SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ધમ્મિલકુમાર રાસા હવે રાજા ક્રોધાયમાન થયો. કુમારને બોલાવીને કહેવા લાગ્યો. તે કુમાર ! હું પુત્રના સુખને જરૂર ઇચ્છું છું. પણ તારો આ પડછાયો પણ લેવા જેવો નથી. તારાં પરાક્રમો તો જો. ૧. તે મારા કુળને કલંકિત કર્યું છે. તું શીખામણને યોગ્ય પણ રહ્યો નથી. વીંછીના કાંટાની જેમ તું કોઈ રીતે સીધો થાય તેમ નથી. ||રા. મને હતું કે મારો દીકરો દીવાના જયોતની જેમ રાજયમાં અજવાળું કરશે. પણ સો મણ તેલ હોય છતાં જેમ અગ્નિ વિના અંધારું જ હોય છે. તેમ તું હોવા છતાં (કુલદીપક ન બન્યો) અહીં અંધારું જ છે. ૩કહેવાય છે કે ચોસઠ દીવા બળતા હોય, બહાર સૂર્ય ઊગ્યો હોય, પણ જેના ઘેર પુત્ર ન હોય, તેનાં ઘરે અંધારું જ હોય. ૪ પણ હું તો કહું છું કે આ કહેવત જુકી છે. જેના ઘરે વંઠેલો પુત્ર હોય, માતા-પિતા ઘરમાં રહેતાં હોય, આખા ઘરનું સંચાલન વંઠી ગયું હોય તો તે પુત્ર જ શું કામનો ? અર્થાત્ તે પુત્ર નકામો છે. પણ અન્યાયી ! તું તો બધાં વ્યસનોથી પૂરો છે. તું હવે મારા નજરથી દૂર જા. જ્યારે અમે આણું મોકલીએ, (તેડાવીએ) ત્યારે મારી સામે આવજે. ૬ll આ રીતની પિતાની (રાજાની) આજ્ઞા થતાં, વિલખો થયેલો કુમાર હવે ત્યાંથી નીકળી ગયો. મિત્રને ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “ભાઈ ગણો કે મિત્ર ગણો. હવે તમે જ મારા છો, પિતાએ તો દૂર કાઢ્યો. નિરાશ થઈ ગયો છું.” ||શા કુમારની વાત સાંભળીને મિત્ર વિચારે છે કે જેમ શંકરના કંઠેથી ઊતરેલો સર્પ અપમાન પામે છે તેમ આ કુમાર પણ સ્થાનભ્રષ્ટ થયો છે. ૮| કહેવત છે કે હે પ્રાણી ! આપણું પાણી (પરાક્રમ) જાળવી રાખવું જોઈએ. રેતિભાર (સત્ત્વ) પાણી : ઊતરી જાય છે તો લાખો દામ ખરચવા છતાં પણ તે પાણી (સત્ત્વ) પાછું આવતું નથી. II રાજાથી અપમાનિત થયેલાનું લોકો પણ અપમાન જ કરે છે. કોઈ તેને સલામ કરતું નથી. ગરીબને રહેવા માટે ઝૂંપડું મળે છે પણ આવા અપમાન પામેલાને કોઈ (ઘડીક બેસવા માટે) સ્થાન પણ આપતું નથી. ll૧૦ની આપણે પણ રાજદ્રોહી શા માટે થવું? આ રીતે સંપીને સર્વ (પ્રજાજનો) લોકો પોતપોતાના ઘેર ગયા. ત્યારે અગડદત્ત પોતાની માતાની પાસે ગયો. માતાએ પણ બોલાવ્યો નહિ. ત્યારે ખેદ પામેલો કુમાર (દૂરથી) માતાને પ્રણામ કરીને પોતાના આવાસે આવ્યો. ૧૧૫ ઢાળ આઠમી | (સીહોરીનો સાલુ હો કે ઉપર યોધપુરી.એ દેશી). મન સંકલ્પી હો કે નયરથી નીકલ્યો, રાતની વેલા હો કે કોઈ ન અટકલ્યો, રતિપતિ મંદિર હો કે જઈને ઊતર્યો; નિમિત્તિએ હો કે ભોજન નોતર્યો. અશન કરીને હો કે પછે વાત મિશે; ઉદય અમારો હો કે કહીએ કઈ દિશે; કહે નૈમિત્તિક હો કે જાવું પૂરવ દિશિ; કાશી દેશે હો કે નયરી વાણારસી. રા. લાખનું ભુષણ હો કે સાંભળી તાસ દીએ; ચાલ્યા અગડદત્ત હો કે રમણી પાછલીએ; ખેડા પાટણ હો કે નયર ને ગામ ઘણાં; વન સર જોતાં હો કે કૌતુક તેહ તણાં; all
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy