________________
(૧૮)
} શ્રી ચતુર્વિધ જૈન સંઘમાં શ્રી “શુભવીર”ને નામે I આવકાર-વચન 7 સુપ્રસિદ્ધ એવા જૈન સાધુ-કવિ પંડિતવર્ય વીરવિજયજીએ
- આ એમના જીવનકાળ (સંવત ૧૮૨૯ થી સંવત ૧૯૦૮) દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમણે રાસાઓ, પૂજાઓ, વિવાહલો, વેલી, બારમાસ, ઢાળિયાં, ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સક્ઝાયો, ગહૂલી, હરિયાળી જેવી વિવિધ પદ્યસ્વરૂપોવાળી રચનાઓ કરી છે. જો કે આજ દિન સુધી તેઓ સૌથી વધુ ગવાતા રહ્યા છે, જિનાલયોમાં અવારનવાર ભણાવાતી પૂજાઓ દ્વારા. તેથી જૈન પૂજાઓના તેઓ એક પર્યાયરૂપ બની ગયા છે.
પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ જ કવિએ કથારસથી સભર, સત્ત્વશીલ પ્રયોજનવાળી અને ઉમદા જીવનબોધ અર્પતી ત્રણ દીર્ઘ રાસકૃતિઓનું સર્જન કર્યું છે. ૧. સુરસુંદરી રાસ, ૨. ચંદ્રશેખર રાસ અને ૩. ધર્મિલકુમાર રાસ. પ્રસ્તુત ગ્રંથનાં સંપાદિકા પૂજ્ય સાધ્વીજી શ્રી જિતકલ્પાશ્રીજી મહારાજ અગાઉના વર્ષોમાં કવિની બે રાસકૃતિઓ - સુરસુંદરી રાસ અને ચંદ્રશેખરરાજા રાસના ભાવાનુવાદ સહિતનાં સંપાદનો આપી ચૂક્યાં છે અને હવે આ ત્રીજી રાસાકૃતિ ધમિલકુમાર રાસનું સંપાદન પણ એમના દ્વારા ઉપલબ્ધ થયું છે.
ધમ્પિલકુમાર રાસ” એ ૬ ખંડ અને ૭૨ ઢાળમાં, વિભક્ત ૨૪૮૮ કડીની રચના છે. કવિની આ રચના સંવત ૧૮૯૬માં એમની પાકટ વયે થયેલી છે. આ રસનો ચરિત્રનાયક ધમ્મિલકુમાર લગ્ન થયા છતાં સાંસારિક સુખભોગમાં આસક્ત થવાને બદલે વિરક્તિભાવ અનુભવે છે. એથી ચિંતિત માતપિતા સામે ચાલીને પુત્રને સંસારાભિમુખ કરવા પ્રયાસ કરે છે. પરિણામે ધમિલ ઘૂત, મદ્યપાન અને વેશ્યાગમનનો વ્યસની બની જાય છે. પોતાની ગણિકાપુત્રી વસંતતિલકાની ધમ્મિલ પ્રત્યેની તીવ્ર આસક્તિથી નારાજ બનેલી માતા વસંતસેના ધમિલને અરણ્યમાં ફેંકાવી દે છે. પણ છેવટે એક મુનિ દ્વારા કહેવાયેલા વિવિધ કથાનકો દ્વારા ધમ્મિલ ધર્માભિમુખ બને છે. મુખ્ય કથાની સાથે અહીં ગૂંથી લેવાયેલી દષ્ટાંતકથાઓ – અવાંતર કથાઓમાં ભરપૂર રસવૈવિધ્ય મળે છે. આમ આખુંયે કથાનક રસપ્રદ બન્યું છે. પણ એમાંથી પ્રાપ્ત થતો બોધ વિરાગતાનો છે.
પૂજયશ્રી જિતકલ્પાશ્રીજીએ પાંચેક વર્ષ અગાઉ “ચંદ્રશેખર રાસ'નું સંપાદન-અનુવાદનું કામ હાથ ધર્યું હતું, ત્યારે મારે એમના સંપર્કમાં આવવાનું બનેલું. “પં. વીરવિજય સ્વાધ્યાય ગ્રંથનું મેં કરેલું સંપાદન કદાચ એમાં નિમિત્ત બન્યું હશે. રાસના ભાવાનુવાદ અને ભાષાલેખન ઉપર નજર નાંખી જવા પૂરતો હું એમને સહાયક બન્યો હતો. વાસણા નવકાર સોસાયટીના