________________
૨૮૨
ધમિલકુમાર રાસ
ન કરતાં ને રસ્તામાં ખાવા માટે કરંબો લઈ જાવ. કરબો પણ મંત્રીને આપ્યો; તે લઈને મદન નીકળ્યો. ચાલ્યો જાય છે. એક ગામથી બીજે ગામ. મધ્યાહ્ન સમય થતાં સરોવર દેખાયું. તેને કાંઠે વિશ્રામ કરવા બેઠો. H૩પા મદન સરોવરતીરે તાપસને દાન - ભોજન સમય પણ થયો હતો. ભૂખ પણ લાગી હતી. કરંબો છોડીને ખાવાની તૈયારી કરે છે. મદન વિચારે છે કે એકલો ભોજન કરું? ના! ના ! કોઈ અતિથિ આવે તેને આપીને પછી જમું. [૩૬ll
દૂર સુદૂર નજર કરતાં એક તપસ્વી તાપસ જોવામાં આવ્યો. ભક્તિપૂર્વક ભાવથી બોલાવ્યા. અને સાથ રહેલો કરંબો દાનમાં આપ્યો. તાપસ પણ સરોવરના તીરે એક બાજુ જઈને કરંબો ખાવા લાગ્યો. તેમાં તેને અદ્ભુત સ્વાદનો આનંદ થવા લાગ્યો. ૩૭ી મદન પણ થાકેલો હતો. સરોવરમાં સ્નાન કર્યું. તે પછી ખાવા બેઠો. કરંબાનો કોળિયો જેવો હાથમાં લઈને મોંઢામાં મૂકવા જાય છે ત્યાં કોઈ નજીક હાલી ખેડૂત છીંક્યો. l૩૮
તાપસ બોકડા રૂપે - છીંકના અપશુકન માનીને, મદને ભોજન ઝંડી દીધું. ઊભો થયો. તો પેલો તાપસ જયાં બેઠો હતો ત્યાં મદન નજર કરે છે તો તપસ્વી તાપસને બોકડા સ્વરૂપે જોયો. તાપસ પાસેનાં જે ઉપકરણો કમંડલ - પીંછી – ડંડ વગેરે ભૂમિ ઉપર પડેલાં છે. બકરો બેં બેં કરતો હતો. મદન તો મનમાં વિચાર કરતો, ત્યાં ઊભો ઊભો બધું છાનોમાનો જોયા કરતો હતો. [૩૯ વળી વિચાર આવ્યો કે “જોઉં, આ ક્યાં જાય છે ?” બોકડો હવે સરોવરની પાળેથી ગામ તરફ ચાલવા લાગ્યો. મદન પણ તેની પાછળ પાછળ જાય છે. બોકડો વિદ્યુcત્તાના ઘેર પહોંચ્યો. મદનશેઠ પણ ત્યાં સુધી છૂપી રીતે પહોંચ્યો અને ત્યાં આસપાસમાં છૂપાઈને ઊભા રહીને જુએ છે. Ivolી
બોકડો જેવો ઘરમાં આવ્યો, તરત વિદ્યુતત્તાએ ઘરનાં દ્વાર બંધ કરી દીધાં. ઘાંટા પાડીને ગર્જી ગર્જીને બોલવા લાગી. મદનશેઠ બંધ બારણા પાસે આવીને બધું સાંભળવા લાગ્યા. પોતાની સ્ત્રી વિઘલા બોકડાને મારતી જાય છે ને બોલતી જાય છે. “રે ! તારી બે મા તને સાંભરી. (બે પત્ની). તેની યાદ આવતાં મને છોડી દીધી. અને ત્યાં તે બે જણીને મળવા ગયો. હવે જોઉં તો ખરી, અહીંયાં તારે કોનું શરણું છે? તને કોણ બચાવે છે? બોલતી જાય ને મારતી જાય. બોકડો આમ તેમ ઘરમાં બેં બેં કરતો દોડધામ મચાવે છે. //૪૧// અવાજ સાંભળીને આજુબાજુના લોકોએ આવીને બોકડાને છોડાવ્યો. તેની સખીઓએ શિખામણ આપી. “ગમે તેમ તોય તારો સ્વામી છે. આવું ન કરાય. તેને સજ્જ કર.” વિદ્યુલત્તાએ સખીની વાત માની, અને પાણી મંત્રી, બોકડા ઉપર નાંખ્યું. બોકડો મટી તાપસ થયો. તાપસ કહેવા લાગ્યો કે મેં કરબો ખાધો. ને હું બોકડો થઈ ગયો. જરા | છાનોમાનો જોતો મદન, તો આ દશ્ય જોઈને મૂઠી વાળીને ત્યાંથી ભાગી ગયો. એક રાત્રિમાં દશ જોજન દૂર પહોંચી ગયો. ત્યાં હસંતી નગરની ભાગોળે પહોંચ્યો. જ્યાં જિનમંદિર હતું. જોતાં જ મદન ઘણો આનંદ પામ્યો. ૪૩ ચોથા ખંડને વિશે નવમી ઢાળ ચઢતે રંગે પૂર્ણ થઈ. વીરવિજયજી મહારાજ કહે છે કે જે લોકો નારીના સંગને ત્યજે છે તે લોકો ધન્યવાદને પાત્ર છે. ll૪૪||
ખંડ - ૪ ની ઢાળ : ૯ સમાપ્ત