SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપ્રદીપ બે નરકમાં જશે એ પ્રમાણે તેનો નિર્ણય કરવા માટે પરીક્ષા માટે ત્રણેયને એક એક લોટનો કૂકડો આપીને આ કૂકડા ત્યાં મારવા કે જ્યાં કોઈ જોતું ન હોય, એ પ્રમાણે આદેશ કર્યો. તેથી વસુ અને પર્વતકે શૂન્ય પ્રદેશમાં જઈને તે કૂકડાને માર્યા. નારદ તો દૂર દૂર શૂન્ય સ્થાનમાં ગયો પણ સારી બુદ્ધિવાળો હોવાના કારણે વિચાર્યું કે, અહીં પણ હું, દેવો, સિદ્ધો અને જ્ઞાનીઓ જોઈ રહ્યા છે. તેવું સ્થાન તો વિશ્વમાં પણ નથી કે જ્યાં કોઈ પણ ન જોતું હોય. તેથી નક્કી આ મારવા યોગ્ય નથી, એમ જ ગુરુની વાણીનું તાત્પર્ય છે. પ્રકૃતિથી કૃપાળુ એવા તેઓએ વધનો આદેશ કર્યો તે તો અમારી પરીક્ષા માટે જ કર્યો. ત્યાર પછી ત્રણેય પણ પાછા આવીને પોતપોતાનું સ્વરૂપ જણાવ્યું. નક્કી આ નારદ સ્વર્ગગામી છે એ પ્રમાણે નિશ્ચય કરીને ઉપાધ્યાયે નારદને ગૌરવપૂર્વક આલિંગન કર્યું. બાકીના બેની તર્જના કરી. તે વૈરાગ્યથી જ ઉપાધ્યાયે દીક્ષા લીધી. તેના પદ પર્વતક બેઠો. ક્રમે કરી અભિચંદ્ર રાજાએ દીક્ષા લીધી ત્યારે વસુ રાજા થયો. અને તે સત્યવાદીપણાની પ્રસિદ્ધિની સ્થિરતા માટે સત્ય જ બોલે છે. કોઈક વખત શિકાર માટે ગયેલા શિકારીએ આકાશ જેવી સ્ફટિકની શિલામાં સંક્રાત થયેલા હરણ ઉપર મૂકેલું બાણ સ્કૂલના પામવાથી હાથના સ્પર્શથી સ્ફટિકની શિલાને જાણી, અને તે શિલા રાજાને જણાવી. રાજાએ પણ તેને ભેટશું આપીને છૂપી રીતે તે શિલાથી પોતાના આસનની વેદિકા ઘડાવીને શિલ્પીઓને મારીને તે વેદિકાને પોતાના સિંહાસનની નીચે સ્થાપન કરાવી અને સત્યવાદી હોવાથી આકાશમાં સિંહાસન રહે છે એ પ્રમાણે પોતાની ખ્યાતિ ઉદ્ઘોષિત કરી. તે પ્રસિદ્ધિથી દેવો આનું સાન્નિધ્ય કરે છે એ પ્રમાણેના ભયથી સર્વે રાજાઓ તેને વશ થયાં. હવે કોઈ વખત મર્નર્યણચં' એ પ્રમાણે ઋગ્વદના પદમાં મનૈ = બોકડાઓથી વર્ણવ્યું = યજ્ઞ કરવો જોઈએ એ પ્રમાણે વ્યાખ્યા કરતા પર્વતકને સાંભળીને નારદ બોલ્યો કે, આ પ્રમાણે તું ન બોલ. કારણ કે, તે ગાયને રૂતિ મના: જે ન ઊગે તે અજ. એટલે કે ત્રણ વર્ષનું ધાન્ય. એ પ્રમાણે ગુરુએ વ્યાખ્યા કરી છે. ધર્મનો ઉપદેશ કરનારા ગુરુને અને ધર્મસ્વરૂપ શ્રુતિને અન્યથા ન કર = ખોટી ન પાડ. ઈત્યાદિ ઘણું કહેવા છતાં પણ અભિમાનથી તે અટક્યો નહીં. તેથી તે બંનેએ જીહ્યાછેદની શરત કરી. અર્થાત જે હારે તેની જીભનો છેદ કરવો. અને એમાં વસુને સાક્ષી તરીકે રાખ્યો. તે સાંભળીને પર્વતકની માતાએ એકાંતમાં પોતાના પુત્રને કહ્યું કે, મેં પણ તારા પિતાને ત્રણ વર્ષના ધાન્ય એવો જ અર્થ કરતા સાંભળ્યા છે. તું ફોગટ મહા અનર્થ કરનારી શરત શા માટે કરે છે? તેણે કહ્યું કે, જે કર્યું તે કર્યું જ. હવે તું યથાયોગ્ય ઉપાયને વિચાર... પુત્રના મોહથી મોહિત થયેલી તેણીએ પણ પુત્રના હિત માટે વસુ રાજાને તે રીતે કહ્યું કે જેથી ગુરુપત્નીના દાક્ષિણ્યથી તેણે પણ તે રીતે જ માની લીધું. સવારે પર્ષદાની = સભાની અંદર તે બંનેના વિવાદમાં પ્રકૃષ્ટ પાપનો પણ અનાદર કરીને જેટલામાં વસુએ ખોટી સાક્ષી કરી તેટલામાં દેવતાએ થપ્પડથી હણીને નીચે પાડ્યો. અને
SR No.005786
Book TitleAcharpradip
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2008
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy