશને પ્રશ્ન પૂછ્યો કે, હે મહાભાગ ! આટલા પ્રકારના તે તે તીર્થના મહિમા વગેરેને તેં કેવી રીતે જાણ્યું ? તેણે પણ કહ્યું કે, હે દેવ! શ્રીમદ્ જૈન શ્રુતરૂપ મહાન જંગલનું અવગાહન કરવામાં સિંહ સમાન ગીતાર્થ યતીન્દ્ર પાસેથી સોપાર નગરમાં રહેતા મેં મહા આદરથી આ બધું પણ સાંભળ્યું છે. ખરેખર ! સાધુની સેવાથી પ્રાપ્ત થતો સંગ ભવિષ્યના કુશલ સંપર્ક માટે પ્રબળ (કારણ) છે.
सेवा देवादीनामपि, चिरकालेन फलवती भवति । तत्कालमेव सद्गुरुसेवा तु सुपर्वलतिकेव ॥ १॥
૧૧૯
દેવ વગેરેની પણ સેવા લાંબાકાળે ફળવાળી થાય છે. પરંતુ સદ્ગુરુની સેવા કલ્પવેલડીની જેમ તત્કાળે જ ફળે છે.
તેથી કહ્યું છે કે—
सेविज्जइ, सीहगुहा, पाविज्जइ मुत्तिआ य गयदंते । નંનુઅષરે અ તમરૂ, વુદંડ મ્મદંડું વા | શ્ ॥
સિંહ (જેમાં રહેતા હોય એવી) ગુફાની સેવા કરવામાં આવે તો મોતીઓ અને હાથીદાંત પ્રાપ્ત થાય છે. પણ શિયાળના ઘરની સેવા કરવામાં આવે તો ખૂરના ટુકડા અથવા ચામડાના ટુકડા મળે છે.
આ પ્રમાણે સાધુના ગુણના વર્ણનને બે કાનથી સાંભળીને વિદ્વાન એવા રાજાએ પણ જૈન સાધુઓ વિષે અક્ષય નિધાનની જેમ અતિદુર્લભ છતાં ભવિષ્યમાં શુભ એવા અમાપ બહુમાનને જ વહન કર્યું. કારણ કે સંગતિના વશથી અચેતનોને (જડ વસ્તુઓને) પણ તેવા પ્રકારનો પરિણામ થાય છે તો પછી સચેતનોની તો શું વાત કરવી ?
કહ્યું છે કે—
एके भेजुर्यतिकरगतास्तुम्बका: पात्रलीलां, गायन्त्यन्ये सरसमधुरं, शुद्धवंशे विलग्नाः ।
एके केचिद्ग्रथितसुगुणा, दुस्तरं तारयन्ति, તેષાં મધ્યે વૃતિતનૃત્યા, રમન્યે વિન્તિ ॥ ॥
સાધુના હાથમાં આવેલા કેટલાક તુંબડાઓ પાત્રની લીલાને ભજે છે=ધારણ કરે