________________
ખંડ - ૪ : ઢાળ - ૧૦
૨૮૩
-: દોહા :જઈ મદને જિન વાંદીયા, શ્રી મરૂદેવા નંદ, ભવદવ તાપ શમ્યો તિહાં, દેખી પ્રભુ મુખચંદ ૧૫ નઈગમ એક એણે અવસરે, ધનદ સમો ધનવંત, તે જિન મંદિર આવીયો, વંદન નમન કરંત રા. રંગમંડપમે આવીયો, બેઠો કરીય પ્રણામ; પૂછે શું દુઃખ મદનને, દેખી વદન વિરામ. Hall. મદન શેઠ મુખ સાંભળી, મૂલથકી સવિવાત, તે કહે મુજ દુઃખ આગલે, તુમ દુઃખ તે કોણ માત. જી. મદન વદે મુઝને કહો, કેમ તુમ દુઃખ અપાર,
સજ્જન જાણી તે કહે, નિજ વીત્યો અધિકાર. આપા મદનશેઠ જિનમંદિરમાં - હસંતનગરની પાદરે જિન મંદિર જોતાં મદન શેઠ ઘણું આનંદ પામ્યા. જિનમંદિરમાં ગયા. ત્યાં નાભિરાજાના બેટા મરૂદેવીના નંદન શ્રી આદીશ્વર પ્રભુના મુખચંદ્રને નીરખતાં હૈયામાં જે સંતાપ હોં, તે શમી ગયો. શાંત થયો. તેના મદન પરમાત્માને દર્શન-વંદન-નમન કરીને રંગમંડપમાં આવ્યો. એ અવસરે ધનપતિ એવો ધનદ નામે શેઠ પણ તે જ મંદિરે દર્શન કરવા આવ્યો. આવીને પરમાત્માનાં દર્શન-વંદન-નમન કર્યા. //રા.
મદન જયાં બેઠો છે ત્યાં જ ધનદ આવીને બેઠો. ઉદાસીન વદનવાળા મદનને જોઈને બે હાથ જોડી પ્રણામ કરી આગંતુક ધનદ પૂછે છે કે ભાગ્યશાળી ! શું ચિંતામાં છો ? શું દુઃખ આવી પડ્યું? all દુઃખિત દિલવાળા મદને જયાં તેને પૂછવામાં આવ્યું કે તરત જ પોતાની વીતકકથા અથથી ઇતિ સુધીની કહી. તે સાંભળી ધનદ બોલ્યો. અરે મહાનુભાવ ! આમાં શું દુઃખી થાવ છો ! મારા દુઃખ આગળ તમારા દુઃખની કોઈ ગણના નથી. //૪ - તે સાંભળી મદન બોલ્યો. રે ! પરદેશી ! મને કહો તો ખરાં.. કે તમને એવું કયું દુઃખ પારાવાર છે? ત્યારે ધનદ શ્રેષ્ઠીએ પણ મદનને સજજન સમજી પોતાની વીતકકથા કહી સંભળાવી. પી.
ઢાળ દશમી
(કામણ ગારો એ કૂકડો રે...એ દેશી) કામણગારી એ કામિની રે, કામણની કરનાર, સૂરજકતા સ્વારથ સર્યો રે. વિષ દેતી ભરતાર...કા..ના. રાજા ચંદને કૂકડો રે, વીરમતી ધરનાર, ચલ્લણી ચક્રી સુત મારવા રે, કરતી જતું ઘરબાર..કા..રા દુઃખની વાત ન કીજીયે રે, પણ સાધર્મિક પાસ; કહેતાં હાંસી ન પામીએ રે, વળી હોવે દુઃખ નાશ..કા.//all