________________
ધર્મિલકુમાર રાસ
ચંપાનગરીનો રાજા કપિલ-સંબાહનો રાજા સુદત્ત તથા યુવરાજ-મિત્રો-દેશ નગરનાં નરનારીઓ કુંવરની વાતો સાંભળી આનંદ પામ્યાં અને સૌ જન કુંવરનાં ગુણ-ગીતો ગાતાં પ્રશંસા કરવા લાગ્યાં. ॥૨॥
૩૪૦
પ્રશંસનીય ધમ્મિલકુમાર એક દિવસ રાજસભામાં ચંપાપતિ પાસે બેઠા હતા. જ્ઞાનગોષ્ઠિ ચાલતી હતી. સૌ આનંદમાં હતા. તક ઝડપી કપિલનરેશનું પ્રસન્ન ચિત્ત જાણી કુમારે વાત મૂકી. રાજન્ ! સંબાહપતિ રાજા સુદત્તની સાથે જૂનું વેર ભૂલી જવા જેવું છે. એ તમને ઘણો ઝંખે છે. અપરાધની ક્ષમા આપો તો કેવું ? મને તો ભાઈ નથી. મને ભાઈની ઘણી ઇચ્છા પણ તે તો કર્માધીન-વાત. આપને તો નાનો રૂડો કેવો વિનયશીલ ભાઈ છે. કુમારની વાત સાંભળી રાજાએ તરત જ હા ભણી. હે ધમ્મિલકુમાર ! મને ભાવના તો હતી મારા ભાઈને મળવાની. પણ કોઈ નિમિત્ત મળતાં નહોતાં. સદ્ભાગ્યે આજે તમે વાત કાઢી. અમારા ભાઈ સાથે હું સંધિ કરારથી બંધાઉં છું. સભા તો થોડીવારમાં વિસર્જન કરી. કુમારે તરત જ સંબાહન રાજા સુદત્તને શુભ સંદેશ પાઠવ્યો. નાનો ભાઈ દોડતો ચંપાનગરીએ આવ્યો. બંને ભાઈ અરસ-પરસ મળ્યા. ભેટ્યાં. ભૂતકાળ ભૂલી ગયા. ક્ષીરનીરની જેમ બંને ભાઈઓ એકરસ થઈ ગયા. IIII સુદત્ત રાજાએ પોતાની દીકરી પદ્માવતીને ઘણા કરિયાવર સાથે ચંપાનગરીએ મોકલી અને પદ્માવતી પણ ધમ્મિલકુમારને ત્યાં આવી. સ્વામીને પગે ` લાગ્યા પછી વિમળસેનાને પણ પાયે પડી. ॥૪॥
ચંપાપતિ કપિલ નરેશ, જમાઈ ધમ્મિલને ઘણું માન આપે છે. ધમ્મિલ પણ મર્યાદામાં રહીને વિવેક જાળવે છે. ધમ્મિલ બધી સ્ત્રીઓ સાથે ઘણા સ્નેહથી રહે છે. સંસારનાં સુખો ભોગવે છે. અને પોતાનો સમય સુખમાં પસાર કરે છે. દિવસે દિવસે વિમળા પ્રત્યેનો સ્નેહ ઘણો ગાઢ બનતો જાય છે. પા
શ્રી વિજયસેનસૂરિ ભગવંતનું આગમન :- એકવાર હવે ચંપાનગરીના ઉદ્યાનમાં જ્ઞાની ભગવંત વિજયસેનસૂરિ પરિવાર સહિત આવીને સમોસર્યા. અને તેની વધામણી ઉઘાનપાલકે વેગે જઈને કપિલરાજાને આપી. ધમ્મિલકુમારને પણ આ સંદેશો પહોંચાડ્યો. II૬॥ વનપાલકે આપેલી વધામણીથી રાજાએ તેને ભેટલું આપી વિદાય કર્યો. રાજપરિવારની સાથે રાજા ગુરુભગવંતને વંદન કરવા જાય છે. ધમ્મિલને પણ સમાચાર મળતાં ધાવમાતા તથા વિમળા આદિ બધી પત્નીઓને, બીજા પણ પરિવારને સાથે લઈને, કુમાર વંદન કરવા ઉદ્યાનમાં આવ્યો. IIII
મુનિરાજે પણ ભવ્યજીવોને યોગ્ય દેશના આપી. દેશનામાં મુનિએ મનુષ્યભવની દુર્લભતા બતાવી. પચ્ચકખાણ વ્રતનો મહિમા સમજાવ્યો. તેના ફળની વિશેષ વાતો કરી. ॥૮॥ આ ભવમાં જેમ ધમ્મિલે વ્રત અને પચ્ચકખાણ કરવાથી ઘણા સુખને મેળવ્યું. વળી રત્નશેખર રાજવી પણ વ્રત પચ્ચકખાણના આરાધનાથી પરભવમાં મહાસુખને પામ્યા. III મુનિમુખે ધમ્મિલ રત્નશેખર રાજાની વાત સાંભળી, કપિલરાજા આશ્ચર્ય પામ્યા. અને ગુરુમહારાજને પૂછે છે હે ભગવંત ! એ મહાપુણ્યશાળી ધમ્મિલ અને રત્નશેખર રાજા કોણ ? મુનિ કહે છે હે રાજન્ ! ધમ્મિલ જે, તે આ સભામાં બેઠા છે. તેમણે તો પ્રત્યક્ષ ફળ મેળવ્યાં છે. જ્યારે રત્નશેખર રાજાનો વૃત્તાંત કહું છું તે સાંભળો. ।૧૦।
ઢાળ સાતમી
(સાંભળયો હવે કર્મવિપાક મુનિ કહે રે...એ દેશી) પુણ્યતણા થાનક ગૃહિવેશે મુનિ કહે રે,
પુણ્યબંધ શુભ પરિણામે સુણો સંત રે,