SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૧: ઢાળ - ૯ ૪૩ વત્સ ! નાત-સજ્જન એટલે સગાવહાલાં નગરજનોને છોડીને આ રીતે ચાલી નીકળ્યો. તો તેમાં તને શરમ ન આવી. //૪ll જો ભાઈ ! મહાપુરુષોએ શાસ્ત્રમાં એવાં વચનો કહ્યાં છે કે “માતપિતાનાં ચરણનખની કાંતિની અંદર તો તીર્થ સમાયેલું છે.” અને ઉત્તમ પુરુષો તો હંમેશાં તેની પૂજા કરે છે. //પી ઉપકારી વડીલ અથવા માતાની વાણી કડવી હોય તેથી જીવને ન રૂચે. પણ કફને દૂર કરનાર કડવા ઔષધ (ભૈષજ)ની જેમ આગળ જતાં તે વાણી હિત કરનારી બને. કડવા ઔષધને વૈદ્યો વખાણે છે ને ? દી હે ભદ્ર ! તેમ જાણ...વળી ઝવેરી મણિને ઘસે તો તેનું તેજ વધે છે તેમ ગુરુમહારાજ તાડન કરે તો પણ હિતને માટે છે. કેમ કે ખોટા માર્ગેથી પાછા વાળે છે. હે વત્સ ! માતાપિતાએ તને નહિ પણ તારામાં રહેલા દોષનો તિરસ્કાર કર્યો છે એમ જાણજે. જેમ માંત્રિક (શરીરમાં રહેલા) ભૂત-પ્રેતને પછાડે છે, નહિ કે વ્યક્તિને ! આ જગત હંમેશાં ગુણોને આવકારે છે. ત્યાં પારકો કે પોતાનો એવું કંઈ જોવાતું નથી. કોઈપણ પ્રાણી પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલા મલને છોડી દે છે અને વનમાં ઊગેલાં ફૂલને આદરપૂર્વક મસ્તકે ચડાવે છે. કેમ? કારણ (ફૂલનો ગુણ સુગંધ છે. તેથી સૌ તેને આવકારે છે.) IIકા સુવર્ણગિરિને વળગીને રહેલાં ઘાસ અને વૃક્ષો સોના જેવાં લાગે છે તેમ માતાપિતાની છાયામાં રહેતો ગુરુકુલવાસમાં રહેનારો, જગતમાં તે હંમેશાં પૂજાય છે, બહુમાન મેળવે છે. /૧૦ - સુંદરશેઠની કથા - હે વત્સ! તે માટે એક દષ્ટાંત કહું છું તે સાંભળ ! ઠાણાપુર નગરમાં સુંદર નામનો વેપારી રહેતો હતો. તે તેનાં વૃદ્ધ માતાપિતાનાં ચરણે નમી, તેમની સેવા કરીને પછી ભોજન કરતો. આ નિત્યક્રમ તેનો હતો. ૧૧ વિનયી એવા વેપારીને બે પુત્રો હતા. તે પણ વિનયી જ હતા. શેઠને વેપાર ઘણો મોટો ચાલતો હતો. તેના હૈયે દાન-દયા આદિ વસેલાં હતાં. દ્રવ્યનો કોઈ પાર નહોતો. ૧ર. જેમ ઇંધણ અગ્નિમાં નાંખવાથી આગ વધે છે. તેમ “લાભથી લોભ વધતો જાય છે.” તૃષ્ણા દાવાનલને શમાવવા જ્ઞાન અને વૈરાગ્ય જલ સમાન છે. /૧૩ ગુરુ વિના જ્ઞાન મળતું નથી. આ શેઠને કોઈપણ ગુરુનો યોગ થયો નથી. (તેથી) આ સુંદર વેપારી ઉપર લોભે જમાવટ કરી. શેઠે ઘણા માલની ખરીદી કરીને, પરદેશ જવા વહાણ તૈયાર કર્યા. ૧૪ એકાંતમાં જઈ માત-પિતા અને પોતાના બે પુત્રો સાથે વાટાઘાટો કરી લીધી. ઘરની સંભાળ – નોકરને ભળાવી દઈને, કુટુંબ સાથે શેઠ પરદેશ જવા નીકળ્યા. (વહાણ લઈને પરદેશ ચાલ્યો) II૧૫ા. શુભ દિવસે નીકળેલ શેઠનાં વહાણ સમુદ્રમાં ગતિ કરી રહ્યાં છે પણ હવે બન્યું એવું કે મધદરિયે વહાણ પહોંચ્યું. પ્રચંડ એવો પવન ફૂંકાવા લાગ્યો. આવેલ વંટોળથી સહુ ગભરાયા. પ્રભુ! બચાવો! પ્રભુ બચાવો ! બૂમો પાડવા લાગ્યા. ભગવાનને યાદ કરવા લાગ્યા જોતજોતામાં તો વાવાઝોડાના કારણે મોજાં ઊછળવા લાગ્યાં. મોટું મોજું વહાણને અથડાયું. વહાણ ફંગોળાયું. વહાણના સો ટુકડા થઈ ગયા. ૧દી માતા-પિતા-પત્ની અને પુત્ર સહિત, દેવી પ્રકોપથી બધા દરિયામાં ડૂબવા લાગ્યાં. સાગરના પેટાળમાં સૌ સમાઈ ગયાં. સુંદર શેઠને વળી એક પાટિયું હાથમાં દૈવયોગે આવી ગયું. તેના આધારે તે ઘણા દહાડે કોઈ એક કિનારે બહાર આવ્યો. અજાણ્યા કાંઠે ઊતર્યો. ૧થી વળી ત્યાંથી ભમતો ભમતો પોતાની થાણા નગરીએ પોતાના ઘેર પહોંચ્યો. માત-પિતા પત્ની-પુત્રનું મૃતકાર્ય કરીને વળી ઘર-વેપારને સંભાળી લીધો. સમય જતાં વળી કોઈ નવી કન્યાને સ્નેહથી પરણ્યો. ૧૮l.
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy