________________
૫૩
ખંડ - ૧ : ઢાળ - ૧૧
નથી. III કુમાર એકલો દૂર ઊભો છે. જોયા કરે છે. કુમારને જોઈ હાથી વધારે ક્રોધે ભરાયો અને તેની સન્મુખ દોડ્યો. કુંવરે પણ ઘોડા ઉપરથી ઊતરી, ધૈર્યને ધારણ કરીને પોતાનું ઉત્તરીય વસ્ત્ર, આવતા હાથીના માર્ગમાં પાથરી દીધું. પોતે ધીમે રહીને દૂર સરકી ગયો. દા
ક્રોધી ગજરાજે પણ તે વસ્રને મનુષ્ય જાણી પોતાના દંતશૂલથી પ્રહાર કરવા માંડ્યા. ત્યારે લઘુલાઘવી કળાથી, કુમાર વેગપૂર્વક, હાથીની દૃષ્ટિ ચૂકવીને તેના પૂંછડે વળગ્યો. પૂંછડે વળગેલા કુમારને પકડવા માટે હાથી ગોળગોળ ફરવા લાગ્યો. કુમારે પણ હાથીને ખૂબ ઘુમાવ્યો. લોકો તો હાહાકાર કરવા લાગ્યા. બોલવા લાગ્યા...રે ! આ પરદેશી છાત્રને હાથી હમણાં હણી નાંખશે. બચાવો. બચાવો. III આ બાજુ મદનમંજરીએ સખી મારફત આ વાત સાંભળી, તેનું ચિત્ત શોકાતુર થયું અને તે મૂર્છા પામી. હાથી જ્યારે બરાબર થાક્યો અને ધીમો પડ્યો ત્યારે કુમાર તેની ઉપર ચડી બેઠો. અને મુષ્ટિથી પ્રહાર કરીને હાથીને તાડન કર્યો. ત્યારે તે મદરહિત થયો. જ્યારે તેનો મદ ગળી ગયો ત્યારે તે શાંત થઈ ગયો. કુમાર પણ હાથી ઉપરથી નીચે ઊતરીને તેની સામે આવીને ઊભો રહ્યો. In
ગજરાજ પણ કુમારને જોતાં મોહિત થયો અને તરત જ કુમારના ચરણે પડ્યો. લોકો જોઈને આશ્ચર્ય પામ્યા. કહેવા લાગ્યા કે આ નરોત્તમ અહીં આવ્યો તે સારું થયું. ભાઈ ! તું તો ચિંતામણિ રત્ન સમાન છે. તેં તો બધાને બચાવ્યા. બધાં હવે નિર્ભય થયા. પછી લોકોએ કુમારને ફૂલથી વધાવ્યો. કુંવરની પ્રશંસા ધવનચંડ પંડિતના સાંભળવામાં આવી. પંડિતજી પણ ઉતાવળા તેને જોવા અને મળવા આવ્યા. પુત્રવત્ કુંવરને હર્ષથી વધાવ્યો. III શેઠપુત્રી મદનમંજરીએ પણ આ વાત જાણી. ત્યારે ઘણી હર્ષ પામી. “કુંવરે હાથીને વશ કર્યો. લોકો કેટલા રાજી થયા.” આવું કહેતી. કુંવરનું વધામણું સખીઓને આપવા લાગી. જ્યારે આ બાજુ સુભટો ને મહાવત બધાએ ગજરાજને શણગારીને આલાનસ્થંભે બાંધ્યો. કૌતુક જોવા જાણે લોકોનો મેળો ભરાયો છે. II૧૦
કુમારને તો જાણે પ્રચંડ પુણ્ય પ્રગટ્યું છે. ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. જ્યારે રાજાએ વાત જાણી તરત કુમારને તેડું મોકલ્યું. કુમાર પણ પિતાસમ પવનચંડ પાઠકની સાથે રાજદરબારે આવ્યો. રાજાના ચરણે નમસ્કાર કર્યા. રાજનરેશે પણ (ઊભા થઈને) માનથી બોલાવી ગાઢ આલિંગન (ભેટ્યો) આપ્યું અને પોતાની પાસે બેસાડ્યો. ।।૧૧।। વળી રાજા કહેવા લાગ્યો કે હે વત્સ ! તમે ઘણા ઉપકાર કર્યા. તારા ગુણથકી તારું ઉજ્જવળકુળ જણાવી આવે છે. વજ્રની ખાણ વિના હીરો બીજે સંભવે નહિ. એવું અમે જાણીએ છીએ. છતાં પણ તારાં કુળ-વંશ જાણવાની (સાંભળવાની) અમારી ઇચ્છા છે તો પ્રેમપૂર્વક પૂછું છું કે તારો જન્મ ક્યાં, ક્યારે થયો તે જણાવો.
૧૨
રાજાની વાત સાંભળીને શરમથી કુંવર મૌન રહ્યો. પણ પંડિતજી પવનચંડે (તેની બધી વાત જાણતા હતા) સકળ વૃત્તાંત, રાજાની આજ્ઞા લઈ કહી સંભળાવ્યો. (ઉત્તમ પુરુષ આપબડાઇ સ્વમુખે ક્યારેય કરતા નથી.) રાજા તે સાંભળી અધિક પ્રસન્ન થયો. કહેવા લાગ્યો કે હે વત્સ ! આવું તો તે શું કર્યું ? સુંદરરાજા તો અમારા મિત્ર છે અને તેં ! અરે ! તેં અમારી વચ્ચે આવું મોટું આંતરું ગણ્યું ? ।।૧૩।। તું આ નગરીમાં ક્યારે આવ્યો ? અને અહીંયાં હોવા છતાં અમને પણ જાણ ન કરી. હે વત્સ ! આ રાય, આ રાજમંદિર સર્વે તારું જ માનજે. રાજાએ તેને ઉત્તમ ભેટો આપી. કુમાર પણ બોલ્યો કે “મહારાજ ! આપની કૃપા એ મારાં અહોભાગ્ય છે. પણ હમણાં આ પાઠક એવા મારા