SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ પિપ્પલાદ હિંસાત્મક યાગ કરાવે છે ત્યાં ત્યાં તે અસુર રોગોને શાંત કરે છે અને યજ્ઞમાં હણાયેલા બકરા વગેરેને વિમાનમાં રહેલા, દેવ થયેલા સાક્ષાત બતાવે છે. તેથી સગર રાજા વગેરે સર્વે લોકોને યાગમાં અત્યંત આદરવાળા કર્યા આ પ્રમાણે નિર્દય થયેલા તેઓએ ધીમે ધીમે મનુષ્યની હિંસા પણ પ્રવર્તાવી ત્યાર પછી માયાથી મોહ પમાડીને મહાકાલે પત્નીથી સહિત સગર રાજાને યજ્ઞમાં હોમ્યો. અને પિપ્પલાદે પોતાના માતા-પિતાનો યજ્ઞ કર્યો. અર્થાત્ માતા-પિતાને યજ્ઞમાં હોમ્યા. કારણ કે પિપ્પલાદે અને મહાકાલે તે માટે જ તો યજ્ઞની શરૂઆત કરી હતી. આ પ્રમાણે મહા અનર્થના કારણ એવા અનાર્ય વેદો પ્રવર્યા અને પ્રતિદિન ભોજન કરાવાતા શ્રાવકોને ભણવા માટે શ્રી તીર્થંકરની સ્તુતિ સ્વરૂપ અને શ્રાવક ધર્મનું પ્રતિપાદન કરનારા આર્ય વેદો માણવક નિધિમાંથી ઉદ્ધરીને ભરત ચક્રવર્તીએ કર્યા. આ પ્રમાણે અર્થને અન્યથા કરવામાં પર્વતકનું દષ્ટાંત પૂર્ણ થયું. વ્યંજન અને અર્થ એ બંનેને અન્યથા કરવામાં અનંતર કથામાં કહેલો અનાર્યવેદને રચનારો અને તેની વ્યાખ્યા કરનારો પિપ્પલાદ દષ્ટાંતરૂપે જાણવો. અથવા તો શ્રીગુપ્ત આચાર્યનો શિષ્ય નોજીવની સ્થાપના કરનારો ઐરાશિક રોહગુપ્ત વગેરે દષ્ટાંતો જાણવા. આ પ્રમાણે છઠ્ઠા વ્યંજન, સાતમા અર્થ અને આઠમા તદુભય એટલે કે વ્યંજન, અર્થ એ બંને સંબંધી જ્ઞાનાચારનું વ્યાખ્યાન કર્યું. આ પ્રમાણે આઠ પ્રકારનો જ્ઞાનાચાર સારી રીતે આરાધના કરવા યોગ્ય છે. . આ પ્રમાણે શ્રી તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિએ રચેલા શ્રી આચાર પ્રદીપમાં જ્ઞાનાચારનો પ્રકાશ કરનારો પહેલો પ્રકાશ પૂર્ણ થયો.
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy