________________
૨૦૬
ધમ્મિલકુમાર રાસ
પૂછે થકે બેહુ નારી કહે રે, શેઠ ગયા પરદેશ..કા.॥૩૨॥ બારોબાર તિહાં આવશે રે, ધરશો ન ચિત્ત ક્લેશ પણ અમને એમ કહી ગયા રે, રત્નપુરીથી કોય, ..કા. ॥૩૩॥ આવે તો શુક આપજો રે, શ્રીમતી ખેલન જોય સાંભળી મંજર લેઈ ચલે રે, દેવે શ્રીમતી હાથ,..કા. II૩૪|| વાત સુણી શુક હુલાવતી રે, જાણે મળીયો નાથ એક દિન દોરો દેખી કરી રે, બંધન છોડે તામ, ..કા. II૩૫મા વિસ્મય પામ્યા સાજન સહુ રે, ધનદેવ પ્રગટ્યો જામ સસરો રાખે અન્ય મંદિરે રે, દંપતી સુખ વિલસંત, ..કા. ॥૩૬॥ દિનકેતે તાત મરણ ગયો રે, શ્રીમતી તામ વદંત સસરા નામે ઓળખાવતાં રે, તુમ ગુણવંતને લોક, ..કા. II૩૭ll અમ સસરા ઘર જઈ રહ્યુ રે, તો મુઝ થાય અશોક કહે ધનદેવ સુણજો પ્રિયા રે, ભાજીના છમકાર..કા.II૩૮॥ હજીય લગે નવિ વિસરે રે, સા કહે કેમ છમકાર. કંતમુખે સવિ સાંભળી રે, હસીય કહે સા નાર,..કા.II૩લા પૂર્વ પ્રિયા મુજ આગલે રે, રાંક તણો અવતાર
શ્રીમતી આગ્રહે ઝાહાજે ચઢી રે, ઉતરીયા નિજ ગામ; .કા. II૪૦ના સન્મુખ સજ્જન ઓછવે રે, આવી વસ્યા નિજ ધામ.
દોય જણી મનચિંતવે રે, વિસરીયો છમકાર;..કા.II૪૧|| વળી આવ્યો ૨સ ચાખવા રે, નવલ વહૂ ભરતાર,
આસન મંત્રી બેસારીને રે, પગ ધોવે લઘુ નાર;..કા.॥૪૨॥ જ્યેષ્ઠામંત્રી જલ છાંટતી રે, આંગણે ફરતે બાર. તે જલપૂર નાસા લગે રે, શ્રીમતી તામ મંત્રે કરી રે,
જબ ડૂબ્યો ધનદેવ; ..કા.॥૪॥ શોષી લીએ તતખેવ શ્રીમતી પાયે પડી બેહુ જણી રે, શેઠ જુવે થઈ થી૨; ..કા. II૪૪ ચોથે ખંડે દશમી ભલી રે, ઢાળ કહે શુભવીર.
ધનદની આપવીતી :- ભાઈ કામણ ટુમણ કરનાર, કામણગારી સ્ત્રીઓની વાત શી કરવી જુઓને !
પરદેશી રાજાને, સૂર્યકાન્તાએ (સ્ત્રી) પોતાના સ્વાર્થ માટે સ્વામીને ઝેર આપીને મારી નાંખ્યો. !।૧।। વળી સાસુ વીરમતીની ચડાવેલી વહુ ગુણાવલીએ સ્વામી ચંદરાજાને કૂકડો બનાવી દીધો. ચૂલણી માતાએ ચક્રવર્તી બ્રહ્મદત્તને મારવા માટે લાખનું ઘર બનાવી તેમાં રાખ્યા. આ છે સંસાર ! ॥૨॥