SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ - જ્ઞાનાચાર ૯૩ મરેલો એવો તે નરકમાં ગયો. આ પ્રમાણે તેના પદે બેઠેલા તેના આઠ પુત્રો પણ ક્રમે કરી દેવતા વડે હણાયા. દેવતાનો કોપ દુઃખે કરી સહન કરી શકાય તેવો હોય છે. અને બે પુત્રો તો ભાગી ગયા. ત્યાર પછી લોકોએ પર્વતકને ધિક્કારીને કાઢી મૂક્યો અને તેને મહાકાલે સંગ્રહ્યો. તેનો સંબંધ આ પ્રમાણે છે- અયોધન રાજાએ પોતાની પુત્રીનો સ્વયંવર કર્યો ત્યારે કન્યાની માતાએ કન્યાને છૂપી રીતે કહ્યું કે, મારા ભત્રીજા મધુપિંગને જ તારે પરણવું. અને તે સર્વ વૃત્તાંત રાજાઓમાં મુખ્ય એવા સંગર નામના રાજાએ છૂપાઈને રહેલી પોતાની દૂતીના મુખથી જાણીને પોતાના પુરોહિતને કન્યાને વરવાનો ઉપાય પુક્યો. કપટ કરવામાં ચતુર તરત કવિતા રચનારા એવા તેણે પણ રાજલક્ષણ સંહિતાની રચના કરીને સભાની અંદર તે પ્રમાણે વ્યાખ્યા કરી કે જેથી લક્ષણોથી સગરરાજા શ્રેષ્ઠ થાય અને મધુપિંગ હલકો થાય. તેથી સર્વ રાજા વગેરેથી હસાતો એવો મધુપિંગ લજ્જાથી ત્યાંથી નીકળી ગયો. અને કન્યા સંગરને વરી. તેથી ગુસ્સાથી તપ કરીને (મરીને) મધુપિંગ મહાકાલ નામનો અસુર થયો. પર્વતક અને મહાકાલને ત્રીજો પિપ્પલાદ પણ મળ્યો. તેનો વૃત્તાંત આ પ્રમાણે છે લોકોમાં વિખ્યાત એવી સુલસી અને સુભદ્રા નામની બે પરિવ્રાજિકા હતી. તે બેમાં સુલસા અતિઘણી વિદુષી હતી. જે મને વાદમાં જીતશે તેનો હું શિષ્ય થઈશ’ એ પ્રમાણે પટહથી ઉદ્યોષણ કરનારા યાજ્ઞવક્ય નામના પરિવ્રાજકને વાદમાં જીતીને સુલતાએ તેને પોતાનો શિષ્ય કર્યો. ક્રમે કરી તેનો અતિપરિચય થયે છતે અકાર્ય પ્રવૃત્તિથી સુલતાને ગર્ભ રહ્યો. અને સુભદ્રાએ તે જાણ્યો ત્યારે નિષ્ફર વચનોથી ઠપકો આપીને તેને છૂપાવીને રાખી. જ્યારે પુત્રનો પ્રસવ થયો ત્યારે સુભદ્રાને ખબર ન પડે તે રીતે જ પીપળાના ઝાડ નીચે પુત્રને છોડીને તે બંને (= સુલસા અને યાજ્ઞવક્ય) ત્યાંથી નીકળી ગયા. સવારે પગલાને અનુસાર શોધતી એવી સુભદ્રાએ બાળકને જોયો અને ભુખ્યા થયેલા તે બાળકે સ્વયં મુખમાં પડેલા પીપળાના ફળને ખાધું. આથી પિપ્પલાદ એ પ્રમાણે નામ કરીને સુભદ્રાએ તેને મોટો કર્યો, ભણાવ્યો અને અતિશય વિદ્વાન થયો. પોતાના જન્મનો સંબંધ જાણ્યો એટલે માતા-પિતા ઉપર અતિષને વહન કરતો, તેમને મારવા માટે અનાર્ય એવા તેણે અનાર્યવેદોની રચના કરી અને તેમાં તેણે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે, રાજાઓએ અશ્વ આદિની શાંતિ માટે અને સ્વર્ગની પ્રાપ્તિ માટે બકરા, ઘોડા, હાથી, મનુષ્ય આદિથી યાગ કરવો જોઈએ અને મહાકાલે વિચાર્યું કે, જો પિપ્પલાદ અને પર્વતકના વચનથી રાજા વગેરે યાગમાં હિંસા કરે તો મરીને નરકમાં જાય. આ પ્રમાણે સગર વગેરે રાજાઓ ઉપર મારો વેર છે તે દૂર થશે, અર્થાત્ વેરનો બદલો વળશે. આથી તે બંનેને કહ્યું કે, તમે યજ્ઞમાં હિંસા પ્રવર્તાવો, હું બધી જગ્યાએ સાન્નિધ્ય કરીશ. ત્યાર પછી મહાકાલે નગર, ગામ વગેરેમાં રોગો વિકવ્ય અને જયાં જયાં પર્વતક અને
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy