SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ - ૫.: ઢાળ - ૦ ૩૩૯ કહેવાય છે કે “સમુદ્રમાં નદીઓ સમાય તેમ ભરતામાં સર્વ ભરાય છે.” |રપા માતપિતાઓએ પોતાની કન્યાઓનું સારી રીતે વળાવું કર્યું. વિદાય આપી. કુમાર પણ આઠે નવપરણેતર સ્ત્રીઓને લઈને વિમળાને ઘેર આવ્યો. આમ ધમ્મિલકુમાર સ્વર્ગ સરખાં સુખોને ભોગવી રહ્યો છે. વળી જુદા જુદા સગાવહાલાને ત્યાં વરઘોડિયાના જમણવાર રૂપ ઓચ્છવ પણ સાથે થાય છે. ર૬ll. શ્રી શુભવીરવિજયજી મહારાજ આમ્રરસ (કેરીનો રસ) સરખાં મધુર વચનોથી કહે છે કે “હે પુણ્યવંતા પ્રાણીઓ ! જો તમે લક્ષ્મીની ઇચ્છા કરો છો તો તમે પણ સૌ પુણ્યનું આચરણ અર્થાતુ પુણ્ય ઉપાર્જન કરો. જેથી સુખને પામો.” આ પ્રમાણે પાંચમા ખંડને વિષે છઠ્ઠી ઢાળ પૂર્ણ થઈ. રા. ખંડ - ૫ ની ઢાળ : ૬ સમાપ્ત - -: દોહા :અશ્વતરણ પુનરાગમન, પંથે પ્રગટી વાત; પ. રવિશેખર મિટાને, ભાંખે સવિ અવદાત ||૧|. ચંપા સંબોહણ પતિ, વળી યુવરાજને મિત્ત, દેશ નગર નર નારીઓ, ગાવે કુંવરના ગીત પર ચંપાપતિને સમજાવીને, સંબાહપતિશું મેલ, કુંવર કરાવે ખીરનીર, પરે રસ બાંધવ કેલ પાડ્યા પદ્માવતીને ‘ મોકલે, સંબાહણનો રાય, ઋદ્ધિ સહિત સા આવીને, પ્રણમે વિમલા પાય પારા ચંપાપતિ બહુમાનથી, સુખભર રહેતાં તેહ, દિન દિન અધિકેરો વરે, વિમલા સાથે નેહ પો એકદિન ચંપાપરિસરે, વિજયસેનસૂરિરાય, સમવસર્યા મુનિવૅદશું, વનપતિ દેહ વધાય. દા. કપિલરાય યુવરાજશું, વંદન નમન કરંત, ધમિલ વિમલાદિક સહિત, આવી ગુરુને નમંત || કહે મુનિ તેહને દેશના, પવૃદિક ઉદેશ; પચ્ચકખાણ મણુએ ભવે, પામે ફળ સવિશેષ પાટા વ્રત પચ્ચકખાણે સુખ લહ્યું, જેમ ધમ્મિલ કુમાર; રત્નશેખર વળી રાજવી, ઈહપરભવ સુખસાર | પૂછે કપિલ તે કોણ હુઆ, મુનિ કહે ધમ્મિલ એહ, રત્નશેખર વંછિત ફળ્યાં, કહીએ વિવરી તેહ. ||૧ના બંધુબેલડીની સંધિ -ધમ્પિલકુમારે અહરણથી સંબોહમાં પહોંચવું અને ત્યાંથી વળી પાછા ચંપાનગરીમાં ' આવવું. આ રીતે માર્ગમાં બનેલો વૃત્તાંત રાજા તથા મિત્ર રવિશેખર યુવરાજને કહી સંભળાવ્યો. ૧TI.
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy