________________
૨૦
ખીર નીર જ્યં પ્રીતડી, બંધાણી છે માય, । ત્રિકરણ યોગે તે હવે, કેમ કરી છોડી જાય. ॥॥ અવર પુરુષ શું આ ભવે, માત મેં કીધો નીમ; I સુખ દુઃખ સંપદ આપદા, એ નર સાથે સીમ. IIII વસંતસેના સાંભળી, કપટે મૌન કરાય, I પુત્રી વિલુદ્ધી એહને, કરવો કોય ઉપાય. ॥૮॥
ધર્મિલકુમાર રાસ
મ્મિલના ઘરેથી આવેલાં આભૂષણો (નામવાળાં) દેખીને, અક્કા વિચારવા લાગી. નક્કી ધમ્મિલનું ઘર હવે નિર્ધન થયું છે. કારણ દ્રવ્ય ખલાસ થયું હશે માટે અલંકાર મોકલ્યાં છે તો કોઈપણ ઉપાયે હવે આને મારા ઘરેથી રવાના કરી દેવો. આમ વિચારીને ॥૧॥ વસંતતિલકાને બોલાવીને કહ્યું કે, હે પુત્રી ! આ તારો સ્વામી નિર્ધન થયો છે. તેની પાસેથી હવે કંઈ મળે તેમ નથી. હવે તેને પ્રેમથી તું છોડી દે..૨/
જે ઈશ્યુ (શેરડી)નો ટુકડો રસથી ભરેલો હોય, તેને જ માણસો ચૂસે છે. અંતે ૨સ વિનાના તે કૂચડા તો પશુને આરોગવા યોગ્ય થાય છે. III આપણા કુળની રીત તો ધનવાન સાથે પ્રીત ક૨વી તે છે. માટે બેટી ! નિર્ધન એવા આ (મ્મિલ) નરને છોડીને, બીજા સાથે પ્રીત ક૨ II૪II
અક્કા (મા)નું વચન સાંભળી પુત્રી કહેવા લાગી કે હે માતા ! સાંભળો ! જે ઉત્તમ નારી હોય તે, જેની સાથે પ્રીત કરે તેને ક્યારેય પરિહરતી નથી. ।।૫।। વળી હે માતા ! મન વચન અને કાયા ત્રણે યોગે, ખીરનીરની જેમ આની સાથેની મારી પ્રીત બંધાણી છે તે છૂટે તેમ નથી. IIII
વળી હે માતા ! આ ભવમાં બીજા પુરુષની સાથેની પ્રીત ન કરવી. એવો મેં નિયમ લીધો છે તેથી મને સુખ હો કે દુઃખ હો, સંપદા હો કે આપદા હો, સર્વ આ નરની (મ્મિલની) સાથે જ ભોગવીશ પણ તેને હું છોડીશ નહિ. IIII
અક્કાની માયા ઃ
આવી દીકરીની નિશ્ચયપૂર્વકની વાત સાંભળી, વસંતસેનાએ પણ કપટ કરીને મૌન ધારણ કર્યું. એટલે દીકરીની વાતનો જવાબ ન આપ્યો. મનમાં વિચારવા લાગી કે આ પુત્રીને, ધમ્મિલ સાથે પૂરણપ્રીત લાગી છે તેથી સમજાવ્યે છોડશે નહિ. માટે હવે ગમે તે બીજો ઉપાય અજમાવીને ધમ્મિલને છોડાવી દેવો જોઈશે. હવે તે બીજો ઉપાય વિચારવા લાગી. ॥૮॥
-: ઢાળ પાંચમી :
(વાલ્હોજી વાયે છે વાંસળી રે...એ દેશી) અક્કાએ ઓચ્છવ માંડીયો રે, દેવમાનતિને ઉદ્દેશ; જમવા તેડે કુમારિકા રે, એકશો આઠ બાલે વેશ.
નાટક દેખો દુનિયા તણું રે, મધુબિન્દુ સમો સુખલેશ. ના. ॥૧॥ વેશ્યાજાતિને નોહોતરી રે, પીરસે ભોજન પકવાન્ન, તંબોલ દેઈ વિસર્જતી રે, બાલિકાને શ્રીફળ પાન. ના.॥૨॥