SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૧: ઢાળ - ૨ G પણ સામૂહિક કરે છે. પાં ધર્મનો રંગ એવો લાગ્યો છે કે તે સમજે છે હવે કે વ્યાપારાદિ પ્રવૃત્તિઓ એ વ્યવહાર જૂઠો છે. પોતાની પ્યારી પત્ની યશોમતી પણ હવે મોહની જાળ સમી લાગી રહી છે તેથી એ બધાથી અલગો (ત્યાગ – દૂર) રહી વ્રત-ધારણ કરી તે આત્મધ્યાની થયો. દા. જ્યારે પત્ની વનમાં જલક્રીડા કરવાને ઇચ્છે છે, ત્યારે કુંવર કહે છે કે “તેમાં એકેન્દ્રિય જીવોને પીડા થાય” તેથી ન કરાય. સ્ત્રી કહે, “આજે ચાલો ઉજાણી કરવા જઈએ.” ત્યારે કુંવર કહે “જિનેશ્વર ભગવાનની આ વાણી નથી. અર્થાત્ ભગવાને ઉજાણી કરવાની ના પાડી છે. શા છ જાતનાં = પરસ ભોજન આજે કર્યા છે. સ્વામી! ચલો આજે જમવાનું સરસ બનાવ્યું છે ત્યારે કુંવર કહે છે કે “આજે મેં ઘી અને શાક ધાર્યા નથી. નિયમમાં તે વસ્તુનો ત્યાગ છે. સ્ત્રી કનકાવલી હારની ઈચ્છા કરે છે. ત્યારે પતિ કહે છે “લ્યો આ માળા, ને ગણો “નવકાર” Iટ જ્યારે વેપારી લોકો ઘરઆંગણે આવે, પિતાની પેઢી ઉપર આવે છે ત્યારે આ ભોળા (શંકર), (અણગાર) સાધુ મહાત્માને બોલાવે છે. વળી ક્યારેક સખીઓ પણ યશોમતીને પૂછે છે કે અલી? કેમ છે? બરાબર છે ને? તારો પ્રીતમ તને પ્રેમથી પાળે છે કે કેમ? વગેરે વગેરે પૂછે છે .....Iો ત્યારે યશોમતી સખીઓને કહે છે (શું કહે બિચારી ?) કે “મારો અને મારા પતિનો સંયોગ તો પાર્વતી અને શંકરના યોગ જેવો છે. સખીઓ કહે – એટલે? એટલે એ જ કે જ્યારે તેણી (પાર્વતી) ભાવતું ભોજન ઇચ્છે છે ત્યારે શિવ (શંકર) આકડાનાં ફૂલ મંગાવે છે. /૧ના. વળી જ્યારે સંભોગની સામગ્રીનો વિચાર કરે છે, ત્યારે તેનો પતિ એકપગે યોગમુદ્રાને ધારણ કરે છે. વળી જયારે અંગ ઉપરશણગાર ધરવાની ઇચ્છા કરે છે. ત્યારે બે-ચાર સર્પ લઈ આવીને આપે છે. /૧૧ શરીરે સુગંધિત દ્રવ્યનું વિલેપન કરવા ઇચ્છે છે ત્યારે અંગ ઉપર ભસ્મ લગાવે છે. ગીતગાન કરવા ઇચ્છે છે ત્યારે ડમરૂ (સરગાલ) વગાડે છે. વાહન ઉપર સવારી કરવાની વેળાએ સાંઢ ઉપર પ્રયાણ કરે છે અને વસવાટ માટે મંદિરને બદલે સ્મશાનમાં વાસ કરે છે. ૧ર. પરનારી દેખીને તેમાં લંપટ થાય છે. વળી ભીલડીની પાછળ નગ્ન થઈને નાચે (નૃત્યકાર) છે. પાર્વતીની સાથે લગ્ન કર્યા અને કૈલાસ પર્વત ઉપર જઈને ધ્યાન ધરે છે. આવા સ્વરૂપે દેવો તેમને (શંકરને) જુએ છે. 13 - ઘરે ઘરે યજ્ઞ કરાવે છે. “ગૌરીમાં રહો રહો”, એવાં ગીતો ગાય છે. પણ જયારે શંકરને જુએ છે ત્યારે કૂવે પડવા જાય છે. (શંકર જયારે ધ્યાન ધરે છે, ત્યારે નારદજી કહે છે કે “પુત્ર-પ્રાપ્તિ વિના સ્વર્ગ ન મળે.” ત્યારે શંકરે કહ્યું કે તમે કોઈ કન્યા શોધી લાવો, હું તો ધ્યાન કરવા રહ્યો છું.” ત્યારે નારદજી પર્વતરાજાની પુત્રી પાર્વતી સાથે નક્કી કરીને આવ્યા. જ્યારે શંકર પરણવા ગયા, ત્યારે તેમની સાસુ મેનકાએ શંકરનું રૂપ જોયું અને સ્ત્રીઓ પણ એ પ્રમાણે ગીતો ગાવા લાગી અને સાંભળીને દુઃખી થઈ કે અરે ! આવા ઘરડા વરને મારી પુત્રી આપી ? રે ! આવા ઘરડા વરને પુત્રી આપવી તે કરતાં કૂવે પડવું સારું. ૧૪ll , આ પ્રમાણે યશોમતી પોતાની સખીઓની સાથે પરસ્પર વાત કરવા લાગી. ને આ વાત ધમિલની માતાએ સાંભળી. પછી એ વાત સુભદ્રાએ પોતાના સ્વામી સુરેન્દ્રદત્તને કહી કે “સ્વામી ! આપણો પુત્ર ભલી-ભોળો છે, પણ લોકમાં તેની મશ્કરીઓ ઘણી થાય છે. ૧પો આ સંસારનો આચારવિચાર,
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy