SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ધમિલકુમાર રાસ | મુનિભગવંતનો ઉપદેશ પૂરો થતાં કુમારને ઉદેશીને કહે છે કે “આપઘાત કરનાર પ્રાણીની દુર્ગતિ થાય છે. તો તું શા માટે આવું સાહસ કરે છે?” પેલા ત્યારે કુંવરે કહ્યું કે હે સ્વામી ! હું દુઃખનો ભંડાર છું. જેમ કે કૂવાની છાયા કૂવામાં સમાય. તેમ મારા દુઃખને હું જ જાણું છું. /રા | મુનિ ભગવંતે કુંવરને કહ્યું કે, તારું દુઃખ વિસ્તારથી અમને કહે. જેમ માથે ઉપાડેલ બોરનો ટોપલો, તે બોર બોલવાથી વેચાય છે અને માથાનો ભાર હળવો થાય છે, તેમ તારું હૃદય હળવું થશે. Imall હે ભગવન્! મારાં દુઃખ દૂર કરીને મારો ઉદ્ધાર કરવા કોણ સાહસ કરશે ? દરિયામાં ડૂબતા પ્રાણીનો હાથ કોણ પકડે ? ll૪ો. હે નાથ ! આ જગમાં પરમાર્થ કરનારા, સ્નેહને પાળનારા, કરેલા ઉપકારને જાણનારા, (કૃતજ્ઞ), કોઈક જ એવા વિરલા હોય છે અને તે જ પારકાના દુઃખે દુઃખી થનારા હોય છે. //પા. આ ભવની અંદર જે દુ:ખ પામ્યો નથી. વળી કોઈના દુઃખને દૂર કર્યા નથી. બીજાના દુઃખ જોઈને. જેને હૈયામાં દુઃખ થયું નથી. તેની આગળ શું વાત કરવી ? Ill ત્યારે મુનિ ભગવંત બોલ્યા, હે વત્સ ! મેં દુઃખ જોયું છે. તારું દુઃખ દૂર કરવા સમર્થ પણ છું. કોઈનાં દુઃખને જોઈને અમે દુઃખી પણ થઈએ છીએ. માટે તારી વીતક તું કહે. IIછા -: ઢાળ સાતમી :(રામચંદ્રકે બાગ, આંબો મોહોરી રહ્યોરી...એ દેશી) કુંવર કહે મુજ આજ, સુરતરૂ તુંહી ફેલ્યોરી, દુઃખદાયક મહારાજ, નાડીવૈદ્ય મલ્યોરી. ૧. નયર કુસારત, નિવાસ, હું સુત શેઠ તણોરી. જ્ઞાનકલા વિજ્ઞાન, પાઠક પાસ ભણ્યોરી. //રા. વસીયો વેશ્યાગેહ, તેહશું નેહ કયોરી, ખાઈ ઘર ઘર વાત મુજ વનમાંથી ધરૂયોરી. Hall જાગ્યો જીસે પ્રભાત, નિજ મંદિરીએ ગયોરી, મરણ લહ્યાં માબાપ, સાંભળી દાહ થયોરી. II૪l. મરણ ઉપાય મેં કીધ, દુઃખભર વન જીરણેરી, વાયો દેવે તામ, આવ્યો તમ ચરણેરી. //પા. લોહ ચમક દષ્ટાંત તે મુજ ખેંચી લીયોરી, નયન સુધાંજનરૂપ, દર્શન દેવે દીયોરી. દll. હજીય લગે મહારાજ, વેશ્યા ચિત્ત વસીરી, નવિ પલટાએ રંગ, સોવણરેખ રસીરી. IIણા :
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy