________________
૩૫૬
ધમિલકુમાર રાસ,
નથી. હું જાણું છું કે ખેચર-ભૂચર વગેરે ઘણા પુરુષો મારી ઈચ્છા કરે છે. પણ હું કોઈ પુરુષ સાથે વાત કરતી નથી. કારણ કે પૂર્વભવનો સ્વામી મળે તો તેની સાથે વાત કરવી મને રુચે. ત્યારે યોગિણી બોલી કે “પૂર્વભવનો વૃત્તાંત શું છે?” અર્થાત્ પૂર્વભવે વાત શી બની? II૧પમાં કન્યા રત્નાવતી પણ પોતાનું હૈયું હળવું કરવા ઇચ્છતી હોય તે રીતે બોલી. “મૈયા? સંસારના માણસોનાં દિલ તુચ્છ અને કૂડકપટી હોય છે. તેથી કોઈની આગળ હૈયાની વાત ન કરાય. પણ દુઃખને દૂર કરનારા અને સુખ આપનારા એવા તમારા જેવાં કોઈક જ હોય છે. તેથી તમને મારા પૂર્વભવની વાત કહું છું તે સાંભળો. આ ભરતક્ષેત્રમાં રૂડી અને સુંદર એવી અયોધ્યા નગરી વસેલી છે. ૧૬ll,
આ નગરીની બહાર સુંદર વનોદ્યાન શોભતું હતું. આ વનમાં વૃક્ષોની શ્રેણી ઘણી હતી. વનમાં પશુ પંખી પણ ઘણા વસતા હતા. તેમાં એક હરણ યુગલ પણ હતું. આ યુગલને ઘણી માયા હોવાથી સ્નેહથી સુખપૂર્વક સાથે ખાય-પીવે. સાથે ઊઠે સાથે જંગલમાં ફરે. શરીર જુદાં હતાં. જીવ એક હતો. દેહ અને છાયા સાથે રહે તેમ તે બંને સાથે જ રહેતાં. સુખમાં લીન હતાં. એક વખત સીતાપતિ (રામમુનિ) મુનિ ભગવંત વિહાર કરતાં આ વનમાં પધાર્યા. હરણ હરણીએ તેમને જોયાં. f૧ળા
રત્નપતીનો પૂર્વભવઃ- તે રામમુનિની મીઠી – મધુરી વાણી સાંભળવા પશુપંખી દોડી આવતાં. જાતિવૈરભાવ છોડીને સૌ મુનિની આસપાસ વીંટળાઈને બેસતાં હતાં. દશરથ પુત્ર-મુનિ તે સૌને મીઠી વાણીથી બોલાવતા અને દેશના સંભળાવતા. જંગલમાં કઠિયારાઓ લાકડાં કાપવા દરરોજ આવતા હતા. તે દિવસે મુનિને જોઈને તેમની પાસે એક કઠિયારો આવ્યો. મુનિને કહે “હે મુનિરાજ મને પણ કંઈક ધર્મ સંભળાવો.” મુનિએ તેને પણ જૈન ધર્મના તપ-વ્રત-જાપની વાતો કરી. ધર્મ બતાવ્યો. આ ધર્મનું સેવન કરશો તો સુખી થશો. I૧૮ વળી કહે જો સદાકાળ ધર્મનું સેવન ન કરી શકો તો દશતિથિ પણ વિરતિધર્મનું પાલન જરૂર કરજો. કઠિયારાને આ ધર્મ ગમી ગયો. સદ્ગતિની ઇચ્છાથી મુનિ પાસે કિંઈક વ્રત નિયમ લીધા. મુનિવરનાં વચનો અમૃત સરખાં હતાં. પશુપંખીને પણ અસર થતી. આ વાણી મૃગયુગલે સાંભળી. ગમી. દરેક પર્વનાં (દશ તિથિ તે પર્વ કહેવાય.) તે યુગલે ચઉવિહાર ઉપવાસ કરવાનો નિયમ લીધો. નિયમ બરાબર તે યુગલ પાળવા લાગ્યાં. ૧૯
મુનિભગવંતના મુખે પંચ-પરમેષ્ઠી મંત્ર સાંભળી તે યુગલ તે મંત્રનો નિયમિત જાપ કરવા લાગ્યા. ' આયુષ્ય પૂર્ણ થયે હરણી મરીને હું અહીંયાં રાજકુમારી થઈ. તો તે મારો સ્વામી હરણ પણ મૃત્યુ પામી રાજકુળમાં ક્યાંક અવતર્યો હશે. અમે બે સરખો ધર્મ આચરતાં તે બંનેની ગતિ સરખી જ હોય ને? મારો તે પૂર્વભવનો પતિ મળે તો પરણવું. નહિ તો બીજો પતિ કરવો નહીં. રબા એકદા પૂર્ણિમાના ચંદ્રમંડલની વચ્ચે હરણ જોઈને સહજભાવે મને પ્રેમ ઉત્પન્ન થયો. તે કારણે ઘણું વિચારતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનો સઘળો વૃત્તાંત જાણ્યો. તે વાત મેં સઘળી મનમાં ગોપવી રાખી છે. આ કારણે હું કોઈ પુરુષનું મુખ જોતી નથી. તેથી લોકો મન પુરુષષિણી કહે છે. મા ! આ મારી કહાની છે. ૨૧l
હે મૈયા! હું કામદેવનાં નિત્ય પૂજા-પાઠ કરું છું. વળી દઢ વિશ્વાસ છે કે અવશ્ય મને મારો માનીતો પૂર્વભવનો પતિ પ્રાપ્ત થશે. જો તમે જ્ઞાનબળથી જાણતાં હોય તો તે વાત પ્રકાશો. આ પ્રમાણે પાંચમા ખંડની આ આઠમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજયના વચનને સાંભળીને ભાગ્યશાળી, વ્રતના ભાવને તમે પણ હૈયામાં ધારણ કરો. અર્થાત્ જૈનધર્મમા કહેલાં વ્રત-પચ્ચકખાણ કરવાના નિયમો લ્યો. રા.
ખંડ-૫ ની ઢાળ : ૮ સમાપ્ત