________________
ખંડ - ૪ : ઢાળ - ૯
૨૮૧
વિદ્યુત્સતા ને મદનનાં લગ્ન :- તે તારી દીકરીનો ભરતાર થશે. આ પ્રમાણે તમારી બધી વાત, કુળ, જાત વગેરે કરી. તેથી તમને ઓળખું. તમારું નામ પણ જાણું છું. કુળ પણ જાણું છું. આ પ્રમાણેની વાત સાંભળી મદન પણ તે કન્યા સાથે લગ્ન કરવા સંમત થયો. શુભ દિવસે શુભ ઘડીએ તે બંનેનાં લગ્ન ભાનુદત્તે ધામધૂમથી કર્યા. રહેવા માટે વાસભુવન એટલે સુંદર હવેલી આપી. બંને હવે સુખોને ભોગવે છે. ।।૨૪। મદનશેઠ પણ પૂર્વનાં સર્વ દુઃખને ભૂલીને, વિદ્યુત્સત્તા ઉપર અપાર પ્રેમ રાખે છે અને સુખમાં કાળ ગુમાવે છે. I૨૫।
પ્રથમ પ્રસૂતિ સારી રીતે થઈ. એક બાળકનાં બંને માતાપિતા બન્યાં. ધન કમાવા માટે મદન શેઠ વર્ષાકાળે દેશાંતર ગયો. રતિ સંગ છોડતાં તેને જવું પડ્યું. ધનની જરૂર પડે. મુશળધાર વરસાદ વરસે છે. આકાશે ઘણી વીજળીઓ ચમકી રહી છે. તેમાં કેટલીક વીજળી તો ઘર ઘર પેસીને વિયોગી સ્ત્રીઓને રડતી જુએ છે. II૨૬ા એ અવસરે દેશાંતરથી મદન ઘેર આવી ગયો છે. જ્યાં વિદ્યુત્સત્તાની શય્યા છે ત્યાં ગયો. રાત્રિનો સમય હતો. દીવડાની જ્યોત અરીસામાં ઝળકી રહી છે. તેમાં એક બાજુ વિયોગી નારી પડી રહી છે. બીજી તરફ નજીકમાં બાળક રડે છે. ૨૭ના
વિદ્યુત્સત્તાએ પોતાના સ્વામીને જોયો. કહેવા લાગી. સ્વામી ! વર્ષાકાળ ઋતુ આવીને ચાલવા લાગી. પણ તમે ન આવ્યા. મુશળધાર વરસાદથી નેવાંનાં પાણી બહાર ઝરી રહ્યાં છે અને આ નયનનાં નેવાં ઘરમાં ઝરી રહ્યાં છે. ધન ખૂટી ગયું છે. શું કરું ? બાળક ભૂખ્યું થયું છે અને રડી રહ્યું છે. ૨૮ા વિયોગી અને રડતી. સ્ત્રીનાં વચનો સાંભળી મદનશેઠને પણ ઘણું દુઃખ થયું. આંખમાં પાણી આવ્યાં. તે જ વખતે મદનને ચડા-પ્રચંડા બંને સ્ત્રીઓ યાદ આવી. તેથી આંખો વધારે ભીની થઈ. II૨૯।। તે જોઈને વિદ્યુત્સત્તા બોલી - “સ્વામી !” તમારી આંખમાં આંસુ કેમ ! મદન કહે - એ તો એમ જ. વિદ્યુત્સત્તાએ અતિઆગ્રહે પૂછ્યું. તો મદન કહે...“તે બંને બિચારી મારા વિના શું કરતી હશે ! આ રીતે કહીને પછી ચંડા-પ્રચંડા બંને સ્ત્રીની વાત કહી. આજદિન સુધી ક્યારે યાદ કરી નહોતી. પણ આજે યાદ આવી ગઈ. વળી મદન બોલ્યો. II3II
પ્રિયે ! જો તું રજા આપે તો એકવાર હું ઘેર જઈ આવું. આ સાંભળીને તો વિદ્યુત્સત્તા મનમાં વિચારવા લાગી રે ! મારા કરતાં તે બે સ્ત્રી તેને મન વધારે છે. હું આટલો પ્રેમ આપું. વિયોગ સહ્યો. છતાં સ્વામીને તો તે સ્ત્રી અધિક લાગે છે. ।।૩૧।। આ મારો સ્વામી ! રે ! હૈયામાં તો તે પેલી બે સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ ધરાવે છે અને બાહ્યથી મારા પ્રત્યે સ્નેહને ધારણ કરે છે. ઠીક છે. અવસરે હું જોઈ લઈશ. એવી મનની મેલી મુરાદે મદનને કહે છે..સ્વામી ! વર્ષાકાળ વીતી જાય પછી ત્યાં જજો. હમણાં તો તમે દેશાંતરથી આવ્યા છો. હું ઘણી વિરહી છું. થોડા દિન પછી જાજો. હમણાં નહીં. ॥૩૨॥ પત્નીના કહેવા પ્રમાણે મદન રોકાઈ ગયો. વર્ષાકાળ બાદ મદન શેઠ ચંડા-પ્રચંડા પાસે જવા તૈયાર થયો. ત્યારે તેની પત્ની કહે હે સ્વામી ! ત્યાં જાવ છો. પછી મારું કોણ ? સંસારમાં મારે બીજું કોઈ નથી. જલ્દી પાછા આવજો. તમારા વિણ હું કેમ રહી શકીશ ! ।।૩૩।। મદન બોલ્યો. રે પ્રિયે ! હું ત્યાં રહેવા જતો નથી. હું તરત જ પાછો આવીશ. થોડા દિનની જ વાત છે. ભમરો ભલે અનેક ફૂલો ઉપર ભમ્યા કરે. પણ છેલ્લે તો તે માલતીના છોડ અને તેના ફૂલ ઉપર આવીને બેસે અને રહે તેમ મારું મન તારી ઉપર જ લાગ્યું છે, પ્રિયે ! ।૩૪।।
પત્ની કહે...સ્વામી ! વાત તમારી સાચી છે. પણ પિયુ ! વહેલા પાછા પધારશો. બહુ દિવસો
૨૦