________________
૧૧૬
આચારપ્રદીપ
ગાથા-૧૦માં શિલાઃ એટલે સ્ફટિક વગેરે.
ગાથા-૧૧માં આવરળાનાં એટલે ઢાલ વગેરે, યુદ્ધનીતિ એટલે વ્યૂહરચના વગેરે, ૨૬નીતિ એટલે સામ આદિ ચાર પ્રકારની નીતિ.
ગાથા-૧૨માં સુનિતાફ઼ાનામ્ એટલે વાજીંત્રો. આ બધાની ઉત્પત્તિ કહેવાય છે. આ પૂર્વે કહેલા બધા પણ પદાર્થો નવે ય નિધિમાં સાક્ષાત્ ઉત્પન્ન થાય છે એમ બીજા કહે છે
ગાથા-૧૩માં આઠ ચક્રો ઉ૫૨ અવસ્થાન છે જેઓનું તે અષ્ટશ્ર્વપ્રતિષ્ઠાના: પ્રાકૃત હોવાના કારણે અષ્ટ શબ્દ પાછળ આવેલો છે. આઠ યોજન ઊંચાઇ છે જેની તે અશ્વેત્સેથા: પેટીના સંસ્થાને રહેલી હંમેશા ગંગાના મુખે રહેલી ભરતક્ષેત્રના વિજય પછી ચક્રવર્તીની સાથે પાતાલ માર્ગે થઇને ચક્રવર્તીના નગરમાં જનારી.
ગાથા-૧૪માં વૈસૂર્ય અને મણિના કપાટ છે જેમાં તે વૈસૂર્યમળિ પાટા:. ચંદ્ર, સૂર્ય, ચક્ર આકારવાળા ચિહ્નો છે જેમાં તે શશિસૂરlક્ષળા: પ્રાકૃત હોવાના કારણે નક્ પ્રત્યયનો લોપ થયો છે. અર્થાત્ પ્રથમા બહુવચનના પ્રત્યયનો લોપ થયો છે. એટલે કે નક્ષળા ના બદલે નક્ષળ થયું છે. અનુરૂપ સમાન વદનની=દ્વારની ઉત્પત્તિ ઘડાઇ છે જેઓની તે અનુસમવનો૫૫ત્તય:.
ગાથા-૧૫માં આવાસા એટલે આશ્રય, આધિપત્યાય એટલે આધિપત્ય માટે ન ખરીદી શકાય તેવી. આધિપત્ય વેચાતું મળતું નથી એમ કહેવાનો ભાવ છે. આ પ્રમાણે નવ નિધિનું સ્વરૂપ પૂર્ણ થયું.
સેનાપતિ વગેરે ચૌદ રત્નો છે. તેમાં સેનાપતિ ગંગા અને સિંધુ નદીના સામા કિનારાને વિજય કરવામાં સમર્થ છે. અને શત્રુઓથી ન હણી શકાય એવી શક્તિવાળો છે. ગૃહપતિ– ગૃહને ઉચિત એવા શાલિ વગેરે સર્વ ધાન્યો, ફળો, શાકભાજીને તત્કાળ જ ઉત્પન્ન કરનાર છે. અને પ્રસંગે ચક્રવર્તીના સકળ સૈન્યને પૂરુ કરનાર છે. પુરોહિત સર્વ ક્ષુદ્ર ઉપદ્રવોની શાંતિ કરનાર છે. હાથી અને ઘોડો પ્રકૃષ્ટ વેગ અને પરાક્રમવાળા છે. વર્ધકી અવસરે તરત જ ચક્રવર્તીના સમગ્ર સૈન્ય માટે પણ જોત જોતામાં ભવન બનાવવા વગેરે કાર્ય કરવામાં સમર્થ છે. ઉન્મગ્ના અને નિમગ્ના નામની બંને નદીઓને ઓળંગવા માટે સુગમ પગથિયા બનાવનાર છે. સ્ત્રીરત્ન સર્વથી ચડિયાતા કામસુખનું નિધાન છે. ચક્રરત્ન હજા૨ આરાવાળું છે, એક વામ પ્રમાણ છે, સર્વ હથિયારોમાં પ્રધાન છે અને નિષ્ફળ ન જાય તેવું છે. છત્રરત્ન માત્ર વામ પ્રમાણ છે. છતાં ચક્રીના હાથના સ્પર્શથી
-