________________
૩૮૨
ધમિલકુમાર રાસ
આવનાર નથી. મરણની વાત અમે બંને બેનોએ જાણી ત્યારે અમે ઘણું રડ્યાં અને તે પછી બંને બેનોએ સ્નાન કર્યું. ૧૩ી.
સુંદરીની વાત સાંભળી ધમ્મિલ બોલ્યો. તે બાળા ! વિણઅપરાધી તારા ભાઈને હણીને ખરેખર હું એક ગરીબડો થઈ ગયો છું. છતાં મારો તેમાં બીજો કોઈ વાંક નથી. કેમ કે “મારે તેને હણવો” તેવો કોઈ ભાવ કે ઈરાદો નહોતો. ભવિતવ્યતાના યોગે આ વાત બની ગઈ છે. અમારો આ ગુનો માફ કરો અને અમારી સાથે મનમાં રાખેલી વૈરની ગાંઠ દૂર કરો. If૧૪ હે પરાક્રમી ! તમારી સાથે અમારે કોઈ વૈર નથી. ખેદ કે કલેશની વાત નથી. ભાઈ ગયાનું દુઃખ તો હૈયે સાલે છે. પણ વીસરવું પડશે. કારણ હૈયે ગુરુદેવનો ઉપદેશ વસ્યો છે. વળી સ્ત્રીને તો બાંધવ કરતાં પ્રીતમ અધિક હોય છે. ll૧પ
રે બાળા ! તમે તો બાળાવેશમાં છો. અર્થાત તમારો વેશ તો કુંવારી કન્યાનો છે. તો વળી તમારે પ્રીતમ કેવો? આ શું બોલો છો? વળી કહેશો કે સદ્ગુરુ પાસેથી ઉપદેશ શું સાંભળ્યો? તમે બે બેનો, જરા તમારાં નામ કહેશો? II૧૬ll મારો ભાઈ વિદ્યાધર રાજા છે અને આ સઘળી વાત મિત્રસેના થકી તમે સાંભળી છે. છતાં આ પ્રમાણે અજુગતું કાર્ય કરીને મનમાં કપટ ધારણ કરીને અજાણ્યા થઈને મને પૂછો છો ? ૧૭
હે સુંદરી! તું મને કપટી શા માટે કહે છે? ઘણાં કપટો તો સ્ત્રીઓના હૃદયમાં હોય છે. ઠીક ! વળી તમને તો મેં ક્યારેય જોયાં નથી. અજાણી સ્ત્રીઓનો વિશ્વાસ શી રીતે કરીએ? I૧૮ કહેવાય છે કે જગતમાં સ્ત્રીઓ ઘણી વિશ્વાસુ હોય છે અને નિષ્કપટી હોય છે માટે તો સ્ત્રી વિનાનો પુરુષ હાલી-મવાલીનો અવતાર કહેવાય છે. પણ બીકણ ડરપોક માણસનો વિશ્વાસ કરવા જેવો નથી. ૧૯ો.
રે બાળા ! અમે ડરપોક અને બીકણ છીએ. તે તમે કેવી રીતે જાણ્યું? તારી આવી નવી નવી: વાતો સાંભળતાં અમને પ્રેમ ઊપજે છે. સાચાબોલા માણસને પરખવા જોઈએ. સાચી રીતે ઓળખવા જોઈએ. /૨૦ાા હે નરોત્તમ ! તો સાંભળી લ્યો. અમારે અસત્ય નહીં બોલવાનો નિયમ છે. મિત્રસેના સાથે નદીકાંઠે વાતો કરતાં તો ઘણો સ્નેહ બતાવ્યો હતો. પણ પાછળથી ભડકીને, ભય પામીને ભાગી કેમ ગયા? /ર૧.
ધમિલ બોલ્યો. સાંભળ બાળા ! મિત્રસેના અમને સંકેત કરીને ગઈ હતી. અમે વૃક્ષ નીચે બેઠા. તેના ઈશારા મુજબ અમારે દૂર ચાલ્યા જવાનો સંકેત મળતાં અમે ચાલ્યા ગયા. ઉત્તમ પુરુષો સ્ત્રીઓ સાથે કદી ઝઘડો કરતા નથી. ૨૨ા આવનાર તે કન્યાનું નામ વિદ્યુતત્તા હતું. કુમારની વાત સાંભળીને તે કહે છે. કુમાર ! જયાં પ્રેમ ઊમટ્યો હોય ત્યાં વળી ઝઘડાનું કારણ શું હોય? આપણે ઝઘડતાં નથી. વાત તો કરવી જોઈએ ને ! અમે સર્વે કન્યાઓ તમારા પ્રત્યે પ્રેમને ધારણ કરીએ છીએ. હા! મિત્રસેનાએ તમને શો સંકેત કર્યો હતો? તે જરા કહો તો ખરા ! તે વાત સાચી કહો તો આગળ વાત કરું ૨all
કુમાર કહે – રે બાળા ! મિત્રસેના મને કહી ગઈ હતી કે વિદ્યાધર કન્યાઓ તમારા પ્રત્યે રાગવાળી હશે તો અગાશીયે લાલ ધજા ફરકશે. અને જો વિરક્ત હશે તો શ્વેતવર્ણની ધજા ફરકશે. સફેદ ધજા લહેરાતી જોઈને અમે ત્યાંથી દૂર દૂર દેશાવર ચાલ્યા ગયા. ૨૪ બાળા બોલી... રાજકુમાર ! મિત્રસેનાના મુખથી અમે અમારા ભાઈની મર્યાની વાત જાણી. તેથી શોકસાગરમાં ડૂબી ગયાં. હૈયાફાટ રુદન થયું. બીજી કન્યાઓ પણ સઘળી રડી. પણ બનવાનું બની ગયું. સ્વસ્થ થયાં. અમે બંને બેનોએ સ્નાન કર્યું. જ્ઞાનીનું વચન યાદ આવ્યું. ભવિતવ્યતા જેવી હતી તે બનીને રહી. જ્ઞાનીનું વચન સાચું જ હોય. અમે શાંત થયાં. તેરપી