________________
ખંડ - ૬ : ઢાળ - ૨
ભાવિ બનવાનું બની જ રહે છે એનાં મિથ્યા ક૨ના૨ કોઈ નથી. તે સાંભળી ધમ્મિલ બોલ્યો. અમે વિચાર્યું કે ભાઈના ઘાતથી તમારા સૌના હૈયામાં સંતાપ ઉપજ્યો હશે. અને હજુ અમારો તમારો મેળાપ હમણાં થવાનો નહીં હોય તેથી મિત્રસેનાએ શ્વેત ધ્વજ ફરકાવ્યો અને તે જોઈને અમે દૂર દૂર
ચાલ્યા ગયા. ॥૨૬॥
૩૮૩
ખેચરબાળા કહે - હે ઉત્તમ નર ! એમાં તેની ભયંકર ભૂલ થઈ. અમે સર્વેએ મળી સંપીને વિચાર્યું કે તે બે બેનીનો ભાઈ ગયો. હવે તો જ્ઞાનીના વચન મુજબ ઈચ્છિતયોગ મળ્યો છે. એમ વિચારી શોકને દૂર કરી અમે તેને જણાવ્યું કે તું ઝટ જા ! તેમને અહીં તેડી લાવ. અમારા મનોભાવ જાણી મિત્રસેનાએ મહેલ ઉપર જઈને હર્ષના આવેશમાં રક્તને બદલે શ્વેત ધજા હલાવી. ॥૨૭॥ અરસ પરસ બંનેના એક એક વચને રહસ્યમય રસાળ એવી સત્ય વાતને પ્રગટ કરતી આ ઢાળ - છઠ્ઠા ખંડને વિશે પહેલી ઢાળ પણ અહીં પૂર્ણ થઈ. શ્રી શુભવીર વિજયજી કહે છે વિખૂટાં પડેલાં સર્વેનું અહીં મિલન થશે. I॥૨૮॥ ખંડ - ૬ ની ઢાળ - ૧ સમાપ્ત -: દોહા :
વિઘુલ્લત્તાને કુંવર કહે, અમે વિદેશે જાત, પછે અઢાર મળી તમે કેમ જાણી તે વાત. ॥૧॥ દાણા પાણી જોર છે, ચતુર ન ચિત્યો જાય, પૂર્વદિશિ વાંછા કરે, પછિમદિશિએ સધાય. ॥૨॥ ઈષ્ટ મેલાપા સંપજે, કાલે કાલે જોય, તે પણ વસ્તુ સભાવથી, નિયતપણું જો હોય. ગા ઉદ્યમ પણ કરવો સહી, પણ એક પુણ્ય સહાય,
દૂર દેશાવર સજ્જનાં, વંછિત મેળા થાય. ॥૪॥
ધુમ્મિલકુમાર ખેચ૨કન્યા વિદ્યુત્સતાને કહે છે. હે સુંદરી ! અમે વિદેશે ચાલી ગયા છીએ. તે તમને અઢારેને ખબર શી રીતે પડી ? ।।૧।। ચતુર પણ ચિંતવી ન શકે તેવાં અન્નજળ (અંજળ) હોય છે. પ્રાણી પૂર્વ દિશામાં જવાની ઇચ્છા કરે છે. પણ તે પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે. આ બધું અંજળ વિના બની શકતું નથી. ॥૨॥ ત્યાં પણ ઇષ્ટનો યોગ સમયે થાય છે. નસીબથી અધિક અને સમયથી પહેલાં કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. વસ્તુ સ્વભાવ-અર્થાત્ સ્વાભાવિક રીતે ભાગ્યમાં હોય તો પ્રાપ્ત થાય છે. પણ નિયમા તે વસ્તુ મળવાની હોય તો જ મળે, નહિ તો ન મળે. IIII જુઓને ! હું પણ વક્રગતિ અશ્વ ઉપર આવ્યો આ અટવીમાં. પાણી માટે ગયો ત્યાં તો મિત્રસેના મળી ગઈ. તેનો મેળાપ થયો. પુણ્યની સહાય જોઈએ તો દૂર દેશાંતર રહેલા સજ્જનનો પણ ઈચ્છિત મેળાપ થાય છે. ॥૪॥
ઢાળ બીજી (ઝુંબખડાની....એ દેશી)
વિઘુલ્લત્તા કહે વીતી વાતો, સાંભળો આર્ય કુમાર, મોહનરાય મહેર કરો, મહેર કરો મનમોજ ધ૨ી,