SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૧: ઢાળ - ૦ ૨૯ લઈ આવો.” મંત્રીશ્વર વળી વિચારમાં પડી ગયો. ઉપાય તો શોધવો રહ્યો. પદ્માવતી જેટલી ઊંચાઈ વાળી, રૂપાળી અને એટલી જ વયવાળી એવી પદ્મા નામની વેશ્યાને તૈયાર કરી. ૨૬ll સઘળી વાતથી વાકેફ કરીને આગળની વાત શિખવાડીને તે વેશ્યાને વનમાં રાખી. મંત્રીએ આવીને રાજાને વધામણી આપી કે “રાણીબા આવી ગયાં છે.” વધામણી સાંભળીને સકલ સાજન માજન પ્રજાજનને સજજ કરી રાજા રાણીને લેવા જંગલમાં ગયો. ૨૭ - રાજા, રાણીની સાથે હાથીની અંબાડીએ ચઢીને દરબારે આવ્યા. રાણીની સાથે અમૃત સરખો આહાર લઈને પુષ્ટ થયો. વળી ચિત્તની અંદર રાજા વિચારવા લાગ્યો. રે ! સ્વર્ગ કેવું હશે ? I ૨૮ ધીમે ધીમે રાણીને સ્વર્ગ વગેરેની વાતો પૂછે છે. ત્યારે પદ્મા પણ જેમ મંત્રીએ શીખવી રાખેલ છે તે રીતે સ્વર્ગની સુંદર વાતો ચતુરાઈપૂર્વક રાજાને કહે છે. રામ રાગથી રંગાયેલો રાજા રસપૂર્વક સુખ ભોગવતાં રહ્યો છે. આવા જીવો સંસારમાં પરિભ્રમણ ઘણો કરે છે. રાગ પ્રત્યે જેને વૈરાગ્ય જાગ્યો છે. તે કેવળી ભગવંતો જ સિદ્ધિવધૂના સાચા સ્વામી છે. ll૩૦મી - આ રીતે ધમ્પિલકુમારના રાસની રસાલ એવી છઠ્ઠી ઢાળ કહી. શ્રી શુભવીરવિ. મ. કહે છે કે હે રસિકજનો ! ઉજમાળ થઈને આગળ સાંભળો. //૩૧ પ્રથમ ખંડની ઢાળ : ૬ પૂર્ણ. - દોહા :પૂછે સાધુ કુમારને, કેમ સાહસિક કરાય, પ્રાણી કુમરણ કરી, નડિયા દુર્ગતિ જાય. ITI કુંવર કહે સ્વામી સુણો, હું દુ:ખનો ભંડાર, કૂપની છાયા કૂપમે, નવિ પામે વિસ્તાર. રા. સાધુ કહે શું દુઃખ અછે, કહો વિવરીને કુમાર, બોર વેચાયે બોલતાં, શિર હોયે હલકો ભાર. Hall કુંવર કહે મુજ દુઃખને, કુણ ઉદ્ધરણ સમથ્ય, જલધિ જલમાં ડુબતાં, કહો કોણ ઝાલે હાથ. I૪ો વિરલા પરકારજકરા, વિરલા પાલે નેહ, વિરલા ગુણ કીધો ગ્રહે, પર દુઃખે દુખિયા જેહ. Ifપા આ ભવ દુઃખ ન પામીયો, પરદુઃખ હરણ ન ઘાત, દુઃખ દેખી દુઃખ નવિ ધરે, તે આગળ શી વાત. દા. કહે મુનિ મેં દુઃખ દેખીયું, હું દુઃખહરણ સમથ્ય, દુઃખ દેખી દુઃખીયા અમે, ભાંખો નિજ પરમથ્થ. Iણા
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy