SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રકાશ-દર્શનાચાર બાર યોજન વિસ્તારવાળું, વૈતાઢ્ય પર્વતના ઉત્તર ભાગમાં રહેનારા મ્લેચ્છોના દબાણથી મેઘકુમારોએ વર્ષાવેલી પ્રકૃષ્ટ પાણીની ધારાને નિવારણ કરનારું, નવાણું હજાર સોનાના સળીયાઓથી ગૂંથાયેલું, સોનાના પ્રચંડ દંડથી શોભતું, બસ્તિસ્થાને (જ્યાં સળીયા ભેગા થાય તે સ્થળે) પાંજરાથી શોભતું, અર્જુન નામના શ્રેષ્ઠ પીળા સુવર્ણથી જેનો પૃષ્ઠનો ભાગ ઢંકાયેલો છે એવું, સૂર્યનો તાપ, પવન, વૃષ્ટિ આદિ દોષને નાશ કરનારું છે. ચર્મરત્ન બે હાથ પ્રમાણ છે, વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશામાં રહેનારા મ્લેચ્છોએ કરાવેલી ઘણી મેઘવૃષ્ટિ વખતે સ્વામીના હાથના સ્પર્શથી બાર યોજન વિસ્તારવાળું થયેલું, પાણીમાં રહેલું, ઉપર છત્રરત્નથી ઢંકાયેલું, ચક્રીની સેનાના સઘળાય લોકોનું પૃથ્વીની જેમ આધારભૂત, સવારે વાવેલા અને બપોર પછી તૈયાર થતા શાલિ વગેરેનું ઉત્પત્તિનું કારણ, અર્થાત્ ચર્મરત્ન ઉપર શાલિ વગેરે સવારે વાવવામાં આવે તો બપોર પછી ધાન્ય તૈયાર થઇ જાય છે આવું ચર્મરત્ન છે. ૧૧૭ મણિરત્ન ચાર અંગુલ લાંબુ છે, બે અંગુલ પહોળું છે. વૈસૂર્યરત્નનું બનેલું છે, ત્રણ ખૂણાવાળું છે, છ વિભાગવાળું=છ પાસાવાળું છે. છત્રના તુંબ સ્થળે અને હાથીના સ્કંધ ઉપર રહેલું બાર યોજન સુધી પ્રકાશ કરે છે, ક્ષુદ્ર ઉપદ્રવનો નાશ કરે છે, હાથમાં રહેલું હોય તો (જે હૉંથમાં ધારણ કરે તે) અવસ્થિત યૌવનવાળો અને અવસ્થિત કેશ અને નખવાળો થાય છે. કાકિણીરત્ન આઠ સૌવર્ણિક છે, ચાર અંગુલનું છે, સમચોરસ છે, સર્વ પ્રકારના વિષનો નાશ કરનારું છે, તમિસ્રા અને ખંડપ્રપાતા નામની ગુફામાં બાર યોજન સુધી અંધકારનો નાશ કરનારું છે. ચક્રીએ રાત્રિના સમયે સૈન્યની વચ્ચે મૂકેલું હોય ત્યારે સૂર્યની જેમ પ્રકાશ કરનારું છે, ચક્રી જ્યારે તમિસ્રા ગુફામાંથી પસાર થાય છે ત્યાંરે તમિસ્રાગુફામાં પૂર્વ દિશાની ભીંત ઉપર અને પશ્ચિમ દિશાની ભીંત ઉ૫૨ એક યોજનને આંતરે પાંચસો ધનુષ લાંબા પહોળા, એક યોજન સુધી પ્રકાશ કરનારા, ચક્રની ધરી આકારના ગોળ, ગોમૂત્રિકાના ક્રમથી એક ભીંત ઉપર પચીસ અને બીજી ભીંત ઉ૫૨ ચોવીસ એ પ્રમાણે ઓગણપચાસ માંડલા ખડીની જેમ સુખેથી લખી શકાય એવા તે કાકિણી રત્નથી આલેખતો ચક્રી ભરતક્ષેત્રના બીજા અર્ધા ભાગનો દિગ્વિજય કરવા માટે જાય છે. જ્યાં સુધી ચક્રવર્તી (જીવતો) હોય ત્યાં સુધી તે માંડલાઓ રહે છે. અને ગુફા પણ ત્યાં સુધી જ ખુલ્લી રહે છે. આ જ પ્રમાણે ખંડપ્રપાતા ગુફામાં પણ જાણવું. ખડ્ગરત્ન બન્નીશ અંગુલ પ્રમાણ છે. સંગ્રામમાં અપ્રતિહત શક્તિવાળું છે. દંડરત્ન રત્નમય છે, પાંચ ધારવાળું છે, વજ્ર જેવું છે, વામ પ્રમાણ છે, શત્રુસૈન્યને વિશેષ ત્રાસ કરનારું છે, વિષમ અને ઉન્નત ભૂમિ ભાગને સરખું કરનારું છે, શાંતિને કરનારું છે, મનોરથને પૂરનારું છે, સર્વત્ર પણ અપ્રતિહત છે, એક યોજન સુધી નીચે પૃથ્વીમાં પ્રવેશ કરે છે.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy