________________
૧૦
ધમિલકુમાર રાસ રૂઢિરિવાજો, નીતિ, વ્યવહાર વગેરે કંઈ જાણતો નથી. તેથી પંડિત હોવા છતાં શું કામનો ? “ભણ્યો પણ ગણ્યો નથી.” એમ મૂર્ખ તરીકે લોકમાં ગવાય છે. દીકરાની આવી વર્તણૂકે હવે આપણા ઘરનો ભાર કોણ ઉઠાવશે? I/૧૬ll પુત્ર નહોતો ત્યારે હંમેશાં આપણે પુત્રવિરહમાં દુઃખને ધારણ કરતાં હતાં. હવે પુત્ર થયો તો પણ શાંતિ નથી. કેવી સંસારની વિટંબણાઓ છે તે માટે હવે તેને (પુત્રને) જુગારિયાની જમાતમાં રાખીએ જેથી સંસારના સર્વ વ્યવહાર વગેરે જાણે - જુવે અનુભવે. વળી
ધમ્મિલકુમારના રસાલ એવા રાસની આ બીજી ઢાળ કર્તાપુરુષે કહી. (સંસારમાં હોય, ન હોય કે નાશ પામે, ત્રણેયમાંથી એકેય પ્રકારે સુખ નથી. જયારે શ્રી શુભવીર પ્રભુ ત્રણેય પ્રકારે સુખી છે.)
પ્રથમ ખંડની બીજી ઢાળ સમાપ્ત.
" -- દોહા :શેઠ કહે સુણ સુંદરી, તેં સાચી કહી વાત; પણ સંગતિ વ્યસની તણી, ગુણીજનને ગુણઘાત. Hill મસ પ્રસંગે દયા નહિ, મદિરાએ યશનાશ; કુલક્ષય વેશ્યા સંગતે, હિંસા ધર્મવિનાશ. રા. મરણ લહે ચોરી થકી, સર્વનાશ પરદાર; જુગટીયાની સોબત, ઘરધનનો અપહાર. Hall નલ દમયંતી હારીયાં, રાજ્યકાજ સુખવાસ; પાંડવ હાર્યા દ્રૌપદી, વલી વસિયા વનવાસ. નીચ જુગટીયા જાતની, સંગતી ન ઘટે નાર;
ઉંચ પ્રસંગે પામીયે, સુખસંપદ સંસાર. પા. ભાવાર્થ - શેઠ કહે છે “હે સુંદરી? તેં વાત તો સાચી કહી પણ એવું કહેવાય છે કે વ્યસનીનો સંગ તો ગુણીજનના ગુણનો ઘાત કરનાર છે. (વિચારીને કામ લેવું પડે.) I/૧l
સાત વ્યસનથી કેવાં નુકસાન થાય છે? માંસ પ્રસંગે હૈયામાં દયાભાવ પ્રગટ થતો નથી. મદિરાથી યશનો નાશ થાય છે. વેશ્યાની સંગતથી કુળનો નાશ થાય છે. શિકાર કરવાથી ધર્મ નાશ પામે છે. રા.
ચોરી કરવાથી ક્યારેક મૃત્યુદંડ થાય છે. વળી પરસ્ત્રીના સંગથી તો સર્વ નાશ થાય છે. જુગટીયાની સોબતે તો બધાં વ્યસનો આવી જાય છે અને ઘરમાં રહેલા સઘળાયે ધનનો નાશ થાય છે. ll૩.
- નળ-દમયંતી જુગારની લતે સઘળા સુખની સાથે રાજય પણ હારી ગયાં. તો વળી પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકીને તેને પણ હારી ગયા. અને વનમાં વસવાટ કરવો પડ્યો. //૪ો.
હે પ્રિયે ! સાત વ્યસનમાં મુખ્ય જુગારિયાની સંગતિ કરવી જરાયે સારી નથી. સજ્જન (ઊંચા લોકોની સોબત કરવાથી જ સંસારમાં સુખસંપદા પ્રાપ્ત થાય છે અને સમાજમાં આબરૂ-કીર્તિનો પણ વધારો થાય છે. આપણે