________________
ખંડ - ૪: ઢાળ - ૧૦
૨૮૦
ગમે ત્યાં પોતાનાં દુઃખની વાત કરાય નહીં. ઘર ફૂટે ઘર જાય. વાત કરતાં હાંસીને પાત્ર, લોકમાં થઈએ છીએ. પરંતુ તમે સાધર્મિક છો. તમને કહેવામાં કોઈ હાંસી કરનાર નથી. અને વાત કરતાં હૈયું હળવું થાય છે. /all કુબેર સરખા શેઠ હસંતિપુરમાં વસે છે. જેનું નામ ધનપતિ છે. આ શેઠને લક્ષ્મીવતી નામે પ્રાણપ્રિયાથી સારભૂત સંસારનાં સુખ ભોગવતાં બે પુત્રની પ્રાપ્તિ થઈ છે. [૪માં
એક પુત્રનું નામ ધનસાર, જયારે બીજાનું નામ ધનદેવ છે. બંને પુત્રો યુવાવસ્થા પામતાં, માતાપિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યા આયુષ પૂરું થતાં માતપિતા પરલોકવાસી થયાં. ઘરમાં વડીલ કોઈ ન રહ્યું. તેથી બેય દેરાણી-જેઠાણી અંદરોઅંદર ઝઘડવા લાગ્યાં. કોણ ઝઘડો ઓલવે? પણ છેવટે “કજિયાનું મોં કાળું” ક્લેશથી કંટાળી બંને ભાઈઓએ, પિતાની સંપત્તિ જે હતી તેના ભાગ પાડી દીધા. જુદા રહેવા લાગ્યા. પણ નાના ભાઈ ધનદેવની પત્ની ઘણી કજિયાળી હતી. કુડકપટી કલંકી તે સ્ત્રી સ્નેહ જેવું જાણતી નહોતી. પોતાના પતિને પણ સુખ આપતી નહોતી. IIી મોટો ભાઈ ધનસારને ખબર પડી કે મારા ભાઈને પત્ની થકી સુખ નથી. તેથી બીજી નાની કન્યા સાથે પરણાવ્યો. તે પણ સ્ત્રી મોટી સ્ત્રીની સંગતે ચડી. શરૂઆતના દિવસો સારા ગયા. અને તે પણ મોટી જેવી થઈ ગઈ. તેથી ધનદેવને બંને સ્ત્રી હોવા છતાં લેશમાત્ર સુખ નથી. //શા - કારણવશાતુ ધનદેવને બંને સ્ત્રીઓ ઉપર શંકા થઈ. તેથી તે બંનેનું ચરિત્ર જાણવા માટે પેંતરો રચ્યો. મને ટાઢિયો તાવ ચડ્યો છે. એ રીતે કહીને સવારથી ઘરમાં સૂઈ રહ્યો. ખાવાપીવા પણ ઊઠ્યો નથી. સ્મશાનમાં મડદું પડ્યું હોય તે રીતે નિક્ષેતન રીતે પડી રહ્યો. સાંજ પડતાં તે સ્ત્રીઓને લાગ્યું કે “તાવના કારણે મૂઓ મિર્યો લાગે છે. એટલે તેની ઉપર “વસ્ત્ર ઢાંકી દીધું. દા. તે પછી તે બંને સ્ત્રીઓ તૈયાર થઈને ઘરની બહાર નીકળી. ઘરની પાછળ બગીચો છે. ત્યાં પહોંચી તેમાં આંબાનું વૃક્ષ હતું. તેની ઉપર બંને સ્ત્રીઓ ચઢી ગઈ. મંત્રનું વિધિપૂર્વક સ્મરણ કરે છે. તે વખતે તેનો સ્વામી ઊઠ્યો. 'લા
બંને સ્ત્રીઓ રત્નપુર નગરીમાં - બંને સ્ત્રીઓની પાછળ પાછળ છુપાતો આંબાના વૃક્ષ પાસે ધનદેવ પણ પહોંચ્યો. જોયું તો બંને સ્ત્રીઓ વૃક્ષ ઉપર ચઢી ગઈ. તેથી પોતાની પાસે જે વસ્ત્ર હતું તે વસ્ત્ર થકી પોતાનું શરીર વૃક્ષના થડ સાથે બાંધી દીધું. સ્ત્રીઓની મંત્રવિધિ પૂરી થતાં આંબા-વૃક્ષ ગગન તરફ ચાલ્યું. વૃક્ષ રત્નદીપ વનમાં જઈને ઊતર્યું. ૧ળા વૃક્ષ ઉપરથી બંને સ્ત્રીઓ નીચે ઊતરીને રત્નપુરનગર તરફ ચાલવા લાગી. વૃક્ષ નીચે ઊતર્યું કે તરત ધનદેવ વસ્ત્ર છોડી વૃક્ષથી છૂટો થઈને દૂર જઈ ઊભો. બંને સ્ત્રીઓ જ્યાં ઊતરીને ચાલવા લાગી, તો તેની પાછળ છૂપાતો છૂપાતો ધનદેવ ચાલવા લાગ્યો. આ રત્નપુર નગરમાં “શ્રીપુંજ નામે શેઠ વસે છે. આ શેઠને ચાર દીકરા ને એક દીકરી છે. દીકરીનું નામ શ્રીમતી છે. ||૧૧||
તે નગરમાં વસુદત્ત શ્રેષ્ઠી રહેતા હતા. તેના પુત્ર સાથે શ્રીમતીના વિવાહ થયા. લગ્ન લેવાયાં છે. વસુદત્તનો પુત્ર પરણવા આવ્યો. વરઘોડો નીકળ્યો તો તે બંને સ્ત્રીઓ વરઘોડો જોઈ રહી છે. ધનદેવ પણ જયાં ચોરી શણગારી હતી તેની બાજુમાં છુપાઈને ઊભો. I/૧રા વરરાજા કન્યાના માંડવે આવ્યા. તોરણે ચડ્યા. વિધિપૂરી થતાં વરરાજા તોરણ છાબવા જાય છે. દૈવયોગે તેજ સમય ખગનું તોરણ જે હતું તે તૂટ્યું અને ખગ્ન વરરાજાના માથા ઉપર પડતાં જ વરરાજા મૃત્યુ પામ્યા. /૧૩ll
અચાનક વરરાજાનું મૃત્યુ થતાં હાહાકાર થઈ ગયો. પુત્રનો પિતા વસુદત્ત રોતો રોતો ઘેર પાછો * ગયો. શ્રીપુંજ પણ ઘણું રડ્યો. ને હવે ચિંતા કરવા લાગ્યો. કોડભરી કન્યા ઘરમાં તૈયાર થયેલી બેઠી