SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૧ : યળ - ૬ ધિમિલ વગડાની વાટે : મદિરાનો નશો ઊતર્યો ત્યારે ધમ્મિલ ઊઠીને જોવા લાગ્યો. હું ક્યાં છું ! સૂર્યોદય થયાને ચાર ઘડી થઈ હતી. જયારે શરીર સામે જુએ છે તો એકપણ અલંકાર નથી દેખાતો. શરીરે એકલી ધૂળને કચરો લાગ્યો હતો. જોતાં જ મન ચગડોળે ચડ્યું.. આ શું ? ૧રો તે ચિંતવવા લાગ્યો કે ધિક્કાર છે આ વેશ્યાનાં સુખોને ! કે દ્રવ્ય હોય ત્યાં સુધી સગી. નિર્ધનની સામે જોતી નથી. આજે હું નિધન થયો તો અક્કાએ કપટ કરીને મને કાઢી મૂક્યો. ./૧૩ " કહેવાય છે કે વેશ્યા, વાઘ, અગ્નિ, રાજા અને સર્પ એ કોઈની ઉપર પ્રેમ કરતાં નથી. મારા પિતાએ દ્રવ્ય આપવામાં કોઈ મણા રાખી નથી. જયાં દ્રવ્ય બંધ કર્યું ત્યાં તો વેશ્યાએ મને છોડી દીધો. ૧૪ ઠીક ! આમ વિચારીને ત્યાંથી ઊઠ્યો ને પોતાના ઘરે ગયો. ત્યાં પણ પોતાનાં માતપિતાને ન જોયાં. પાડોશીને જ્યારે પૂછ્યું ત્યારે એક બ્રાહ્મણ પાડોશી બોલ્યો કે ભાઈ ! સુંદર (સરલ) શેઠની વાત સાંભળ. ૧૫ સુંદર સજ્જન એવા સુરેન્દ્રદત્ત શેઠનો પુત્ર વેશ્યાના ઘરે છે. આખી જિંદગી ખાતાં ન ખૂટે તેટલું દ્રવ્ય હતું. પણ તે પુત્રની પાછળ મોકલીને ઘર ખાલી થયું. પુત્રની ચિંતામાં માતપિતા પરલોક પહોંચ્યાં. ૧૬ll વળી શેઠની પુત્રવધૂ (ધમિલ)ની પત્ની યશોમતીએ સાસુ સસરાની સેવા સારી કરી. પછી એકલી પડી. ઘરવખરી વેચી વેશ્યાને ત્યાં દ્રવ્ય મોકલ્યા જ કર્યું. આભૂષણો પણ વેચી દીધાં. છેવટે છેલ્લું સ્નાન કરીને તે પણ પછી પિયેર ચાલી ગઈ. માતાની પાસે રહેવા ગઈ. તેની (મિલને કોઈએ ઓળખ્યો નથી.) માતપિતા અને પત્નીની વાત સાંભળતાં વજથી હણાયો હોય તેમ આઘાત લાગ્યો. હૃદયથી ખિન્ન થયેલો ધમિલ મૂછિત થયો. ચેતના આવી ત્યારે નગરની બહાર સરોવરની પાળે જઈને વિચારતો બેઠો. ll૧૮ સરોવરમાં માતપિતાનું સ્નાન કર્યું. નિર્મળ જળ પીધું. મૃત્યુના વિચારે યમરાજા સરખા વટવૃક્ષ નીચે સૂતો. ક્ષણમાત્ર નિંદ્રા આવી ગઈ. ll૧૯લા નીચની સંગતનાં ફળ કેવાં હોય છે ! તે આ ધમિલના રાસની પાંચમી ઢાળમાં બતાવ્યું. શુભવીરવિજય કહે છે સજ્જનની સંગતિથી સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મરવા -: પ્રથમ ખંડની ઢાળ: ૫ પૂર્ણ - -: દોહા :ક્ષણ નિદ્રા લહી જાગીયો, પડીયો ચિંતાઝાલ; ક્ષણ રોતો ક્ષણ શોચતો, ઝાલી તરૂવરડાલ. //પા. નિર્ધનને જીવિત કશું, નિર્ધન મૃતક સમાન; ધમ્મિલ ચિંતવતો ગયો, જિહાં છે જીરણ ઉદ્યાન. આરા વનપાલક સૂતો તિહાં, લેઈ તસ તરવાર; વનદેવે તે અપહરી; કરતાં શિર સંહાર. Hall ચય ખડકી અગ્નિ કરી, પેઠો જઈ એકાંત; વનદેવે શીતલ કરી, પામ્યો ખેદ અત્યંત. જો
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy